ગુજરાતનાદક્ષિ‍ણ દિશા તરફ વળીએ તો પહેલો ખેડા જિલ્લો આવે. ખેડા જિલ્લો ગુજરાતનો એક સંપન્ને જિલ્લો છે. ધરતીપુત્રો ખેડૂતોની આ ભૂમિ. ખૂબ સુખી અને સમૃદ્ધ પાટીદારોની ધરતી, ખેતી ઉપરાંત આ મહત્વનું શિક્ષણક્ષેત્ર પણ ખરું. વલ્લભભાઈ પટેલ, રવિશંકર મહારાજ અને ભાઇકાકા જેવા સપૂતોની ભૂમિ. તો આવો ખેડામાં પ્રવેશ કરી પહેલાં જઈએ નડિયાદ. ખેડા જિલ્લાનું મહત્વનું નગર નડિયાદ. સરદાર વલ્લભભાઈની જન્મભૂમિ. જૂના વખતમાં હરિદાસ બિહારીદાસ જેવાઓએ પ્રજાકીય ક્ષેત્રે મોટો ફાળો આપેલો. સંનિષ્ઠા લોકસેવક અને ગુજરાત સરકારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી બાબુભાઈ જશભાઇ પટેલની રાષ્ટ્રી ય સેવા નોંધ-પાત્ર છે. સંતરામ મહારાજનું એ ધામ તો આજેય મંદિર […]

ભાવનગર જિલ્‍લામાં શેત્રુંજય પર્વતના રમણીય અને કુદરતી સૌંદર્યથી આચ્‍છાદિત વિસ્‍તારમાં જૈન ધર્મની આસ્‍થાનું સ્‍થાનક ‘પાલિતાણા’ આવેલું છે. સમગ્ર પર્વતીય વિસ્‍તારમાં ૯૦૦ જેટલા ભવ્‍ય અને નયનોને રોમાંચિત કરે તેવા દેરાસરો આવેલાં છે. સ્‍થાપત્‍ય અને શિલ્‍પકળાની બેનમૂન કલા-કારીગરી દરેક દિવાલો-છત અને ખંડોમાં ઊભરી આવી હ્યદયને રોમાંચિત કરે છે. ‘પાલિતાણા’ અદ્વિતીય કળા વૈભવ અને આસ્‍થાના સ્‍થાનક સમું છે. જે અગણિત જૈનો અને શ્રદ્ધાળું – યાત્રીકોને પોતાના તરફ આકર્ષે છે. ‘પાલિતાણા’ ના નિર્માણમાં સમય, શક્તિ અને નાણાની સાથે સાથે શ્રદ્ધાળુઓની આસ્‍થા-શ્રદ્ધાનું સિંચન દ્વારા તેનું નિર્માણ થયું હતું.. વિજય-વિલાસ પેલેસ ૧૯૦૬માં રાજા વિજયસિંહજી ગોહિલ દ્વારા નિર્માણ કરવામાં […]

જૂનાગઢથી સોમનાથ પાટણ રોડ રસ્‍તે ૯૮ કિલોમીટર છે. રેલ રસ્‍તે જવા જૂનાગઢથી વેરાવળ પશ્ચિમ રેલ્‍વેનું છેલ્‍લું સ્‍ટેશન છે. ત્‍યાંથી રોડ રસ્‍તે ૫ કિલોમીટર દુર સોમનાથ આવેલ છે. પશ્ચિમના સમુદ્ર તટ ઉપર જ્યાં સરસ્‍વતી નદી સાગરમાં મળે છે ત્‍યાંથી ભાદર સુધી નદી સુધીનો પ્રદેશ, ગીરના જંગલોમાં તુલસીશ્‍યામથી માધવપુર સુધીનો વિસ્‍તારમાં ભગવાન શંકર અતલ સુધી રહેલ હતા. અવકાશ અને પૃથ્‍વીની વચ્‍ચેના આ પ્રભામંડલમાં શિવજીની આરાધના કરવાથી પ્રભા અર્થાત તેજ-કાંતિ પ્રાપ્‍ત થાય તેવી આશા અને શ્રદ્ધાનું આ પવિત્ર સ્‍થળ તેથી ‘પ્રભાસ‘ કહેવાયું છે. પુરાણકથા મુજબ એક સમયે કલાનિધાન ચંદ્ર પોતાની ચાતુરી ખોઈ બેઠો. […]

સુદામાપુરી અથવા પોરબંદર જૂનાગઢથી રોડ સ્‍તે ૧૦૫ કિલોમીટર છે. વ્‍હાલા વાંચક પોરનો અર્થ થાય છે નાની એવી વસાહત, સમુદ્ર કાંઠાની આવી વસાહતની વસતીને પોર કહેવાય છે. આવા પોરમાં મિત્રોની અતુટ સ્‍નેહકથા, મિત્ર પ્રેમથી પાંગરેલી આ વસાહત – શહેર બનીને આજે પોર બંદરથી સુપ્રસિદ્ધ છે. અહીં એક સમયે શ્રી કૃષ્‍ણના બાલ સખા સુદામા વસતા હતા તેથી સુદામાપુરી પણ કહેવાય છે. આપણા રાષ્‍ટ્રપિતા મહાત્‍મા ગાંધીની આ જન્‍મભૂમિ છે. બાલક સુદામા અને બાલ કૃષ્‍ણ વિદ્યા અભ્‍યાસ માટે ગુરૂ સાંદીપની ઋષિના આશ્રમમાં સાથે ભણતા ખાસબાલ મિત્રો હતા.સુદામાએ વિદ્યા પ્રાપ્તિ પછી ગુરૂ પાસે અયાચક વ્રત […]

મોઢેરાથી દક્ષિ‍ણે લગભગ પંદર કિ.મી. દૂર આવેલું બહુચરાજી માતાનું મંદિર છે. સ્‍થાનક જૂનું છે અને અનેક ગીતો-ગરબાઓ-ભજનોનો વિષય બનેલું માતૃતીર્થ છે. મંદિર ભવ્‍ય છે. પુરાણું સ્‍થળ શંખલપુર પણ અહીંથી પાંચેક કિલોમીટર દૂર છે. પણ ત્‍યાં તો સામાન્‍ય મંદિર જ છે. બહુચરાજી માતાના મંદિરનું પ્રાંગણ વિશાળ છે. વાર-તહેવારે તે ભાવિકો-ભક્તોથી ઊભરાઈ જાય છે. મંદિરની બરાબર સામે એક હવન-કુંડ છે. તેની પાછળ વલ્‍લભ મેવાડાનું ઘર છે – જ્યાં તેણે બાળપણ વિતાવ્‍યું હતું. મંદિર પાસે જ માનસરોવર અને અનેક ધર્મશાળાઓ છે. બહુચરાજી ગુજરાતનું બીજું શકિતતીર્થ છે. અહીં પોતાના બાળકોના વાળ ઊતરાવવા લોકો આવે […]

ADDRESSES OF GUJARATI SAMAJ:ASSAM  

જૂનાગઢથી સતાધાર  થઈને ગીરનાં ચારે તરફ ફરતા જંગલમાં આવેલ તુલસીશ્‍યામ ૧૨૩ કિ.મી. નાં રોડ રસ્‍તે છે. તેમજ વેરાવળ કોડીનાર ઉના થઈને ૧૯૬ કિ. મી. નાં રોડ રસ્‍તે તુલસીશ્‍યામ આવે છે. આ માર્ગમાં પ્રભાસ, સોમનાથ, પ્રાચી, ગોરખમઢી વિગેરે તિર્થનાં દર્શન થઈ શકે છે.પુષ્‍પો અને હરિયાળીથી શોભતા કુદરતનાં ભવ્‍ય સાનિધ્‍યમાં તુલસીશ્‍યામનું સ્‍થાનક છે. જૂની પૂરાણ કથા એવી છે કે દિતીનો પુત્ર તલ નામનો અસુરરાજ મ‍હર્ષિ‍ ચ્‍યવન ઋષિ પાસેથી આ ક્ષેત્રમાં આવેલ તપ્‍તીકુંડમાં સ્‍નાનનો મહિમા જાણી પોતાના સાથીઓ સાથે નહાવા આવ્‍યો. અહિં સ્‍નાન કરીને તલરાજા વનની શોભા જોતો હતો ત્‍યાં એક સાલના વૃક્ષન […]

ઈસુ સનના ૧૮માં સૈકાના સમય પ્રવાહો સૌરાષ્‍ટ્ર માટે કપરા પસાર થયાનું ઈતિહાસકારો નોંધે છે. આ સમયે પ્રર્વતેલા દુષ્‍કાળથી કચ્‍છ અને સિંધમાંથી દુકાળગ્રસ્‍ત માનવ સમુદાય સૌરાષ્‍ટ્રમાં ઉતરી પડેલો અને ભુખ તરસ સંતોષવા ચારે તરફ ફરતો રહેતો. વારંવાર પડેલી કુદરતી આફતોના આ કપરા સમયમાં સોરઠના અનેક સંતોએ પોતાના સ્‍થાન અમર કર્યા છે અને દરેક માનવીને એક સરખો ગણી, નાતજાતના ભેદભાવ ન રાખવા, ભૂખ્‍યાને આશરો અને રોટલો આપવાનો, માનવીના સેવા ધર્મનું અનુકરણ કરવાનો સંદેશો આપી ગયા છે. જલારામ ભગતનું વીરપુર, ગીગા ભગતનું સતાધાર અને દેવીદાસ ભગતનું પરબ માનવ સેવાનો સંદેશો આપતા જાગતા સ્‍થાન […]

ભગવાન શ્રી દ્વારકાધીશ ની રાજધાની દ્વારકા ભગવાન રણછોડરાયની રાજધાની દ્વારકા રેલ્‍વે રસ્‍તે રાજકોટ ઓખા લાઈન ઉપર આવે છે. દ્વારકા અને હરદ્વાર ઉત્તરાંચલ રેલ સેવાથી સીધા જોડાયા છે. સોમનાથ થી દ્વારકાની સીધી બસ સેવા મળે છે. જૂનાગઢ થી પોરબંદર, હર્ષદ થઈ દ્વારકા ૨૩૦ કિલોમીટર દૂર છે. જામનગરથી ૧૪૦ કિલોમીટર દુર છે. તથા દરેક મુખ્‍ય શહેરથી એસ. ટી. બસની સેવા મળે છે. સૌરાષ્‍ટ્રની ફરતે પશ્ચિમથી દક્ષીણ અને પૂર્વમાં મહાસાગરના પાણીનો કિલ્‍લો રચાયો છે, ઉત્તરનો ખૂણો સૌરા્ષ્‍ટ્રનો ભૂમિ માર્ગ છે. ત્રણ બાજુ મહાસાગરના નિર્મળ નીર રાષ્‍ટ્રને આથડે છે. તેમાં થઇ પ્રવેશ કરવાનો દરિયાઈ […]

રામ નામમે લીન હૈ, દેખત સબમેં રામ તાકે પદ વંદન કરૂ, જય જય જલારામ જલારામ ભગતનું વીરપુર માનવસેવાનું ધર્મનું આ જાગતુસ્‍થાન જૂનાગઢથી પ૦ કિલોમીટર છે. રાજકોટ – જૂનાગઢનાં માર્ગ ઉપર ગોંડલ પાસે આવેલ છે. જૂના સમયની આ વાત છે. ગરવો ગઢ ગિરનાર સાધુસંતોનું સિદ્ધક્ષેત્ર છે, તેથી અનેક મહાત્‍માઓની વીરપુરના આ ઈષ્‍ટમાર્ગે આવ – જાવ થતી રહેતી હતી. આ સાધુસંતો ગામમાં કોઈને કોઇ શ્રદ્ધાવાન ગૃહસ્‍થ પાસે સીધુ-સામાનની માંગ કરતા. એ સમયે યાંત્રિક વાહનો હતા નહી, માત્ર પગે ચાલીને જ લોકો યાત્રા પ્રવાસ કરતા હતા. ત્‍યારે આજથી બસો વર્ષ પહેલા સોરઠની આ […]

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors