કાલિદાસ એ સંસ્કૃત ભાષાના એક અત્યંત મહત્વના કવિ હતા. તેઓને ‘મહાકવિ કાલિદાસ‘નું બિરુદ આપવામાં આવેલ છે. કાલિદાસે કુલ સાત રચનાઓનું સર્જન કરેલ હોવાનું માનવામાં આવે છે. આ રચનાઓ પૈકીના ચાર મહકાવ્યો તથા ત્રણ નાટકો છે. તેમની રચનાઓમાં ‘મેદ્યદુત‘, ‘ઋતુસંહાર‘, ‘કુમાર સંભવમ‘ અને ‘રદ્યુવંશમ્‘ એ ચાર મહાકાવ્યો છે અને ‘અભિજ્ઞાન શાકુંતલમ્‘, ‘વિક્રમોવર્શીય‘ તથા ‘માલવિકાગ્નિમિત્ર‘ નાટકો સૌથી વધુ જાણીતી રચનાઓ છે. જર્મનકવિ ગેટે તેમનું નાટક અને‘અભિજ્ઞાન શાકુંતલ‘ થી ખુશ થઇને માથે મુકીને નાચ્યા હતા. એમના વિષે વધુ વિગતોની જાણ નથી, પરંતુ એવું મનાય છે કે તેઓ ઇ. સ. પૂર્વે ૧લી થી ૫મી […]