(૧) કાન વહેતો હોય અને સણકા આવતા હોય તો લસણને જરા છૂંદી, તલના તેલમાં ઉકાળી આ તેલનાં બે-બે ટીપાં દિવસમાં બે વખત કાનમાં નાખવાં. (૨) આધાશીશી (અર્ધા માથાનો દુખાવો) ઉપર : લસણનાં ત્રણ-ચાર ટીપાં નાકમાં પાડવાં. (૩) ન પાકતા ગૂમડા અને ગાંઠ ઉપર : લસણ અને મરી વાટીને તેનો લેપ લગાડવો. (૪) જખમ પાકે નહિ અને તેમાં કીડા પડે નહિ તે માટે લસણનો લેપ લગાડવો. (૫) સર્વ પ્રકારના વાયુ ઉપર : ૫૦ ગ્રામ લસણ છોલી તેમાં હિંગ, જીરું, સિંધવ, સંચળ, સૂંઠ અને મરી આ છ વસ્‍તુઓ દરેક દસ-દસ ગ્રામ લઇ, […]

આંખ ઉપર કામનો વધુ પડતો બોજો ન આવે તેમ સંભાળો.ભારે પ્રકાશ કે પૂરતા પ્રકાશ વિના વાંચશો નહીં.રાતના ઉજાગરા, ચાલુ ગાડીએ વાંચવાની ટેવ, ધુમાડિયું વાતાવરણ, મેલાગંદા ટુવાલ કે રૂમાલનો આંખ લુછવામાં ઉપયોગ ન કરવો. વધુ પડતી ફિલ્‍મો અને ટી. વી. જોવાથી આંખ જરૂર બગડે છે.આંખ જેવા નાજુક અવયવમાં ગમે તેવા સુરમા, બજારૂ કાજલ, મેશ, મોરથુથુ, કેલોમસ – પાટો, સિંદુર વગેરે આંજશો નહીં.આંખની પાંપણ પૂરા પલકારા માર્યા સિવાય એકીટશે કોઈ વસ્‍તુને જોયા કરવાની ટેવથી પણ આંખો ખરાબ થાય છે.બિનજરૂરી શોખનાં ચશ્‍માથી પણ આંખો બગડે છે.ધૂળ – કચરો કે કાંકરી પડે તેવું લાગે […]

ઘણીવાર વધારે પડતું મસાલેદાર કે તીખી વસ્તુ ખાવામાં આવી જાય તો પેટમાંદુખાવા સાથે જલન થાય છે. અમુક સરળ ઘરગથ્થુ ઉપચારથી તરત મટાડી શકાય છે •અનાનસના ટુકડા પર સાકર અને મરી ભભરાવીને ખાવાથી એસિડિટી મટે છે. •સફેદ કાંદાના રસમાં સાકર નાખીને પીવાથી એસિડિટી મટે છે. •સફેદ કાંદાને પીસી તેમાં સાકર અને દહીં મેળવીને ખાવાથી એસિડિટી મટે છે. •આમળાંનો રસ એક ચમચી, કાળી દ્રાક્ષ એક તોલો અને મધ અર્ધી ચમચી ભેગું કરી ખાવાથી એસિડિટી મટે છે. •એલચી, સાકર અને કોકમની ચટણી બનાવીને ખાવાથી એસિડિટી મટે છે. •દ્રાક્ષ અને બાળહરડે સરખેભાગે લઈ, એટલી […]

ડાયાબિટીસ થવાનાં કારણો વારસાગત બીમારી : આ રોગ અમુક પ્રમાણમાં વારસાગત છે એમ મનાયું છે. લગ્ન કરનાર સ્ત્રી-પુરુષ બંને ડાયાબિટીક હોય તો તેમના બધાં બાળકોને ડાયાબિટીસ થવાની શક્યતા રહે છે, પરંતુ એક બાજુ મા કે બાપ બેમાંથી એક ડાયાબિટીક હોય અને બીજી બાજુ પરિવારમાંથી દાદા, દાદી, કાકા-કાકીને પણ ડાયાબિટીસ હોય તો સંતાનને ૮૫ ટકા ડાયાબિટીસ થવાની શક્યતા રહે છે. મેદવૃદ્ધિ : મીઠાઈ, મિષ્ટાન્ન અને ચરબીવાળા ખાદ્યપદાર્થો, માખણ, ઘી વગેરે વિશેષ ખાવાથી મેદવૃદ્ધિ થાય છે. તેને પરિણામે ડાયાબિટીસ થવાનો સંભવ વધુ રહે છે. ડાયાબિટીસના દર્દીઓ મોટે ભાગે અતિમેદવાળા હોય છે. ઓછું […]

સ્‍તનપાન થી થતા ફાયદાઓ તમારા શિશુને માંદગી સામે સ્‍તનપાન રક્ષણ આપે છે અને તે શ્રેષ્‍ઠ પોષણ છે. મોટા ભાગના શિશુઓને પ્રથમ ૪ થી ૬ મહિના સ્‍તનપાન પુરતો આહાર પણ આપે છે. સ્‍તનપાન માટે સલાહ લેવા તમારા ડોકટર અથવા અન્‍ય કોઈ પણ આરોગ્‍ય વ્‍યાવસાયિક અથવા કોઈ મિત્ર કે સગા- સંબંધી કે જેમણે સફળતાપૂર્વક સ્‍તનપાન કરાવ્‍યું હોય, તેમની સલાહ લો. વારંવાર સ્‍તનપાન કરાવવું એ દુધનો સારા પ્રમાણમાં પુરવઠો જાળવવા અને સ્‍ત્રોત વહેતો રાખવા માટે શ્રેષ્‍ઠ રસ્‍તો છે. ગર્ભાવસ્‍થા દરમિયાન અને પ્રસૂતિ પછી સારો સમતોલ આહાર સ્‍તનોમાં પૂરતું દૂધ લાવવામાં મદદ કરે છે. […]

જળ એ જ જીવન   આપણું શરીર પંચમહાભૂતાત્મા છે. આ પાંચમાંથી એક તત્વ છે જળ. શ્રાવણી વર્ષામાં ઝરમરતા જળમાં જે તાજગી, શીતળતા અને આલ્હાદકતા છે, એ પંચમહાભૂતના બીજા કોઈ તત્વમાં નથી. આયુર્વેદમાં કહેવાયું છે કે, આપણું શરીર – દેહ પંચમહાભૂતોથી બનેલું છે. આ પંચ મહાભૂતો તે પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ. તમને ખબર છે, આ પાંચમાંથી માત્ર પાણીને જ જીવનનું નામ અપાયું છે એટલે કે પાણી એ જ જીવન છે. આપણી પૃથ્વીની ચારે બાજુ વાતાવરણ ભલે ગમે એટલું ઘેરાયેલું હોય અને વાયુ વગર ભલે આપણે એક પળ પણ જીવી […]

મલ્લિકા સારાભાઈ   ભારતીય શાસ્ત્રીય નૃત્ય નાટ્યકલાના ક્ષેત્રે આંતરરાષ્‍ટ્રીય ખ્યાતિ મેળવી ગુજરાતનું ગૌરવ વધારનાર મલ્લિકા સારાભાઈ જગમશહૂર નૃત્યાંગના મૃણાલિની સારાભાઈ અને વૈજ્ઞાનિક ડૉ. વિક્રમ સારાભાઈની પુત્રી છે. મલ્લિકા નાની હતી ત્યારે તેમના પિતા ડૉ. વિક્રમભાઈ તેમને વાતોમાં જાતજાતની જીવનઘડતરની વાતો કરતા. તેઓ કહેતા : \”છોકરીએ ભણવું તો જોઈએ જ. છોકરા જેટલી જ શક્તિ મેળવીને સ્‍વતંત્ર બનવું જોઈએ. પછી ભલે તે પરણેલી હોય.\” મલ્લિકાએ પોતાના પિતાની આ વાત બરાબર પોતાના જીવનમાં ઉતારી છે. મનોવિજ્ઞાનમાં એમણે ડૉકટરેટ કર્યું છે અને મેનેજમેન્ટમાં પણ અનુસ્નાતક છે. મલ્લિકાએ પોતાના પતિ બિપિ‍નભાઈ સાથે મળીને ‘મપિ‍ન‘ નામની […]

હાસ્‍યસમ્રાટ જ્યોતીન્દ્ર દવે   કહેવાય છે કે : ‘એક શોકસભા શોકસભાની રીતે ન ભરી શકાય જો મંચ પર શ્રી જ્યોતિન્‍દ્ર દવેની ઉપસ્થિત હોય તો !’ આવા હાસ્‍યસમ્રાટ લેખકનો જન્‍મ ૧૯૦૧માં સુરત ખાતે થયો હતો. કોઈપણ સમારંભમાં તેઓ ભાષણ માટે ઊભા થાય ત્‍યારે તેમના બોલતાં પહેલા હાસ્‍યનું એક મોજું શ્રોતાઓમાં ફરી વળે એટલી પ્રભાવક તેમની લોકપ્રિયતા હતી. એમ.એ નો અભ્‍યાસ પૂર્ણ કરી સુરતની કોલેજમાં સંસ્‍કૃત અને ગુજરાતીના પ્રાધ્‍યાપક તરીકે સેવાઓ આપી. નિવૃત થયા પછી પણ કચ્‍છ માંડવીની કોલેજમાં આચાર્ય તરીકે સેવાઓ આપી હતી. મુનશીના ‘ગુજરાત’ માસિક દ્વારા ઘણા લેખો લખ્‍યા. તેમણે […]

અકબરનામા – અબ્‍દુલ ફઝલ અભિજ્ઞાનશાકુંતલ – કાલિદાસ અનટોલ્‍ડ સ્‍ટોરી – બી. એન. કૌલ અવર ફિલ્‍મ્સ, ધેર ફિલ્‍મ્‍સ – સત્‍યજિત રે આઇન-એ-અકબરી – અબુલ ફઝલ આઝાદી – ચમન ન્‍હાલ આનંદમઠ – બંકિમચંદ્ર ચેટરજી ઇન્ડિયા થ્રુ એઇસજી – જદુનાથ સરકાર ઇન્ડિયા ફ્રૉમ કર્ઝન ટુ નેહરુ ઍન્‍ડ આફ્ટર – દુર્ગાદાસ ઉર્વશી – દિનકરજી ઉત્તરરામચરિત – ભવભૂતિ કામસૂત્ર – વાત્‍સયાયન કાદંબરી – બાણભટ્ટ કુમારસંભવ – કાલિદાસ કૂલી – મુલ્‍કરાજ આનંદ ગણદેવતા – તારાશંકર બંદોપાધ્‍યાય ગાઇડ – આર. કે. નારાયણ ગ્લિમ્‍પસીસ ઑફ વર્લ્‍ડ હિસ્‍ટ્રી – પંડિત જવાહરલાલ નેહરુ ગીતા પ્રવચનો – વિનોબા ભાવે ગીતા રહસ્‍ય […]

અસમી : હેમચંદ્ર બરૂઆ, માધવ કોંડાલી, હેમચંદ્ર ગોસ્‍વામી, બીરેન્‍દ્રકુમાર ભટ્ટાચાર્ય. બંગાળી : રવીન્‍દ્રનાથ ટાગોર, બંકિમચંદ્ર ચેટરજી, તારાશંકર બંદોપાધ્‍યાય, શરદચંદ્ર, વિષ્‍ણુદેવ, આશાપૂર્ણાદેવી, સુભાષ મુખોપાધ્‍યાય, શ્રીમતી મહાશ્ર્વેતા દેવી. ગુજરાતી : નરસિંહ મહેતા, મીરાંબાઇ, અખો, પ્રેમાનંદ, નર્મદ, ગોવર્ધનરામ ત્રિપાઠી, ક.મા. મુનશી, સુન્‍દરમ્, ઉમાશંકર જોષી, ધૂમકેતુ, ઝવેરચંદ મેઘાણી, પન્‍નાલાલ પટેલ. હિન્‍દી : મલિક મોહમદ જાયસી, તુલસીદાસ, સૂરદાસ, કબીર, કેશવદાસ, બિહારી, ભારતેન્‍દુ, હરિશ્ર્ચંદ, સુમિત્રાનંદન પંત, જયશંકર પ્રસાદ, મંથીલીશરણ ગુપ્‍ત, મુનશી પ્રેમચંદ, સુદર્શન, જૈનેન્‍દ્રકુમાર જૈન, રામધારીસિંહ \’દિનકર\’, એચ. એસ. વાત્સ્‍યન, મહાદેવી વર્મા, સૂર્યકાન્‍ત ત્રિપાઠી \’નિરાલા\’, ઉપેન્‍દ્રનાથ \’અશ્‍ક\’, ભગવતીચરણ વર્મા, યશયાલ, હશ્રિવંશરાય બચ્‍ચન, સુભદ્રાકુમારી ચૌહાણ.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors