વિષ્ણુસહસ્રનામ,ભગવતગીતા,ગજેન્દ્રમોક્ષ ઇત્યાદિનો પાઠ કરવાનો હેતુ શો? * જે ભગવન્તનામને,સ્તુતિને,સ્તોત્રને અથવા પાઠને હ્રદયના પ્રત્યેક અણુમાં ઉતરવા ઇચ્છતા હોઈએ લોહીના બિન્દુએ બિન્દુમાં ભળી જાયઈવું ઉચ્છતા હોઇએ તો એનું વારંવાર પઠન આવશ્યક છે એમ કરતાં કદાચ સમજ વધે કે ન વધે,પણ તેનો આસ્વાદ વધુ ને વધુ માણી શકાય ખરો, * આપણુ વિસ્મરણ થઈ જાય અને ભગવન્નામમાં લીન થઈ જવાય. અહંકારે આપણી અને આત્મા-પરમાત્મા વચ્ચે નિર્માણ કરેલુ અંતર નષ્ટ થાય,છેવટૅ આપણું અહં ઓગળી જાય એ પાઠ કરવાનો હેતુ છે, * વૃતિઓને શાંત કરવાનો. * મન,બુધ્ધિ,ચિત્ત વગેરેને નિર્મળ કરવાનો. * ગહન શાંતિ અને આનંદ અનુભવવનો.
જ્ઞાન પ્રાપ્ત કરવાના સાધનો કયાં ? * વ્યવહારીક જ્ઞાન માટે -નિરિક્ષણ, પરિક્ષણ અને પ્રયોગ. * આદ્યાત્મિક જ્ઞાન માટે -સ્રવન,મનન,નિદિધ્યાસન,વિવેક,વૈરાગ્ય,ષટ્સંપતિ,મુમુક્ષુતા. -અનુભવિનો સંગ. -સાચી જિજ્ઞાસા. -સાચો સંત્સગ. -પ્રણિપાત. -સેવા. -નમ્રતા -નિષ્કામ કર્મ, નિષ્કામ ઉપાસના.
* પરમાત્મા પોતે જ જ્ઞાનનું સ્વરૂપ ધારણ કરી જ્ઞાનીમાં પ્રવેશે છે અને એવા જ્ઞાનીના સંગથી અને સેવાથી જ્ઞાન પ્રાપ્ત થાય છે. * જ્ઞાની જ્ઞાનનો વાહક છે,જન્મદાતા નહી. * ભક્તિ,જ્ઞાન અને વૈરાગ્યની માતા છે.
ટેકીલો માનવી કોને કહેવાય? * પ્રાણાન્તે પણ ટૅકને વળાગી રહે તેને. * જે આડું-અવળું જોયા વિના લક્ષ્ય ભણી સતત ગતિ કરતો રહે તેને.
મનુષ્યનું માપ શેના પરથી કઢાય? * સ્વભાવ પરથી. * સમય આવ્યે અથવા આપતિ વખતે. * એના વિચાર, વાણી અને વર્તન પરથી. અમુક સમયના સહવાસથી.
મનુષ્યજીવનમાં સૌથી કિંમતી વસ્તુ કે બાબત કઈ છે ? * સમયનો ઉપયોગ સાચી સમજ પ્રાપ્ત કરવામાં કરી લેવો એમાં મનુષ્યજીવનની સાર્થકતા છે સર્જનહારે આ સમય આપણને આપ્યો છે.તેમને અર્થે જ સમયનો ઉપયોગ કરવો એ સાચો ઉપયોગ છે મુલ્યવાન સમયનો નામ અને રુપની મહતા વધારવા ઉપયોગ કરવો તે સમય વેડફવા જેવું છે. -વીતેલી ક્ષણ પાછી નથી આવતી એ કોણ નથી જાણાતું સમયનો અર્થ વર્તમાન કરીએ તો આપણા હિતમાં છે જે કાળ વીતી ચુકયો છે અથવા હવે આવવાનો છે તેના વિશે વિચાર કરવાથી શું અર્થ શરવાનો છે? એમ કરવાથી આપણે વર્તમાન સમય […]