મનને સંયમિત કરવાનો ઉપાય શું? * અભ્યાસ અને વૈરાગ્યમાં દઢપણે સ્થિર થવુ. -અભ્યાસમાં અક્રિયતા છે.વૈરાગ્યમાં તટસ્થતા છે આ બંને પરસ્પર સહકારી હોવા જોઈએ.અભ્યાસ સક્રિય હોવાથી અને વૈરાગ્ય દ્રષ્ટા હોવાથી મનને સંયમિત કરી શકે.

મનુષ્યનું મન કેવું છે? * સુખન્દુઃખાત્મક કે દ્રન્દ્રાત્મક આભાસોની રંગભુમિ જેવું.

મનની વ્યાખ્યા શું છે? * ચલાયમાન ચેતના. * વિકલ્પો અને કલ્પનાઓનો સમુદાય.

મન તાણનો અનુભવ કયારે કરે છે? * ધારણા કરતાં વિરુધ્ધ પરિણામો આવે ત્યારે. * મન કોઈ જાતની ઇચ્છા કે કામના રાખી મન કર્મમાં રવૃત થાય છે ત્યારે. *ઈચ્છાઓનો બોજો ઊચકીને ફરે છે ત્યારે. * બધી ગણતરી ઊધી અડતી હોય ત્યારે. * અણાકલ્પ્પ્યું અનિષ્ટ બની જાય કે કોઈ સ્વજન વિસ્વાસધાત કરે ત્યારે. * પોતાની આસપાસનું વાતાવરણ કલુષિત હોય;ાતિ નિકટના સ્વજનો દાદ દેતાં ન હોય અને ગેરસમજ ફેલાયા કરતી હોય ત્યારે. * વાસનાઓ તીવ્ર બને ત્યારે. * કર્તાપણાના ભાવની પકડ હોય ત્યારે.

મનને શક્તિ કોણ આપે છે? * આત્મનિર્ભરતા.

ચિત્તમાં શાંતિ જળવાઈ રહે તે માટે શું કરવું ? * કર્મના નિયમોને બરાબર સમજી લેવા. * \’હુ\’પણાના ભાવથી અલિપ્તતા મેળવવી. * ભગવાન જે કરે છે તે સારા માટે એવો દઢ નિશ્ચય કરવો. * અન્યના સુખે સુખી થવું. * વહેતા જળની જેમ નિર્મળ રહેવું.

મન જ વિષયોમાં આસક્ત થઈ જાય તો શું થાય? * મનને એક બાજુ મુંકી દેવું જોઈએ અથવા તેને પરિણામનું સર્શન કરાવવું જોઈએ. * સાધના અશક્ય બની જાય.

મનમાં ભિન્ન ભિન્ન પ્રકારનું સામર્થ્ય કયા કારણે છે ? * દસેય ઇન્દ્રિયો સાથેના સીધા સંબંધને કારણે. * સત્વ,રજસ અને તમસ -આ ત્રણ ગુણોના પરિણામ ભેદને કારણે.

મનને કોણ પકડી શકે? * મન જ . -હીરાથી હીરા કપાય છે તેમ મનથી  મન પકડાય છે પુરુષાર્થ અને હરિકૃપાનો સંયોગ થાય તો જ મન મનને પકડવા તત્પર થાય છે.

મનને તાણમાંથી કેવી રીતે બચાવવું? * પોતાની ધારણાને બાજુએ મુકી ઇશ્વરેચ્છાને આધીન બનવું. * તાણના કારણને બરાબર સમજી લેવું જોઈએ. * મન કર્મમાં નિષ્ડા રાખવાને બદલે તેનાણ ફળમાં રોકાઈ જાય છે અથવા ફળની લાલસા ઊભી થાય છે મન ભય,લોભ,સ્વાર્થ,શંકા વગેરે વૃતિઓથી ધેરાઈઅ જાય છે એટલે. -ફળની લોલુપતા ન રાખવી. -નિષ્કામ ભાવે કર્મ કરવું. -કર્મનો ત્યાગ નહીં પણ તેના ફળનો વાવસો ન કરવો. * પ્રારંભોમાંથી બચવું- શરૂઆતમાં વધુ પડતો ઉત્સાહ ન બતાવી દેવો. * હાથ લીધેલું કાર્ય ઊહાપોહ કર્યા વિના બેઠી ઢબે પાર પાડવું. * સાદુ અને સંયમી જીવન બનાવવું. * […]

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors