Articles in Headline
અગ્નિથી વધારે તાકત વાળુ કોણ છે ?

અગ્નિથી વધારે તાકત વાળુ કોણ છે ?
* ક્રોધ.
– અગ્નિ પદાર્થમાત્રને સળગાવે,પણ ક્ષુલ્લક અગ્નિને સામાન્ય મનુષ્ય પ્રગટાવે છે અને ધણુ ખરૂ તેને હોલવી પણ શકે છે પણ ક્રોધ અગ્નિ કરતા બળાવાન એટલા માટે છે કે મનુષ્ય તેના પર અંકુશ રાખી શકતો નથી.ક્રોધ મનુષ્યના અંતઃસત્ત્વ પર પ્રહાર કરે છે અથવા તેને બાળે છે.
આ જગતમાં કોણ અનેક રૂપ ધારણ કરી શકે છે?

આ જગતમાં કોણ અનેક રૂપ ધારણ કરી શકે છે?
* ઇશ્વરની અતકર્ય માયા.
* માનવીની બુધ્ધિ.
* ક્રિયાશક્તિના સંબંધ દ્રારા ઇચ્છાશક્તિ અને જ્ઞાનશક્તિ
ભયમાંથી મુકત થવા શું કરવું ?

ભયમાંથી મુકત થવા શું કરવું ?
* આત્મવિશ્વાસ કેળવવો.
* જે બાબત ભય નિર્માણ કરતી હોય તેનું પૃથ્થકરણ કરવું વધારેમાં વધારે કેટલું ખરાબ કે હાનિકારક બની શકે એ બરાબર સ્પષ્ટ થઈ જશે પછી એ કેટલું ભયજનક નહી લાગે.
* જેનાથી મન વિશેષ પરિચિત થઈ ગયું હોય એ વિશેષ ભયપ્રેરક ન રહી શકે.
* જેનાથી ભય લાગતો હોય તેનાથી ભાગવાને બદલે વારંવાર એ બાબત કરવી …
મનુષ્ય દુન્યવી પદાર્થો પ્રત્યે કેમ આકર્ષાય છે ?

મનુષ્ય દુન્યવી પદાર્થો પ્રત્યે કેમ આકર્ષાય છે ?
* તેમની વિવિધતા અને સુદરતા જોઈએ.
* આંતરિક સમૃધ્ધિનો સ્પર્શ થયો નથી એટલે.
સાચી લક્ષ્મી ખરેખર કયાં વાસ કરે છે ?

સાચી લક્ષ્મી ખરેખર કયાં વાસ કરે છે ?
* જયાં ધર્મ છે.
* સત્ય છે.
* તેજસ્વિતા છે.
* ઉદારતા છે.
* વ્રત,શક્તિ અને શીલ અથવા ચારિત્ર છે,
વ્યવહાર કરતી વેળા શું ધ્યાનમાં રાખવું ?

વ્યવહાર કરતી વેળા શું ધ્યાનમાં રાખવું ?
* કશું કાયમી માનીને વ્યવહાર ન કરવો.
અશાંતીથી બચવા શું કરવું?

અશાંતીથી બચવા શું કરવું?
* જે કાંઈ બની રહ્યુ છે તે કર્મના નિયમાનુશાર બરાબર છે એવો ભાવ કેળવવો.
* જે આવી મળૅ તેને ચલાવી લેવું અથવા પ્રિય ગણી લેવું.
* સ્થળ-કાળ-પરિસ્થિતિ-ધટનાને અનંતગણા અનુકુળ માની લેવાં.
* ગમા- અણગમાના પ્રદેશમાં પ્રવેશ ન કરવો.
સંસારરુપી સાગર કોણ તરી જાય છે ?

સંસારરુપી સાગર કોણ તરી જાય છે ?
* જે અનાસકત છે.
* જે કોઈપણ પદાર્થ કે વ્યક્તિ પરત્વે મમત્વ રાખતો નથી.
* જે સત્વ,રજસ અને તમસ એ ત્રણેય ગુણોથી પર થઈ જાય છે.
* કર્મનો ફળ અને કામ્ય કર્મોનો ત્યાગ કરી દ્રન્દ્રાતીત થઈ જાય છે.
* સંતોની સેવા કરે છે.
* કેવળ ભગવત-પ્રેમમાં લીન રહે છે.
* જેનું અન્તઃકરણ નિર્મળ થઈ ગયું છે અથવા જેની ચિતશુધ્ધિ થઈ …
વિપતિના સમયે આપણને કોણ ટકાવી રાખે છે?

વિપતિના સમયે આપણને કોણ ટકાવી રાખે છે?
* અપાર ધીરજ.
* ધર્મમાં દઢ નિષ્ઠા.
* અનુભવી પુરુષોના ઉત્તમ ગ્રંથોનું મનન-ચિંતન.
*વિવેકબુધ્ધિનો ઉપયોગ.
* પોતા પરની શ્રધ્ધા.
* નિશ્ચયબળ અને
* પરમતત્વ પ્રત્યેની અવિચળ આસ્થા.
છેતરપિંડી કોને કહેવાય?

છેતરપિંડી કોને કહેવાય?
* કપટને.
* હોય કંઈક અને કહેવું કંઈક.
* બતાવવું કંઈક અને આપવું કંઈક.
* બોલવું કંઈક અને આચરવું કંઈક.