મૂળ ગુજરાતી નામ નૌરિન. માતા – પિતા મહારાષ્ટ્રના પુણેનાં , જન્મ ન્યૂયોર્કમાં, ઉછેર જયોર્જિયાના સ્ટોન માઉન્ટ ખાતે થયેલ છે. તો તેનો અભ્યાસ બોસ્ટન યુનિવર્સિટીમાં થયો છે. તેની માનીતી ફિલ્મો, સીતા ઔર ગીતા, સત્યમ્ શિવમ્ સુંદરમ્ તથા કુલી. તે સિવાય ઘણી હિંદી ફિલ્મો તેની પહેલી પસંદ છે. તે ગુજરાતી, હિંદી, ઉર્દૂ બહુ સારી રીતે બોલી શકે છે. નૌરિન ડેવલ્ફ ગુજરાત પરિવારની મુસ્લિમ યુવતી છે. હોલિવૂડમાં તેનું નામ નોરિન ડેવુલ્ફ છે. હોલિવૂડમાં તે જેનિફર લોપેઝ સાથે કામ કરી ચૂકી છે. તે ધ બેક અપ પ્લાનમાં જે.લો. સાથે ચમકી છે. વલી તે બોલિવૂડમાં […]
સાબરમતી નદીએ કાંઈ કેટલાય રંગ જોઈ નાખ્યા. અમદાવાદ ઉપર સુલતાન, મોગલો, મરાઠા, અંગ્રેજો વગેરેનું રાજય આવ્યું અને ચાલ્યું પણ ગયું. જયારે અમદાવાદ ઉપર મરાઠાનું શાસન ચાલતું હતું ત્યારે શહેરમાં વારંવાર તોફાનો થતાં ઈ.સ.૧૭૫૫થી ૧૮૧૭ દરમિયાન મરાઠા પેશ્વાના સૂબા અને ગાયકવાડ એમ બે ભાગમાં વહેંચાયેલી મરાઠી સત્તામાં અમદાવાદના લોકોને મોટેભાગે વેઠવાનું જ આવ્યું. જાતજાતના શોખ પૂરા પાડવા મરાઠાઓ પ્રજાને કરવેરા નાખી નાખીને લૂંટતા. શહેરની કોઈ વ્યક્તિ ગુજરી જાય ત્યારે તેની વારસાઈ સંપત્તિ તેના પુત્ર પૌત્રોને મેળવવામાં પુષ્કળ તકલીફ પડતી. તે માટે ત્યારે કર ચૂકવવો પડતો. જેને વારસામાં માત્ર પુત્રીઓ જ હોય […]
એક નૂર આદમી, હજાર નૂર નખરાં લાખ નૂર ટાપટીપ માણસ વસ્ત્રોથી ખૂબ શોભી ઊઠે છે. તેમાંય જો તેના દેહને અનુરૂપ રંગોની મેળવણી વાળું વસ્ત્ર હોય તો ક્યા કેહના ? જેમ પાટણનાં પટોળાં પ્રખ્યાત છે. જેમ સુરતનું જરીકામ પ્રખ્યાત છે, જેમ અમદાવાદનું સુતરાઉ કાપડ પ્રખ્યાત છે તે જ રીતે કચ્છી બાંધણી બેજોડ છે. કચ્છી બાંધણી દેશમાંજ નહીં પરદેશમાં પણ ખૂબ લોકપ્રિય બની છે બાંધણી ઉપરની તમામ ડિઝાઈન રંગોની મેળવણી વગેરે કચ્છનું જ નહીં સમગ્ર ગુજરાતનું ગૌરવ છે. કચ્છી બાંધણી દેશમાંજ નહીં પરદેશમાં પણ ખૂબ લોકપ્રિય બની ગઈ છે. બાંધણી ઉપરની તમામ […]
સામગ્રી : વધેલા ભાત,દહીં (ભાતના પ્રમાણે), ઘઉંનો લોટ (ભાતના પ્રમાણે), લાલ ટામેટું : ૧ ઝીણું સમારેલું, લીલાં મરચાં : ૨ ઝીણાં સમારેલાં, મસાલો : બધો પ્રમાણસર (હળદર, મીઠું, લાલ મરચું, ધાણાજીરું) કોથમીર : ૨ ચમચા ઝીણી સમારેલી,તેલ. રીત : એક વાસણમાં ભાત લઈ, ભાત દહીંમાં ડૂબે તેટલું દહીં નાખી ભાત રહેવા દેવો. જ્યારે પુડલા બનાવવાના હોય ત્યારે હાથથી છૂટા પાડી તેમાં પ્રમાણસર ઘઉંનો લોટ નાખી તેમાં બધો મસાલો અને ટામેટું અને કોથમીર અને લીલું મરચું નાખી પ્રમાણસર પાણી નાખી પુડલા માટેનું ખીરું તૈયાર કરવું. હવે ગરમ કરેલા તવા ઉપર તેલ […]
સૂર્યના ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશને ઉત્તરાયણ માનવામાં આવે છે. સૂર્યના આ રાશિપરિવર્તનને મકર સંક્રાંતિ કહેવામાં આવે છે. મકરસંક્રાંતિનું પર્વ સમગ્ર ભારતમાં ખૂબ જ શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવે છે. જો કે દરેક પ્રદેશમાં તેનું અલગ અલગ નામ છે. અને ઉજવણીની રીત પણ જુદી જુદી છે. હિંદુ ધર્મમાં દરેક માસને બે ભાગમાં વહેંચવામાં આવે છે. એક પક્ષ સુદ તો બીજો પક્ષ વદ છે. એ જ રીતે વર્ષના પણ બે ભાગ પાડવામાં આવ્યા છે. પહેલો છે ઉત્તરાયણ તથા બીજો છે દક્ષિણાયન. આ બંને અયન મળીને એક વર્ષ થાય છે. મકરસંક્રાંતિને દિવસે સૂર્ય પૃથ્વીની […]