શીલવાન મનુષ્યનાં લક્ષણો કયાં ? * મોટા પ્રત્યે વિનય. * નાના પ્રત્યે કરુણા. * સમાન પ્રત્યે સમભાવ. * અન્ય પ્રત્યે ઉદાર અને મુદુ વ્યવહાર. * અન્યની ભાવના લક્ષ્યમાં રખી વર્તવું. * પોતાની કિર્તિનો કે પોતાના સ્વાર્થનો વિચાર ન કરતાં અન્યનાં સુખ અને કલ્યાણનો નિરંતર વિચાર.

આંતરીકશક્તિ ખીલવવા મનુષ્યે કઈ બાબતો ધ્યાનમાં રાખવા જેવી છે? * બ્રહ્મચર્ય. * અંદરની શક્તિઓને ઓળખી તેનો યોગ્ય સમયે અને ઉચિત સ્થાને ઉપયોગ કર્યા કરવાથી તે વિકસે છે જે શક્તિઓ વપરાતી નથી તે કાળાંતરે લિપ્ત થઈ જાય છે. *પોતાની શક્તિઓ પર શંકા લાવવી નહિ. *શક્તિઓને માત્ર સ્વાર્થ ખાતર નહિ;પર પરમાર્થ કાજે ઉપયોગ કર્યા જ કરવો. *શુભ કાર્યોમાં પ્રોત્સાહન આપે એવા સંબંધીઓનો અને મિત્રોનો સહવા સ રાખવો. *અન્યનું અનુકરણ કરવાને બદલે પોતાની જાતને સમજવાની વધુ કોશિષ કરવી. *એવા જ્ઞાની અને અનુભવી પુરૂષોનો સંત્સગ અને સહવાસ કરવો જેથી આપણી અંદર રહેલી સુષુપ્ત શક્તિઓનું ભાન […]

મનુષ્યના પતનની શરુઆત કયારે થાય છે ? * ગફલતથી. * દુર્ગુણના પગલામાં પગ મુકીને ચાલવા માંડે છે ત્યારે. * તત્કાલિન લાભની પાછળ દોડ મૂકાઈ છે ત્યારે.

જીવનમાં હાંસલ કરવા જેવું શું ? * નિર્ભયતા, નિર્મળતા,નમ્રતા,વ્યાપકતા અને નિશ્ચયબળ.

પરમાત્માની ચાર સંપતિ કઈ? *નામસંપતિ -ભગવાનના નામ સ્મરણ દ્રારા તેમના અનંત સ્વરુપને પામી શકાય છે. *રૂપસંપતિ -બાહ્ય અલંકારો દ્રારા આંતર તત્વનું દર્શન કરવું. *ગુણસંપતિ -ભગવાનના અનંત ગુણોનું સ્મરણ કરવું. *બલસંપતિ -ભગવાનમાં અસુરોનો પરાભવ કરવાની અને સર્વ વિધ્નો દુર કરવાની શક્તિ છે,ી શક્તિનું સ્મરણ કરવું,હુરણ્યકશિપુ,રાવણ,કંસ આદિ માથાભારે માનવીઓના સંહારક ભગવાન છે તે વિશે જાગ્રત રહી ચિંતન મનન કરવું કારણકે સત્તારૂપ સંપતિનું સ્મરણ કરવાથી નિર્ભયતા અનુભવાય છે.

પરમાત્મા નિર્ગુણ છે કે સગુણ? *નેત્રોથી જોઈએ તો સગુણ. *હ્રદયથી જોઈએ તો નિર્ગુણ. -બધા ગુણ પરમાત્માની સેવામાં રહેલા છે એ રીતે નિર્ગુણ સગુણ લાગે. -પરમ શક્તિના આશ્રયે બધુ જ રહેલું છે એટલે એ શક્તિને કોઈ સીમામાં બાંધવી અથવા એકાંકી બનાવવી તે એને ન સમજયા બરાબર છે.

ભગવાનને અચ્યુત કેમ કહે છે? *તેઓ સદા સ્વમાં જ રહે છે,કયારેય પરમાં પોતાપણું માનતા નથી એટલે. *તેઓ વિકારોથી પર છે એટલે.

ભગવાન પ્રત્યે પ્રેમ જાગે તો શું થાય ? * સંસાર પ્રત્યેની આસક્તિ છુટી જાય.

પરમાત્માને આપણિ વચ્ચે આડુ શું આવે છે? * ઇચ્છાશક્તિ,ક્રિયાશક્તિ અને અજ્ઞાનનાં આવરણો. *કોઈને કોઈ પ્રકારની પકડ. -મનુષ્ય પ્રયત્ન કરી એક પકડમાંથી છુટે તો બીજી પકડમાં આવી જાય છે અને તેને એનો ખ્યાલ પણ રહેતો નથી.

પરમાત્માને કયાં શોધવા ? *પરમાત્માનું સરનામું આપણે જાણાતા નથી પઈ આપણે એને કયાં માર્ગે શોધવાના? ઉતમ માર્ગ એ છે કે પરમાત્મા આપણને શોધે તેવી પરિસ્થિતિ નિર્માણ કરવાની,પરમાત્માને આપણા ઠેકાણાની જાણ છે *પરમાત્મા આપણને શોધે તેવી લાયકાત ઉભી કરવાની. એ થશે એટલે પરમાત્માનો અનુભવ થશે. *જેનું નિરંતર અસ્તિત્વ છે તેની શોધ કરાતી હશે?જે ખોવાઈ ગયુ હોય તે શોધવું પડે,આપણે માયાની રમતમાં ખોવાઈ ગયા છીએઈને લીધે અણુએ અણુમાં સભર એવા પરમાત્માનો અનુભવ થતો નથી.માયાનું વિસ્મરણ થતાં પરમાત્માનું આપોઆપ સ્મરણ થશે.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors