અભ્યાસમાં મહત્વના અંગ કયાં? * નિત્યપણૂં. * નિયમિતપણૂં.
ભારતમાં ચૌદ પ્રયાગ છે તેમાં દેવપ્રયાગનું સ્થાન બીજુ છે ગંગાનું મૂળ ઉત્તરાંચલ રાજ્યમાં હિમાલયની ગંગોત્રી હિમનદીમાં છે. શરુઆતની નદીને ભાગીરથી કહેવાય છે. દેવપ્રયાગ નજીક તે અલકનંદા નદીને મળે છે. આ બેય નદીના સંગમ પછી તે ગંગા નદીને નામે ઓળખાય છે. નગાધિરાજ હિમાલયમાં પુરાણપ્રખ્યાત પુણ્યપ્રદેશ અવર્ણનીય છે દેવપ્રયાગની દૈવી ભૂમિ મને સર્વપ્રકારે સુખદ અને સાનુકૂળ છે
કાળજીપ્રુર્વક શું સાચવવું ? * વર્તમાનકાળ.
વ્યવહાર કરવાની ઉત્તમ રીત કઈ ? * વ્યવહાર પરમાત્માનો જ છે એમ સમજીને જ કરવો જોઈએ.
યોગમાર્ગમાં પ્રાધાન્ય શું? * ધ્યાન.
મનને શેનો રોગ લાગુ પડે છે? * શેખચલ્લીપણાનો. * દશ્યસૃષ્ટિનો. -જગતના પદાર્થો જોઈ મન ચંચળ અને વિક્ષિપ્ત બને છેમનની આકાંક્ષાઓ આકાશ જેટાલી અનંત બને છે અને હાથમાં હવાના બાચકા સિવાય કાંઈ આવતું નથી.આથી મન શિથિલ અને નાસીપાસ થઈ માંદલું બની જાય છે.
ઉત્તમ કોને માનવું ? * અનાયાસે આવી મળે તેને.