ઇ.સ. તારીખ ૭૫ ઃ ગુજરાતીઓ જોવા પહોંચ્યા. ૮૦ ઃ શક લોકો ફરી બળવાન થયા. ક્ષત્રપવંશો. ૪૧૫ ઃ ગુપ્તવંશ, દઃ ગુજરાતમાં ત્રૈકૂટક વંશ. ૪૭૦ ઃ મૈત્રક વંશ, વલ્લભીપુરમાં રાજધાની નાંદોદ. ૬૨૯ ઃ દ. ગુજરાતમાં ગુર્જર વંશ, રાજધાની નાંદોદ. ૬૯૬ ઃ ઉત્તરમાં જયશિખરીનું રાજય, રાજધાની પંચાસર. ૭૨૫ ઃ સિંધના જુનૈદનું ગુજરાત પર આક્રમણ પુલકેશીને હરાવીને સીમાપર કાઢી મૂકયો. ૭૪૬ ઃ ચાવડા વંશની સ્થાપના. ૭૭૧ ઃ પારસીઓ સંજાણ બંદરે ઊતર્યા. ૭૮૩ ઃ રાષ્ટ્રકૂટ વંશ. ૭૮૮ ઃ મૈત્રક વંશનો અંત. નવમી સદી ઃ ગુજરાત નામ પ્રચલિત બન્યું. ૯૨૦ ઃ સૌરાષ્ટ્રમાં જેઠવા વંશ, વાળા તથા […]
શરીરમાં ખાધેલા ખોરાક પચે નહીં. તેમાં ક્ષાર એકઠા થાય.ત્યારે પથરી થતી હોય છે. પિત્તાશયની પથરીને ગોલ્ડબ્લેડર કહે છે. તથા મૂત્રમાર્ગની પથરીને સ્ટોન કિડની કહે છે. મૂત્રાશયની પથરીને હોમોયોપેથીમાં વાઢકાપ વગર દૂર કરી શકાય છે. મૂત્રાશયની પથરીની પીડા અસહ્ય હોય છે. મૂત્રમાર્ગમાં જયારે પથરી થાય ત્યારે ભયંકર પીડા અને અસહ્ય બળતરા થતી હોય છે. આપણે રોજબરોજના ખોરાકમાં ફળો, શાકભાજી, અનાજ વગેરે લેતા હોઈએ છીએ તે પચ્યા પછી તેમાંથી વિટામિન, આયર્ન, પ્રોટીન, મિનરલ વગેરે છૂટા પડે છે. તે તમામનું શુદ્ધિકરણ કિડનીમાં થાય છે. ખોરાકમાં જો ઓકસલેટ નામનું તત્ત્વ વધારે હોય તો કિડની […]
ભારતીય સંગીતના પ્રગઢ પંડિત વિષ્ણુનારાયણ ભાતખંડેનો જન્મ તા.૧૦-૮-૧૮૬૦ના રોજ મુંબઈમાં થયો હતો. બાળપણથી જ તેમનામાં સંગીતના સંસ્કારો પડ્યા હતા. વકીલાતમાં મન ન પરોવાતા સંગીત સાધનામાં રત રહેવાનો નિર્ણય કર્યો. સંગીતવિષયક ગ્રંથો તેમણે વાંચ્યા. સમગ્ર ભારતમાં પ્રવાસ કરી કેટલાય વિદ્વાનો સાથે તેમણે ચર્ચા કરી. ઉત્તર તથા દક્ષિણ ભારતની સંગીત પદ્ધતિઓનો સુમેળ કરવાનું શ્રેય શ્રી ભાતખંડેને ફાળે જાય છે, તેમણે લક્ષસંગીત, હિન્દુસ્તાની સંગીત પદ્ધતિ, ક્રમિક માલિકા જેવા ગ્રંથોનું લેખન કર્યું. ભાતખંડેજીનું લેખનકાર્ય જોતા આજેય અભ્યાસુઓ દંગ રહી જાય છે. જુદા જુદા ગવૈયાને મુંબઈ લાવીને તેમની પાસેથી તેમણે ચીજો એકઠી કરી હતી. ઈ.સ.૧૯૩૬માં […]
તખ્તેશ્વર મહાદેવનું મંદિર ભાવનગરની આગવી ઓળખ સમાન છે. શહેરની મધ્યમાં ટેકરી પર આવેલું આ સુંદર મજાનું મંદિર ગુજરાતનાં પ્રાચીન મંદિરો પૈકીનું એક છે. ઈ.સ. ૧૮૯૩માં ૧૯મી સદીની શૈલીથી બનાવાયેલા આ મંદિર આરસપહાણમાંથી બનાવાયું છે. ભાવનગરના સદ્ગત મહારાજા તખ્તસિંહજીએ બનાવેલ આ ભવ્ય મંદિરના પરિસરમાંથી ચોતરફ પથરાયેલા ભાવનગર શહેરનું ભવ્ય દૃશ્ય જોવા મળે છે. મંદિરના વિશાળ આરસ મઢેલા ચોકની પાળીએ બેસીને ભાવનગરની રોનક માણવા જેવી છે. તેથી જ ભાવનગરની મુલાકાતે આવતા મુલાકાતીઓ માટે તખ્તેશ્વરની મુલાકાત વગર ભાવનગરની મુલાકાત અધૂરી ગણાય છે.
ગુજરાત ના નૃત્યો ની વિશેષતા (૧) ગરબો : ગરબો શબ્દ ‘ગર્ભદીપ’ ઉપરથી બન્યો છે. ગુજરાતમાં શકિતપૂજા પ્રચલિત થઇ ત્યારથી ગરબો લોકપ્રીય છે. ગરબામાં માટલીમાં છિદ્રો રાખીને દીવો ગોઠવવામાં આવે છે. આ ગરબાને માથા ઉપર લઇને નવરાત્રીમાં સ્ત્રીઓ આદ્યશકિત અંબિકા, બહુચરા વગેરેના ગરબા ગાય છે. (૨) રાસ : હલ્લીસક અને લાસ્ય નૃત્યમાંથી તેનો જન્મ થયો છે. વૈષ્ણવ સંપ્રદાયની અસર વધતાં રાસ લોકપ્રીય બન્યો છે. (૩) હાલીનૃત્ય : હાલીનૃત્ય સુરત જિલ્લામાં દૂબળા આદિવાસીઓનું નૃત્ય છે. એક પુરુષ અને એક સ્ત્રી ગોળાકારમાં ગોઠવાઇને, કમ્મર ઉપર હાથ રાખીને નાચે છે. સાથે ઢોલ અને થાળી […]
કોથમીર પરાઠા બનાવવા માટેની સામગ્રી: ૪ કપ ઘઉં નો લોટ ૪ કપ મેંદો ૨ ટેબ.સ્પૂન તેલ મોવણ માટે ૨ ટેબ.સ્પૂન દહીં સ્વાદ પ્રમાણે મીઠું સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી: ૨ કપ ઝીણી સમારેલી કોથમીર ૪ નંગ ઝીણા સમારેલા મરચા ૧ ટેબ.સ્પૂન તલ ૪ ટેબ.સ્પૂન ચણા નો લોટ ૧ ટેબ.સ્પૂન શેકેલા જીરું નો પાવડર ૧ ટી.સ્પૂન લીંબુ નો રસ સ્વાદ પ્રમાણે મીઠું ૧ ટી.સ્પૂન આદું ની છીણ કોથમીર પરાઠા બનાવવા માટેની રીત: લોટ માટે: સૌ પ્રથમ મેંદો અને ઘઉં નો લોટ ભેગા કરી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું તથા તેલ નું મોવણ અને દહીં […]