મોટામાં મોટો ગુરૂ કોણ? * વિવેક.
વિશ્વ શું છે? *ભગવત્શક્તિની નિરંતર રમણા
શાશ્વત ધર્મ કયો ? * સ્વધર્મ. * અન્ પ્રાણીઓના દુઃખથી દુઃખી થવું. * અન્યના આનંદમાં આનંદ માણાવો. * પોતે પોતાને ઓળખેતે. * વ્યક્તિના વિકાસને વેગ આપનાર શક્તિ,નિયમ કે સિદ્રાંત.
ધ્યાન ધરવું એટલે શું ? * ધારણાનો વિષય હોય તેમાં મન સંપુર્ણ તલ્લીન અથવા એકરુપ થઈ જાય. * ધારણાના વિષય સિવાય મનમાં અન્ય કોઈ વસ્તુનો પ્રવેશ ન થાય. * ધ્યાન કરનાર અને ધ્વેય-પદાર્થ સિવાય બીજી કોઈ વસ્તુની હાજરી ન રહે તે ધ્યાન.