ભયમાંથી મુકત થવા શું કરવું ?

ભયમાંથી મુકત થવા શું કરવું ? * આત્મવિશ્વાસ કેળવવો. * જે બાબત ભય નિર્માણ કરતી હોય તેનું પૃથ્થકરણ કરવું વધારેમાં વધારે કેટલું ખરાબ કે હાનિકારક બની શકે એ બરાબર સ્પષ્ટ થઈ જશે પછી એ કેટલું ભયજનક નહી લાગે. * જેનાથી મન વિશેષ પરિચિત થઈ ગયું હોય એ વિશેષ ભયપ્રેરક ન રહી શકે. * જેનાથી ભય લાગતો હોય તેનાથી ભાગવાને બદલે વારંવાર એ બાબત કરવી તેનાથી નિર્ભય થઈ જવાય ત્યાં સુધી કર્યા કરવી. * સતત કાર્યશીલ રહેવું,નવરુ મન ભય નિર્માણ કરે છે. * ભયનું ઉદભવસ્થાન મન છે; એટલે મનને મજબુત કરવાથી […]

મનુષ્ય દુન્યવી પદાર્થો પ્રત્યે કેમ આકર્ષાય છે ?

મનુષ્ય દુન્યવી પદાર્થો પ્રત્યે કેમ આકર્ષાય છે ? * તેમની વિવિધતા અને સુદરતા જોઈએ. * આંતરિક સમૃધ્ધિનો સ્પર્શ થયો નથી એટલે.

સાચી લક્ષ્મી ખરેખર કયાં વાસ કરે છે ?

સાચી લક્ષ્મી ખરેખર કયાં વાસ કરે છે ? * જયાં ધર્મ છે. * સત્ય છે. * તેજસ્વિતા છે. * ઉદારતા છે. * વ્રત,શક્તિ અને શીલ અથવા ચારિત્ર છે,

વ્યવહાર કરતી વેળા શું ધ્યાનમાં રાખવું ?

વ્યવહાર કરતી વેળા શું ધ્યાનમાં રાખવું ? * કશું કાયમી માનીને વ્યવહાર ન કરવો.

અશાંતીથી બચવા શું કરવું?

અશાંતીથી બચવા શું કરવું? * જે કાંઈ બની રહ્યુ છે તે કર્મના નિયમાનુશાર બરાબર છે એવો ભાવ કેળવવો. * જે આવી મળૅ તેને ચલાવી લેવું અથવા પ્રિય ગણી લેવું. * સ્થળ-કાળ-પરિસ્થિતિ-ધટનાને અનંતગણા અનુકુળ માની લેવાં. * ગમા- અણગમાના પ્રદેશમાં પ્રવેશ ન કરવો.

સંસારરુપી સાગર કોણ તરી જાય છે ? સંસારરુપી સાગર કોણ તરી જાય છે ?

સંસારરુપી સાગર કોણ તરી જાય છે ? * જે અનાસકત છે. * જે કોઈપણ પદાર્થ કે વ્યક્તિ પરત્વે મમત્વ રાખતો નથી. * જે સત્વ,રજસ અને તમસ એ ત્રણેય ગુણોથી પર થઈ જાય છે. * કર્મનો ફળ અને કામ્ય કર્મોનો ત્યાગ કરી દ્રન્દ્રાતીત થઈ જાય છે. * સંતોની સેવા કરે છે. * કેવળ ભગવત-પ્રેમમાં લીન રહે છે. * જેનું અન્તઃકરણ નિર્મળ થઈ ગયું છે અથવા જેની ચિતશુધ્ધિ થઈ ગઈ છે. http://goo.gl/vN2DT2

વિપતિના સમયે આપણને કોણ ટકાવી રાખે છે?

વિપતિના સમયે આપણને કોણ ટકાવી રાખે છે? * અપાર ધીરજ. * ધર્મમાં દઢ નિષ્ઠા. * અનુભવી પુરુષોના ઉત્તમ ગ્રંથોનું મનન-ચિંતન. *વિવેકબુધ્ધિનો ઉપયોગ. * પોતા પરની શ્રધ્ધા. * નિશ્ચયબળ અને * પરમતત્વ પ્રત્યેની અવિચળ આસ્થા.

છેતરપિંડી કોને કહેવાય?

છેતરપિંડી કોને કહેવાય? * કપટને. * હોય કંઈક અને કહેવું કંઈક. * બતાવવું કંઈક અને આપવું કંઈક. * બોલવું કંઈક અને આચરવું કંઈક.

ખરો જ્ઞાની કોણ ? ખરો જ્ઞાની કોણ ?

ખરો જ્ઞાની કોણ ? * પોતાને અને પરમાત્માને તેમ જ જીવ અને પ્રક્રુતિને ઓળખે તે. * પોતે આત્મા છે પણ દેહ નથી એવો નિશ્ચય જેનામાં હોય તે. * જેનું જ્ઞાન આચરણમાં પરિણત થયું છે તે. * જીવન અને જગત વિશેની સાચી સમજ પ્રાપ્ત કરી તે પ્રમાણે જીવે તે. * તત્વમાં રમમાણ રહે તે. * જ્ઞાન અને કર્મમાં ભેદભાવ ન કરે તે. * જ્ઞાન દ્રારા કર્મના બંધન છેદી નાખનાર. * જગતને સમદષ્ટિથી જોનાર. * જે પરમાત્મામાં જીવે છે, પરમાત્મા સાથે જીવે છે અને પરમાત્મા માટે જીવે છે તે ખરો જ્ઞાની છે. […]

પશુબુધ્ધિ કોને કહેવાય?

પશુબુધ્ધિ કોને કહેવાય? * ‘હું’અને ‘મારા’માં રચ્યાપચ્યા રહેવું. * અહંતા-મમતામાં નિમગ્ન રહેવું. * સ્વાર્થને કેન્દ્રમાં રાખી વિચારવું. * સુખને સત માની લેવું.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors