સર્વોતમ પરાક્રમ કયું ? * દેહભાવથી અલગ રહેવું તે. * અંતકાળ સુધી નિષ્પાપ જીવન જીવવું. * \’હુ\’નો-અહમનો હરિમાં લય કરી દેવો અથવા આત્મસાક્ષાત્કાર કરવો. * વિચાર,વાણી અને વર્તનમાં એકરૂપતા રાખવી. * જેવા છીએ તેવા દેખાવું.

સંકટ આવે ત્યારે શું કરવું ? * સામનો કરવો. * ભાગવું નહી,પરિસ્થિતિ અંગે જાગી જવું. *સંકટને બરાબર સમજી તેનો ઉપાય શોધવો અને હિંમત હાર્યા વગર સંકટને પડકારવું. * નાસીપાસ થયા વિના તેમાંથી બહાર નીકળવાનો અવિરત પુરુષાર્થ કરવો.

કોના પર વિશ્વાસ ન મૂકી શકાય? * અહંકાર ઉપર.

કઈ વ્યક્તિ નિષ્ફળતા સામે ઝુઝી શકે ? * પુરુષાર્થ અને પરમાત્માની કૃપામાં અટળ વિશ્વાસ રાખનાર વ્યક્તિ.

ગુરૂ કોને કહેવાય ? * ગૂચવાડો મટાડે. * ગુ=અંધકાર રૂ=પ્રકાશ. જે અંધકાર ઉલેચી નાખે અને પ્રકાશ ભરી દે તે ગુરૂ. * આજ્ઞાનનો નાશ કરે અને જ્ઞાનની જયોત પ્રગટાવે તે ગુરૂ. * જે માર્ગદર્શન આપે પણ બોજારૂપ ના બને તે.

ખરો ગરીબ કોણ? * નબળા વિચારો કરે તે. * પોતાની પાસે જે સંપતિ હોય તેનો પણ યોગ્ય ઉપયોગ ન કરી શકે તે. * જેનું હૃદય આદ્ર નથી તે.

આ પૃથ્વી પર મોટી ધટના કઈ લાગે છે ? શાશ્વત તત્વોનો નાશવંત એવા શરીરમાં પ્રવેશ અને સમય પુરો થયે એનો ત્યાગ.

સૌન્દર્યને પામવા કયાં ગુણો આવશ્યક છે ? * ઉદારતા. * ત્યાગની ભાવના. * નિર્દોષ જીવન. * ભાવુક્તા- આશ્રર્યના ભાવની હાજરી. * ઉદાસીન વ્રુતિ અથવા ઇન્ટ્રિયો પરનો સંયમ.  

વિપત્તિમાંથી બહાર નીકળવાનો માર્ગ કયો ? * નિરાશ ન થવું. * હિંમત રાખવી. * ધૈર્ય રાખવું. * કર્તવ્ય કર્યા કરવું.

મનુષ્યને સૌથી વધુ કોણ સતાવે ? * ભૂખ

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors