ચોપટા-ઉત્તરાખંડ-ભારતના  પ્રસિદ્ધ જોવા લાયક સ્થળ

ચોપટા-ઉત્તરાખંડ-ભારતના પ્રસિદ્ધ જોવા લાયક સ્થળ ઉત્તરાખંડ મા આવેલ ચોપટા-તુંગનાથ એ કુદરતી સૌન્દર્ય ધરાવતું સ્થળ છે પ્રકૃતિ પ્રેમીઓ અને ટ્રેકીંગના શોખીનો માટે ચોપટા ઉત્તમ જગા છે તે પર્વતાળ વિસ્તારમાં ૨૯૨૬ મીટર ઉંચાઈએ આવેલું હોવાથી, અહીંનું વાતાવરણ અત્યંત ખુશનુમા રહે છે. ચોપટાની આજુબાજુ ગાઢ જંગલો છે. ડિસેમ્બરમાં અહીં પુષ્કળ ઠંડી પડે છે અને રસ્તાઓ બરફથી ઢંકાઈ ગયા હોય છે.ચોપટાની આજુબાજુ ગાઢ જંગલો છે. ચોપટા ભારતનું મીની સ્વીત્ઝર્લેન્ડ કહેવાય છે. આ ટ્રેકની વધુ એક ખાસિયત એ અહીં આવેલું 5000 કરતાં વધુ વર્ષો જૂનું વિશ્વનું સૌથી ઊંચું શિવ મંદિર છે. તે પાંચ કેદારો ( […]

મુક્તેશ્વર-ઉત્તરાખંડ-ભારતના  પ્રસિદ્ધ હિલ સ્ટેશન

મુક્તેશ્વર-ઉત્તરાખંડ-ભારતના પ્રસિદ્ધ હિલ સ્ટેશન ઉત્તરાખંડ સ્થિત મુક્તેશ્વર હિલ સ્ટેશન ખુબ સુંદર છે. પ્રકૃતિના ખોળામાં બનેલા આ હિલ સ્ટેશનમાં આપને નદી, પહાડ, ઝરણા, ખીણ અને બીજા અનેક પર્યટન સ્થળ જોવા મળશે. ચં આ વર્ષે આપ ઉત્તરાખંડના મુક્તેશ્વરમાં ફરવા જવાનું પસંદ કરી શકો છો. આ જગ્યાઓ ખુબ જ સુંદર છે. અને આ જગ્યા પર દેશના ખુણે ખુણેથી સહેલાણીઓ આવતા હોય છે. આ બંને હિલ સ્ટેશન પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી હોય છે. જેના કારણે પ્રવાસીઓ અહીં આવવાનું વધુ પસંદ કરે છે. આ જગ્યાઓ પર આપ પહાડી ગામોની મજા માણી શકો છો. અને […]

દાર્જિલિંગ-પશ્ચિમ બંગાળ-ભારતના  પ્રસિદ્ધ હિલ સ્ટેશન

દાર્જિલિંગ-પશ્ચિમ બંગાળ-ભારતના પ્રસિદ્ધ હિલ સ્ટેશન ઉનાળો પ્રવાસીઓનો પ્રિય સમય છે. અને આપણે પર્વતો વિશે વિચારવાનું બંધ કરી શકતા નથી. તેઓ શરીરને ઠંડક આપે છે અને આત્માને આરામ આપે છે અને કોઈપણ મોસમ માટે યોગ્ય છે, ભારત દેશના પૂર્વ ભાગમાં આવેલા પશ્ચિમ બંગાળ રાજ્યમાં આવેલા દાર્જિલિંગ જિલ્લામાં આવેલું એક મહત્વનું શહેર છે. બરસત શહેરમાં દાર્જિલિંગ જિલ્લાનું વહીવટી મુખ્ય મથક આવેલું છે.દાર્જિલિંગ ભારતનું સૌથી સુંદર હિલ સ્ટેશન છે દાર્જિલિંગને ભારતમાં હિલ્સની રાણી તરીકે પણ ઓળખવામાં આવે છે. દાર્જિલિંગ, તમે હવામાં ચોક્કસ પ્રકારની હૂંફ અનુભવશો, જેનાથી તમે ઉત્સાહિત અને શાંતિનો અનુભવ કરશો. લીલી […]

નેલોંગ વેલી -પર્યટન સ્થળ-ઉત્તરાખંડ

નેલોંગ વેલી -પર્યટન સ્થળ-ઉત્તરાખંડ નેલોંગ વેલી ઃ ગંગોત્રી રાષ્ટ્રીય ઉદ્યાનમાં એક ખડકાળ રણ છે, નેલોંગ ખીણ સમુદ્ર સપાટીથી 11,000 ફૂટની ઊંચાઈ પર સ્થિત છે. ખીણને 2015 માં પ્રવાસીઓ માટે ખોલવામાં આવી હતી, અને ત્યારથી તે ઉત્તરાખંડમાં સાહસિક જંકીઓ માટે એક પ્રખ્યાત સ્થળ બની ગયું છે. ચીને તિબેટ પર કબજો જમાવ્યો તે પહેલા નેલોંગ વેલી ભારત અને તિબેટ વચ્ચેનો આવશ્યક વેપાર માર્ગ હતો. આ ખીણમાં હવામાન, લેન્ડસ્કેપ સમાન છે અને તે તિબેટ, સ્પીતિ અને લદ્દાખ પ્રદેશો જેવું જ દેખાય છે. આ ખીણ ગંગોત્રી રાષ્ટ્રીય ઉદ્યાનમાં આવેલી હોવાથી ત્યા રાત્રિ રોકાણ કરવા […]

ભારતની સાત પવિત્ર પુરી : ભારતની સાત પવિત્ર પુરી : ભારતની સાત પવિત્ર પુરી :

ભારતની સાત પવિત્ર પુરી :૧. અયોધ્યા૨. મથુરા૩. હરિદ્વાર૪. કાશી૫. કાંચી૬. અવંતિકા૭. દ્વારિકા૧. અયોધ્યાઅયોધ્યા એટલે ભગવાન શ્રી રામની જન્મભૂમિ. ભારતનાં ઉત્તર પ્રદેશ રાજ્યના ફૈજાબાદ જિલ્લામાં આવેલું પ્રાચિન નગર છે.

તખ્તેશ્વર મહાદેવ ભાવનગર

તખ્તેશ્વર મહાદેવનું મંદિર ભાવનગરની આગવી ઓળખ સમાન છે. શહેરની મધ્યમાં ટેકરી પર આવેલું આ સુંદર મજાનું મંદિર ગુજરાતનાં પ્રાચીન મંદિરો પૈકીનું એક છે. ઈ.સ. ૧૮૯૩માં ૧૯મી સદીની શૈલીથી બનાવાયેલા આ મંદિર આરસપહાણમાંથી બનાવાયું છે. ભાવનગરના સદ્ગત મહારાજા તખ્તસિંહજીએ બનાવેલ આ ભવ્ય મંદિરના પરિસરમાંથી ચોતરફ પથરાયેલા ભાવનગર શહેરનું ભવ્ય દૃશ્ય જોવા મળે છે. મંદિરના વિશાળ આરસ મઢેલા ચોકની પાળીએ બેસીને ભાવનગરની રોનક માણવા જેવી છે. તેથી જ ભાવનગરની મુલાકાતે આવતા મુલાકાતીઓ માટે તખ્તેશ્વરની મુલાકાત વગર ભાવનગરની મુલાકાત અધૂરી ગણાય છે.

ભીમનાથ મહાદેવ-ધંધુકા-ગુજરાત

ભીમનાથ મહાદેવ-ધંધુકા-ગુજરાત ધંધુકા તાલુકાના ભીમનાથ ગામે પાંડુપુત્ર ભીમના હસ્તે સ્થાપિત થયેલું ભીમનાથ મહાદેવ આવ્યું છે. પાંડવો અજ્ઞાતવાસ દરમિયાન ભીમનાથ મહાદેવની હાલ જગ્યા છે ત્યાં આવેલા. એવી કથા છે કે ભીમને ભૂખ લાગી હતી,પણ અર્જુનનો નિયમ હતો કે શિવલિંગનાં દર્શન કર્યા પછી જ જમવું. જંગલમાં ક્યાંય શિવલિંગ હતું નહીં એટલે ભીમે એક પથ્થર લઈને તેના ઉપર જંગલનાં ફુલો ગોઠવી દીધાં અને અર્જુનને કહ્યું કે,ભાઈ આ શિવલિંગ હતું નહીં એટલે ભીમે એક પથ્થર લઈને તેના ઉપર જંગલનાં ફુલો ગોઠવી દીધાં અને અર્જુનને કહ્યું કે,ભાઈ આ શિવલિંગ રહ્યું. અર્જુને શિવલિંગનાં દર્શન કરી ભીમ […]

ગાંધીનગરમાં આવેલું અદ્ભુત સાંસ્કૃતિક તીર્થ અક્ષરધામ

ગાંધીનગરમાં આવેલું અક્ષરધામ એ માત્ર સ્વામીનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલાંનુ જ સાંસ્કૃતિક તીર્થ નથી તે તો હિંદમાં વસતા દરેક હિંદુસ્તાની માટે છે. તે એટલું અદ્ભુત છે કે તેના માટે દરેક હિંદીભાષીને ગર્વ થાય. ગાંધીનગરમાં આવેલા આ અક્ષરધામમાં મંદિરના ભોંયતળિયે પ્રમુખસ્વામી મહારાજે રચેલું સ્વામીનારાયણ સંપ્રદાય સૌથી પ્રથમ તથા આધુનિક સંગ્રહસ્થાન તથા મ્યુઝિયમ છે.અક્ષરધામ એ ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગરના સેકટર ૨૦ માં આવેલું છે. તેની ઊંચાઈ ૧૦૮ ફૂટ, લંબાઈ ૨૪૦ ફૂટ, પહોળાઈ ૧૩૧ ફૂટ છે. અક્ષરધામ મંદિર ગાંધીનગરનું મોટામાં મોટું સહજાનંદ સ્વામીનું મંદિર છે. ભગવાન સહજાનંદ સ્વામીએ ઉપયોગમાં લીધેલાં વસ્ત્રો, પાવડી (ચાખડી)થી માંડીને […]

ગરુડેશ્વર મહાદેવ રાજપીપળા – તીર્થ સ્થાનો

નર્મદા જિલ્લામાંથી ઉત્તર તરફ વહેતાં પુણ્ય સલિલા મા નર્મદાના પાવન તટે અનેક ઋષિ-મુનિઓએ તરસ્યા કરી છે. આ પાવનભૂમિ પર ભગવાન શંભુની આરાધના કરી હતી. અને પ્રસન્ન થયેલાં ભગવાન શિવે ગરુડજીને પ્રસન્ન થઈ વરદાન આપ્યું અને શિવજીએ જાતે શિવલિંગની સ્થાપના કરી હતી જેથી આ તીર્થસ્થાન ગરુડેશ્વર મહાદેવના નામથી પ્રખ્યાત બન્યું છે. આ સ્થળે ગામ વસ્યું જે આજે ગરુડેશ્વરના નામથી ઓળખાય છે. નર્મદા જિલ્લામાં આવેલાં ગરુડેશ્વર ખાતે રાજપીપળા અને વડોદરા તરફથી જઈ શકાય છે. રાજપીપળાથી ગરુડેશ્વરનું અંતર ૧૭ કિમી જયારે વડોદરાથી ૮૦ કિમી છે.

ઘેલા સોમનાથ જસદણ

દેવાધિદેવ સોમનાથ મહાદેવના મંદિર ઉપર અનેકવાર આક્રમણ થયું એ દરમિયાન સોમનાથ મહાદેવનું જયોતિર્લિંગ ક્યાં છે તે હજુ સુધી કોઈને ખબર નથી, પણ ઈતિહાસ એવું કહે છે કે રાજકોટના જસદણથી થોડે દૂર આવેલા ઘેલા સોમનાથ મહાદેવનું જયોતિર્લિંગ છે. આજુબાજુ કોઈ ગામ નથી. તેમ છતાં સૌરાષ્ટ્ર અને ગુજરાતના ભક્તોના હૃદયમાં સોમનાથ મહાદેવ જેટલી જ શ્રદ્ધા આ ઘેલા સોમનાથ મહાદેવની છે. વિક્રમ સંવત ૧૪૫૭ની આસપાસ ગુજરાત ઉપર સુલતાન જાફર મહંમદનો ડોળો હતો. ઘેલા વાણિયાએ શિવલિંગની રક્ષા કાજે જાનની આહુતિ આપી હતી. તેથી આ શિવલિંગનું નામ સોમનાથમાંથી ઘેલા સોમનાથ રાખવામાં આવ્યું.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors