સફળતા પ્રાપ્ત કરવા માટેની ભુમિકા કઈ ?

સફળતા પ્રાપ્ત કરવા માટેની ભુમિકા કઈ ? * હેતુની સ્થિરતા. * દઢ નિશ્ચય. * ધ્વેયની દિશામાં ગતિ. * આત્મવિશ્વાસ. * આળસ અને બેદરકારીપણાનો.ત્યાગ.

ભારતીય પ્રજા આટલી દુઃખી છે તેના કારણો કયાં? * ભષ્ટાચાર. * આગેવાનોમાં દંભ અને પાખંડની બોલબાલા. * ધોર પ્રમાદ. * પ્રબળ ઇર્ષાવૃતિ. * બધું ભાગ્યપર છોડી દેવાનું વલણ. * ધનને અપાતું વધુ પડતું મહત્વ. * બેહદ સ્વાર્થવૃતિ. * અશુધ્ધ સાધનો દ્રારા સફળતા પ્રાપ્ત કરનારાઓને અપાતું મહત્વ. * અન્યનું શોષણ કરવાની વૃતિ.  

આત્મજ્ઞાન કોને થતું નથી ?

આત્મજ્ઞાન કોને થતું નથી ? * જેની દષ્ટિમાંથી દેહ અને જગત હટતા નથી તેને.

જ્ઞાનપ્રાપ્તિ માટે શેની જરુર છે ?

જ્ઞાનપ્રાપ્તિ માટે શેની જરુર છે ? * અનુભવીઓના સંગની. * દઢ નિશ્ચયબળ અને આચરણની. * નમ્રતા અને વિવેકની. * સાચી જિજ્ઞાસાની અને શ્રધ્ધાની.

જ્ઞાની પુરૂષ પ્રસંગ કે પરિસ્થિતિને કઈ રીતે જુએ છે?

જ્ઞાની પુરૂષ પ્રસંગ કે પરિસ્થિતિને કઈ રીતે જુએ છે? * ચિત્તને વિક્ષિપ્ત થયા વિના. * અકળામણ વિના. * રાગ-દ્રેષ વિના. * તટસ્થભાવે.

પોતાનામાં ધૃણાનો ભાવ હોય તો તેનો કયાં ઉપયોગ કરવો ?

પોતાનામાં ધૃણાનો ભાવ હોય તો તેનો કયાં ઉપયોગ કરવો ? * પોતાના દુર્ગુણો અને અવરચંડાઈ પ્રત્યે. * પોતાનામાં ઉદભવતી વાસનાઓ અને પાપવૃતિઓ પ્રત્યે. * ઇર્ષા અને દ્રેષબુધ્ધિને દુર કરવા. * અહંકારને ખોખરો લે બુઠ્ઠો કરવા. * મારાપણાનો ભાવ,સંકુચિતતા કે સ્વાર્થને પાંગળા બનાવી દેવા.

જ્ઞાની અને અજ્ઞાની વચ્ચે ભેદ શું?

જ્ઞાની અને અજ્ઞાની વચ્ચે ભેદ શું? * જ્ઞાની પરિપકવ થયેલા સ્રિફળ  જેવો છે. અને અજ્ઞાની કાચા નાળિયર જેવો . * પાકા નાળિયેરની અંદર કાચલી અને કોપરાનો ગોટો અલગ પડી ગયેલા હોય છે, તેમ જ્ઞાનીની સમજમાં શરીર અને આત્મા ભિન્ન છે. જ્ઞાની શરીર અને આત્મા ને અલગ પાડીને જુવે જીવે છે. * કાચા નાળિયેરમાં કાચલી અને કોપરુ ચોટેલુ હોય છે. અજ્ઞાનીની મનુષ્ય શરીર અને આત્માને જોડાયેલા માને છે. * જ્ઞાની મનુષ્ય શરીર અને આત્માનું તાદાત્મ્ય નથી કરતો; જયારે અજ્ઞાની મનુષ્ય બંનૈ વચ્ચે તાદાત્મ્ય સાધે છે.

તત્વનો સાક્ષાત્કાર અથવા અનુભુતિ કોણ કરી શકે?

તત્વનો સાક્ષાત્કાર અથવા અનુભુતિ કોણ કરી શકે? * જેણે જીવનો યથાતથ સાક્ષાત્કાર કર્યો હોય. * જેનો અહંકાર નામશેષ થયો હોય. * જેણે તત્વની સંપૂર્ણ શરણાગતિ સ્વીકારી હોય. * જે તમોગુણ,રજોગુણ અને સત્વગુણનો પોતાની રીતે ઉપયોગ કરી શકતો હોય અને જાગ્રત,સ્વપ્ન અને સુષુપ્ત એ ત્રણેય અવસ્થાનો સાક્ષી રહી શકતો હોય.

અજ્ઞાન અથવા અવિધાનાં છ અંગો કયાં ?

અજ્ઞાન અથવા અવિધાનાં છ અંગો કયાં ? * અજ્ઞાન અથવા અવિધાનાં છ અંગ ગણાવાય છે. -અહંભાવ રાખવો -રાગ કે મોહમાં રોકાયેલા રહેવું. – દ્રેષનું સેવન કરવું. – જે વસ્તુ જેવી છે તેવી જોવાને બદલે જુદી રીતે અથવા વિપરીત રીતે જોવી. – અભિનિવેશ એટલે કે રાગદ્રેષ વગેરેની મન પર સ્થાયિ અસર. – આત્મવિસ્મૃતિ એટલે કે પોતાના સ્વરૂપને ના ઓળખવું તે અથવા દેહને જ આત્મા માની વર્તવું.

જ્ઞાનનો માર્ગ કયારે ખુલ્લો થાય ?

જ્ઞાનનો માર્ગ કયારે ખુલ્લો થાય ? * બાંધેલી માન્યતઓ છૉડી દેવાય તો. * કામ,ક્રોધ અને મોહનું આવરણ હટે તો. * ઇન્દ્રિય-સંયમ અને શ્રધ્ધા હોય તો. * ખરી જિજ્ઞાસાવૃતિ હોય તો. * અનુભવી વ્યક્તિનો સંગ મળે તો. * પૂર્વગ્રહ, અકડાઈ,જડતાપૂર્વકનો આગ્રહ છૂટી જાય તો..

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors