મૂર્ખ કોને કહેવાય ? * આગ લાગે ત્યારે કુવો ખોદવા જાય. * દુશ્મનો ચડી આવે ત્યારે કિલ્લો ચણવાની તૈયારી કરે. * જે સ્વાર્થમાં રચ્યોપચ્યો રહે. * જે જગતને રાજી રાખવાના પ્રયત્નો કર્યા કરે છે. * જે પોતાનું હિત-અહિત શેમાં છે તે ન સમજે. * જે કરવા જેવું છે તે ન કરે અને જે ન કરવા જેવું હોય તેની પાછળ મથ્યા કરે. * જે સીધી સાદી વાતને મચડીને અનર્થ ઉભો કરે.

ત્યાગ કયારે સિધ્ધ ગણાય ? * મે ત્યાગ કર્યો છે એવો ભાવ પણ ન રહે ત્યારે. * પરમાત્માને પામવા સિવાયની કોઈ ઇચ્છા ન રહે ત્યારે – ત્યાગને ઇશ્વરના સંદર્ભમાં જોવો જોઈએ.ત્યાગ કરવાનું સામર્થ્ય ઇશ્વર પાસેથી જ મળૅ છે. -આપણે કશુજ નથી પછી ત્યાગ શેનો કરવાનો.

અનાથ કોને કહેવો? * જેને પરમાત્મા ઉપર વિશ્વાસ નથી તેને. * સંસારમાં રચ્ચોપચ્યો રહે તેને. * જેનો આત્મવિશ્વાસ ડગી ગયો છે તેને.

નરકમાં ખેચી જનાર ત્રિપુટી કઈ? * કામ,ક્રોધ અને લોભ. -આ ત્રિપુટીને આળસ-પ્રમાદ સહાયરુપ થાય છે

નમસ્કાર એટલે શું ? * નમ્રતાનું દર્શન, * મમતા અને અહંકારની નિવૃતિ. * જે વસ્તુને આપણે આપણી માનીએ છીએ તે ખરેખર ભગવનની છે અને આપણે પણ તેમના છીએ એવા ભાવ સહિતની વંદના.

પોતાનું અને પારકુ કોને ગણવું? * મૃત્યુને કારણે જે કાંઈ આપણી પાસેથી ઝુટાવાઈ જાય તે પારકું અને મૃત્યુ પછી પણ આપણી પાસે રહે તે પોતાનું. * પોતનું શુ અને પારકુ શુ તે નક્કી કરવું હોય તો શરીરના અને લાગણીના સંબંધો બીજા કોઈ ત્રાજવે તોળવાને બદલે મૃત્યુને ત્રાજવે તોળવા આ સંબંધો જો મૃત્યુની કસોટીએ ટકી રહે તો પોતના ગણાય.એવું બનતું નથી. – એ રીત મનુષ્યનો આત્મા સાથે જ પોતીકો સંબંધ હોઈ શકે.આત્મા સાથે સંબંધ બાધવાથી વ્યાપક અને નિર્મળ થવાય છે.

નરક એટલે શું? * સુખ અને શાંતિનો અભાવ. * અન્તઃકરણની દુઃખપુર્ણ અવસ્થા. * અધઃપતન. * હીનતમ સ્થિતિ.

કોને સમજાવવા પ્રયત્ન ન કરવો ? * જે પોતાને જ્ઞાની માનતો હોય તેને. * મૂર્ખને. * શંકાશીલને. * ઉપકાર પર અપકાર કરવાની વ્રુતિનું સેવન કરનારને.

કયા ચાર પુરૂષાર્થને મહત્વ અપાય છે ? * ધર્મ,અર્થ,કામ અને મોક્ષને. -ધર્મ અને અર્થ સાધનારૂપ છે. ધર્મ મોક્ષનું અને અર્થ કામાંનુંમ સાધન છે. * કામ અને મોક્ષ સાધ્યારૂપ છે -કામ શરીરનું સાધ્ય છે -મોક્ષ આત્માનું સાધ્ય છે.

અંધ કોને કહેવાય ? * જે યોગ્ય માર્ગને જોઈ ન શકે. * સત્યને સમજવાનો પ્રયત્ન ન કરે. * પોતાના પૂર્વગ્રહને ચસોચસ પકડી રખે. * અન્યના હિતનો વિચારના કરે. * જેના હ્રદયમાં કરુણા નથી તેને.

jeevanshailee-requirement-ad
 
itinerary plus
Price 799 Rs.
 
itinerary plus
Price 599 Rs.
 
travel gujarati
Price 399 Rs.
 
 
 
market decides
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors