જીવનની કપરી લડાઈઓ કઈ? * નિરંકુશ વૃતિઓને અંકુશમાં લાવવાની. * આંતરિક શત્રુઓની તાકત ક્ષીણ કરવાની. * સંકુચિતતામાંથી વ્યાપકમાં જવાની અથવા અલ્પમાથી ભુમામા પહોચવાની.

ઈશ્વરને ઓળખવાની સુગમ રીત કઈ? *પોતાના સ્વરુપને (આંતરિક ગતિવિધિ)બરાબર ઓળખી લેવું.

જીવનમાં ખાલી કરવા જેવું શું? * અજ્ઞાન વડે ઊભી થયેલી આસક્તિઓ.ઇચ્છાઓ-તૃષ્ણાઓ (અપ્રાપ્ત વસ્તુઓની અભિલાષાઓ).

અનુભવી પુરુષોએ જીવનનો નિચોડ શું તારવ્યો છે? * યાદી બહુ લાબી થાય તેવી છે કેટલીક મહત્વની બાબત જોઈએ. * પોતે પોતાને તેમજ પરમાત્માને ઓળખી લેવા. * \”સત હરિ ભજનુ, જગત સબ અપના\”એટલે કે હરિનું ભજન એજ સાચી વસ્તુ છે આ જગતતો નર્યુ સ્વપ્ન છે,એ નિશ્ચય દઢ થવો. * હરિભજન વિના કલેશ અને કષ્ટ મટતા નથી. * નબળાનો સંગ કરવાથી નબળા બનાય છે,હરિનો સંગ કરવાથી હરિ બનાય છે, * આ વિશ્વ કર્મ પ્રધાન છે ,સૌને પોતાના કર્મનું ફળ વહેલું મોડુ મળી રહે છે. * સંસાર પ્રત્યેનો વેરાગ્ય તીવ્ર બને નહી,ત્યાં સુધી […]

પરમેશ્વરને પામવાનો સરળ માર્ગ કયો? *દરેકમાં ભગવાન સત્તારુપે રહ્યા છે તે વિચાર વારંવાર લાવવો. *પોતાના ગુણોની નિરંતર વુધ્ધિ કર્યા કરવી એ પરમાત્માને પામવાનો ઈષ્ટ માર્ગ લાગ્યો છે;ીને સરળ માર્ગ કહેવો કે નહિ તે માર્ગ પર ચાલનારો નક્કી કરે,પણ જે વવ્યક્તિ પોતાના ગુણોને સતત વિકસાવવા અન્યના ગુણોનો સહારો લે છે અને અન્યના ગુણોની કદર કરે છે તે આધ્યાત્મકતાને માર્ગે વધે છે. *નામસ્મરણનો માર્ગ,ગુણની વુધ્ધિ કરવામાં તે ખુબ ઉપયોગી છે. *કર્તાભાવ ન લાવવો,આ વિશ્વ પરમાત્માનુંજ છે એમ સમજી બધો જ વ્યવહાર કરવો.

પરમાત્માની ચતુર્વિધ શક્તિઓ કઈ ? * જ્ઞાનશક્તિ. * ઈચ્છાશક્તિ. * ક્રિયાશક્તિ. * અજ્ઞાનશક્તિ જે એમની ગુપ્તશક્તિ છે -આમાની પ્રથમ ત્રણશક્તિઓ જ મોટાભાગે કાર્યરત હોય છે.

ઈશ્વરને ઑળખવો એટલે શું? *પોતાના આંતરસ્વરુપને બરાબર ઓળ્ખી લેવું. -आत्माना वा विजानीयात अन्या वाचां विमुचय | આત્માને પુરેપુરો જાણી લેવો,અન્ય સર્વ વાતો છોડી દેવી.

જીવનનું સાચું ભાથુ કયું ? * હ્રદયની શાંતિ. * મનની શુધ્ધિ. * સદ્ભાવોની વુધ્ધિ. * ભક્તિ કે પ્રેમરસની પુષ્ટિ.

ખરો શક્તિશાળી કોણ ? * આત્મવિસ્વાસથી સભર મનુષ્ય. * જે નિર્બળ અને નિર્દોષને સહાય કરે છે. * પોતાના ક્રોધને કાબુમાં લે. * પરહિત અને પરોપકારાર્થે પોતાની શક્તિ વાપરે. * બર્બતરતા અને અન્યાયને વશ ન થાય. * શરણે આવેલાને રક્ષણ આપે

ચંચળ મનને ઠેકાણે રાખવા કયાં ગુણો કેળવવા જરુરી ? * ધીરજ, સહનશીલતા. * માનસિક ઉદ્ધમ * સંકલ્પશક્તિ. * સત્સંગ. * એકાંતસેવન. * મૌન. * સાત્ત્વિક આહાર-વિહાર.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors