About: Jitendra Ravia

Jitendra Ravia

Bio:Indian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.
Website:


મૃત્યુનો ભય કયાં સુધી લાગે છે? * જયાં સુધી જીવન પ્રત્યેનું આસર્ષણ છે. * જિજીવિઆ છે-જીવવાની ઇચ્છા છે. * સંસાત પ્રત્યેની વાસના છે.

ઝઘડીયા ઝઘડીયા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ભરૂચ જિલ્લા નો મહત્વનો તાલુકો છે. આ તાલુકાની મોટાભાગની વસ્તી આદિવાસી ઓની છે.  

વાગરા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાનું મુખ્યમથક છે. અહીંથી દહેજ થી ભરૂચ જતો રાજ્ય ધોરી માર્ગ પસાર થાય છે. વળી આમોદ, જંબુસર , દહેજ સાથે રાજ્ય ધોરી માર્ગ વડે વાગરા જોડાયેલ છે. અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, વેપાર, નોકરી અને પશુપાલન છે, જે પૈકી મુખ્ય ખેતી કપાસ તેમ જ તુવરની થાય છે. ઔદ્યોગિક ક્ષેત્રે આ તાલુકામાં આવેલો દહેજ–ગંધાર વિસ્તાર ખૂબ જ ઝડપથી વિકાસ કરી રહ્યો છે, જેનું મુખ્ય કારણ દહેજ ખાતેનું કુદરતી બંદર છે. વાગરા- વિકિપીડિયા માંથી

જંબુસર દક્ષિણ ગુજરાતના ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાનું મુખ્યમથક છે. અહીંથી કાવી, ભરૂચ તથા બોરસદને જોડતો મુખ્ય રાજ્ય ધોરી માર્ગ પસાર થાય છે. વળી વડોદરા, પાદરા, પાલેજ, ભરૂચ, દહેજ સાથે રાજ્ય ધોરી માર્ગ દ્વારા જંબુસર જોડાયેલું છે. અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી અને પશુપાલન છે, જે પૈકી મુખ્ય ખેતી કપાસની થાય છે. જંબુસર તાલુકાનાં કંબોઇ ગામમાં પ્રખ્યાત યાત્રાધામ સ્તંભેશ્વર મહાદેવ આવેલું છે. આ ઊપરાંત જંબુસરથી ૨ કિ.મી.નાં અંતરે ભાણખેતર તથા ડાભા ગામમાં શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીની બેઠક આવેલી છે જે પ્રસિધ્ધ વૈષ્ણવ યાત્રાધામ છે. જંબુસર- વિકિપીડિયા માંથી

ભરૂચ ભારત દેશની પશ્ચિમે આવેલાં ગુજરાત રાજ્યના ભરૂચ જિલ્લાનું આશરે ૧૦ લાખથી વધુ વસ્તી ધરાવતું એક શહેર છે, જે આ જિલ્લાનું વડુંમથક પણ છે અને દરિયાઈ બંદર છે. જુદા-જુદા કાળ દરમ્યાન અવિરત પણે પૂર્વ અને પશ્ચિમનાં દેશો વચ્ચે તેજાના અને રેશમનાં વહાણમાર્ગમાં અગત્યનાં વેપારી મથક તરિકે ટકી રહ્યું હોવાથી ઇતિહાસમાં તે અનેકવિધ નામોથી જાણીતું છે, જેમકે ભરાકચ્છ, ભૃગુકચ્છ, બ્રૉચ અને ભરૂચ. બ્રિટિશરો અનેક ભારતીય શબ્દોનો ઉચ્ચાર સ્પષ્ટપણે નહોતા કરી શક્તાં અને માટે તેમણે મૂળ નામોને પોતે ઉચ્ચારી શકે તેવા નામોથી ઓળખવાનું રાખ્યું હતું, આજ પરંપરા હેઠળ અન્ય અને અનેક શહેરોની […]

કલોલ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ગાંધીનગર જિલ્લાના મહત્વના તાલુકા કલોલ તાલુકાનું નગર છે જે આ તાલુકાનું મુખ્ય મથક પણ છે. ભારતની ૨૦૧૧ની વસ્તી ગણતરી અનુસાર કલોલની વસ્તી ૨,૦૭,૬૯૩ છે. ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ પુરુષ સાક્ષરતા દર ૬૬.૭૧% જ્યારે સ્ત્રી સાક્ષરતા દર ૪૨.૯૨% છે. કલોલમાં, 13% વસ્તી 6 વર્ષથી ઓછી વયની છે. ૨૦૦૧ની વસ્તી ગણતરીમાં પુરુષોની વસતી ૫૪ ટકા અને સ્ત્રીઓ ૪૬ ટકા હતી. કલોલનો સરેરાશ સાક્ષરતા દર ૬૮% હતો જે રાષ્ટ્રીય સરેરાશ ૫૯.૫% કરતાં વધારે છે. કલોલ મુખ્ય રેલવે લાઈન પર આવેલું છે કે જે અમદાવાદને જયપુર, […]

દહેગામ તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ગાંધીનગર જિલ્લાનો મહત્વનો તાલુકો છે. દહેગામ આ તાલુકાનું મુખ્ય મથક છે. ૨૦૦૧ ભારત જનગણના[૧] ના સમયમાં, દહેગામ નગરમાં ૩૮,૦૮૩ લોકોની વસ્તી હતી. જેમાં પુરુષોની જનસંખ્યા ૧૯,૮૮૩ અને મહિલાઓની જનસંખ્યા ૧૮,૨૦૦ જેટલી છે. દહેગામ નગરનો સાક્ષરતા દર ૬૫% જેટલો છે, જે રાષ્ટ્રના સાક્ષરતા દર ૫૯.૫% કરતાં વધારે છે. આ પૈકી પુરુષ સાક્ષરતા દર ૭૩% છે તેમ જ મહિલા સાક્ષરતા દર ૫૮% જેટલો છે. દહેગામ નગરની જનસંખ્યાના ૧૪% વસ્તીની ઉંમર ૬ વર્ષથી ઓછી છે. અહીં કોઈ વિશેષ જાતિ એટલી સંખ્યામાં નથી, જે આ […]

માણસા તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ગાંધીનગર જિલ્લાનો મહત્વનો તાલુકો છે. માણસા આ તાલુકાનું મુખ્ય મથક છે. માણસા નગરનો વહીવટ નગરપાલિકા દ્વારા કરવામાં આવે છે. આ ઉપરાંત માણસા તાલુકામાં ૪૮ ગામડાંઓ તેમ જ ૬૧ ગ્રામ પંચાયતો આવેલી છે. માણસા- વિકિપીડિયા માંથી

ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્રના સાગરકાંઠે સોમનાથનું ભવ્ય મંદિર આવેલું છે. ભગવાન શીવજીના ૧૨ પવિત્ર જ્યોતિર્લિંગમાનું એક જ્યોતિર્લિગ અહીં સોમનાથમાં છે. સોમનાથનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ થયો છે. મંદિરની ખ્યાતિથી લલચાઈને લુંટ તથા ધર્માચરણ કરવાને ઈરાદે આવેલા અનેક વિનાશકારી વિદેશી આક્રમણકારો સામે સોમનાથનું આ મંદિર અડીખમ રહ્યું છે. મંદિરનો જ્યારે જ્યારે વિનાશ કરવાનો પ્રયત્ન થયો છે ત્યારે ત્યારે તેને ફરીને બાંધવામાં આવ્યું છે. સોમનાથનું પહેલું મંદિર ૨૦૦૦ વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવ્યું હોવાનું કહેવાય છે. ઇ.સ. ૬૪૯ની સાલમાં વલ્લભીના રાજા મૈત્રકે પહેલાં મંદિરનો જીર્ણોદ્ધાર કરી તેના સ્થાને બીજું મંદિર બનાવ્યું. ૭૨૫ની સાલમાં સિંધના આરબશાશક […]

માંગરોળ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લાના મહત્વના માંગરોળ તાલુકામાં આવેલું નગર છે જે આ તાલુકાનું મુખ્ય મથક પણ છે. માંગરોળ માછીમારી ઉધોગનુ મહત્વનું બંદર છે. અહીં ઘણી ફીશરીઝ આવેલ છે જે યુરોપિયન દેશોમાં નિકાસ કરે છે. અહીં પ્રખ્યાત શિક્ષણ સંકુલ શારદાગ્રામ તથા પારસનાથ પ્રભુનું ૮૦૦ વર્ષ જૂનું દેરાસર આવેલું છે. માંગરોળ- વિકિપીડિયા માંથી

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors