દિવ્યતા ભણી જવાનું પ્રથમ પગથિયું કયું? * પ્રેમ.

અનુભવજ્ઞાન કોને કહેવાય? * આચરણ દ્રારા પ્રાપ્ત થયેલ જ્ઞાનને. સૂક્ષ્મ બાબતો કયારે સમજાય? * બુધ્ધિ એકગ્ર,નિર્મળ અને સત્યાનુસંધન કરનારી બને ત્યારે.

પરમહંસ કોને કહેવાય? * દંડને ધારણા કરનાર. * મસ્તક મૂડાવી નાખનાર. * યજ્ઞોપવીત વગરના. * વેદોકત વર્ણાશ્રમ કર્મો ત્યજી દેનાર. * આત્મામાં જ સ્થિતિવાળા. * પરમ બ્રહ્મનો સાક્ષાત કરનાર.

પૂર્ણમ અદઃ પૂર્ણમ ઇદમ્નો અર્થ શું? * ઇશાવાસ્ય ઉપનિષદના આ શાંતિમંત્રનાં વિવિધ અર્થધટનો થયાં છે.આ મંત્રમાં પરમાત્માની પરમ સત્તાનો પૂર્ણતાનો સંકેત લાગે છે.ી સત્તામાથી ગમે તેટલી સત્તા લઈ લેવામાં આવે તો પણ તેમાં કદી ધટાડો થતો નથી કારણ કે સત્તા એ પરમાત્માનો ધર્મ છે.

લોભને કોણ શાંત કરી શકે? * પૂર્ણતાનો અનુભવ. * સંતોષ.

લોભના પાયામાં શું છે ? * વર્તમાનકાળ અને ભવિષ્યકાળ માટેનો ભય. * વસ્તુ પ્રત્યેનો મોહ. * પરિગ્રહનો ભાવ ાને ભવિષ્ય પ્રત્યે અવિસ્વાસ.

દરેકમાં પરમાત્મા છે એમ કહેવા પાછળન હેતું શો છે? * દ્રન્દ્ર ટાળવાનો.દરેકમાં પરમાત્મા છે એટલે કે પરમાત્માની સત્તા કામ કરી રહી છે એમ સમજવું. * બધું જ બ્રહ્મરુપ છે એમ જુએ તેજ સાચુ જુએ છે. * દરેકમાં પરમાત્મા છે એમ સમજવાથી દરેક પ્રત્યે પુજયભાવ રહે છે.પુજયભાવનો મોટો લાભ એ છે કે જેમના પ્રત્યે પુજયભાવ હોય તેમના માટે વિકાર,પ્રમાદ કે આળસ ન રહે. * દરેકમાં પરમાત્મા છે,પણ દરેક પરમાત્મા નથી એવું કહ્યુ છે તેનો પણ અર્થ સમજવા પ્રયત્ન કરવો.

મોહ  પર વિજય કયારે મળે ? * વાસ્તવિકતા સમજાય તો. * વસ્તુ કે વ્યક્તિની પકડ ઢીલી થાય તો. * આત્મ નિર્ભય થવાય તો. * સ્વંતંત્ર થવાય તો.

કામ,ક્રોધને વશ કરવાનો ઉપાય શું ? * દેહથી છુડા રહી વિચારવું. * પોતાની ઉન્દ્રિયોને વશ કરવી તેને લીધે મતિ શુધ્ધ અને સ્થિર રહી શકે છે.

ક્રોધ એટલે શું ? * ગુસ્સો,ઉશ્કેરાટ. * ધાર્યુ ન થવાથી કે ન મળવાથી થતો રોષ. ક્રોધ શુ કરે છે ? * સમજણનો છેદ ઉડાદે છે. * વિચારનો દરવાજો બંધ કરે છે અથવા વિચાર શક્તિનો દિપક બુજાવી દે છે. * જીભને ઉતેજે છે અને આંખો પર પડદો ઢાંકી દે છે. * પોતાને અને અન્યને બાળે છે. * આનંદને નષ્ટ કરે છે અને પોતાની શક્તિઓને ક્ષીણ કરે છે.

jeevanshailee-requirement-ad
 
itinerary plus
Price 799 Rs.
 
itinerary plus
Price 599 Rs.
 
travel gujarati
Price 399 Rs.
 
 
 
market decides
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors