મન કયારે નિર્મળ થાય? * વાસના રૂપી મળ નાશ પામે ત્યાર્.
મનુષ્યનું આત્મબળ કયારે વધે?
ભ્રારતીય સંસ્કૃતિ અને સંસ્કારીતાની પુજનીય પૌરાણિક સ્ત્રીઓ સંસ્કૃતિ અને સંસ્કારીતા ભારતની ધરોહર છે,જે વિશ્વભરમાં ફેલાયેલી છે. ભારતમાં પ્રાચીન સમયથી સ્ત્રીને સન્માનની ભાવનાથી જોવામાં આવે છે.આપણા મહાન ગ્રંથો,વેદો,ઉપનિષદો જેવા કે રામાયણ અને મહાભારતમાં પણ નારી શક્તિનો મહિમા ગાવામાં આવ્યો છે.તે સમયમાં પણ સ્ત્રીઓ સાથે અત્યાચાર નહોતા થતા તેવુ નહોતુ પણ પોતાની અદ્રુત શક્તિને કારણે તે સ્ત્રીઓએ પુરુષને નમાવ્યા તો ક્યાંક તેણે પતિવ્રતા પત્ની તરીકે પતિનો સાથ આપ્યો,અગ્નિ પરીક્ષાઓ આપી તો કોઈક દ્રૌપદી પાંચ પતિની એક પત્ની તરીકે અંકિત થઈ તો તારામતી અને અરુંધતી જેવી નારીઓએ પતિના કદમ સાથે કદમ મિલાવ્યા.જ્યારે રાધા […]
મનુષ્યને તૃષ્ણા દોરી રહી છે કે પરમશક્તિ તેની શી રીતે જાણ થાય? * તૃષ્ણા દોરી રહી હોય ત્યારે સ્વાર્થ જન્ય વાસનાઓ પ્રદીપ્ત થાય આશક્તિની માત્રા વધે;આસુરી ગુણો વર્ધમાન થાય ઇન્દ્રિયો સક્રિય બને. * પરમશક્તિ દોરતી હોય ત્યારે વાસનાઓનો ક્ષય થાય,ાનાશક્તિ સ્થિર રહે;દૈવી ગુણોનો ઉદય થાય; આનંદ માટે ઇન્દ્રિયોનો આશ્રય ન લેવો પડે.
ખરો વીર પુરુષ અથવ વીરાંગના કોને કહેવાય? * વ્યભિચારથી બચી જાય તે. * જેની વીરતાના મુળમાં અભિમાન કે આવેશ ન હોય પણ વિવેક હોય. * જે મૃત્યુના ભયનો સામનો કરી શકે? * શરીર અને પ્રાણ માટેની જેની આસ્જક્તિ ચાલી ગઈ હોય. * જે અન્યાય અને અત્યાચારની સામે નિર્ભય બની સંધર્ષ કરે.
મનુષ્યત્વ કયારે ખીલી ઊઠે છે? * માનવતાથી. * સ્વાર્થ રહિતસેવાથી.
મનુષ્યે પ્રથમ કઈ સાધના કરવી જોઈએ? * પોતાની માનસિક દુર્બળતા દુર કરવાની.
પૈસા…પૈસા…પૈસા… પૈસા…પૈસા…પૈસા… અરે હા ભાઈ રૂપિયા રૂપિયા રૂપિયા આ જગતમાં જયાં જુઓ ત્યાં સહુને વહાલા પૈસા…પૈસા…પૈસા.. જન્મ થયો બાબાનો,ત્યાં નર્સે માગ્યા પૈસા. સાંસરિયામાં કહેવા ગયા,ત્યાં વધામણીના પૈસા જોષી જુએ જન્મકુંડળી દેવા પડતા પૈસા…પૈસા…પૈસા.. ભણવા માટે નિશાળે ગયો ડોનેશનના પૈસા નોટ,પેન્સિલ,ચોપડીના દેવા પડતા પૈસા ભણીગણિને પાસ થયા ત્યાં પાર્ટીના પણ પૈસા ઊચે હોદે મળી નોકરી સાહેબને ખુશ કરવાના પૈસા સ્કુટર લાવ્યા,ગાડી લાવ્યાદઈ પૈસા લાડકોડમાં લાડી લાવ્યા,વરધોડાના પૈસા તીરથધામે તીરથ કરતા પંડા માગે પૈસા દર્શન કરતા દીનબંધુના,ભેટપુજાના પણ પૈસા પ્રસાદ લેવા પહોચ બતાવો,પહેલા ભરીને પૈસા ધડપણ આવ્યુ તબિયત બગડી,ડોકટર માગે પૈસા […]
* ભગવાનની પાસે મે મનની શકિત માગી તો એણે મને મુસ્કેલીઓ આપી જેથી કરીને હુ વધારે શક્તિશાળી અને મજબુત બની શકુ * ભગવાન પાસે મે જ્ઞાન અને ડહાપણ માગ્યા તો એણે મને જીંદગીની કેટલીક ગુચો ઉકેલવાનું કામ સોપી દિધુ મારી જીદગીમાં એણે એવા પ્રશ્નો ઉભા કર્યા કે જેનો ઉકેલ ખોળી કાઢવામાં ડહાપણ એની મેળે જે આવી જાય. * ભગવાન પાસે મે સમૃધ્ધિ માગી તો એણે મને કોઠાસુઝ અને બુધ્ધિ આપ્યા જેથી કરીને હુ આપમેળે સમૃધ્ધિના શિખરે પહોચી શકુ. * ભગવાન પાસે મે હિંમત માગી તો એણે મને વિટંબણાઓ અને ભય […]
શરીરનું વજન અને કામેચ્છા વચ્ચેનો સીધો-આડો સંબંધ માનવ મન એટલું ચંચળ છે બે ઘડીમાં તો માનવીનું મન વિશ્વનો પ્રવાસ કરી આવે છે. આ વિચારો આપણી સેક્સ લાઈફને મંદ બનાવી દે છે. પરંતુ મોટાભાગે આપણે થોડા સમય માટે આ વિચારોને હડસેલો મારી જિંદગીના પરમ આનંદની તૃપ્તી માણી લઈએ છીએ. કેટલાકં વિચારો એવા છે કે ગમે તેટલો પ્રયત્ન કરીએ તો પણ કેંડો મુકતા જ નથી વધુ પડતાં વજનનો વિચાર આપણી કામોત્તેજના પર ઠંડંગાર પાણી રેડી દે છે. સંશોધને સાબિત કર્યું છે અને કેટલીક વાર વ્યક્તિ ગલત સમયે પણ આ વિચારો કરતી […]