કંટાળૉ કેમ આવે છે ? * જીવનનું ધ્વેય સ્પષ્ટ નથી. * ઓછી મહેનતે વધારે રળાવું છે અથવા મેહનત કર્યા વિના વધુ મેળવવું છે.

ખરો શિક્ષિત કોણ ? * અનેક વિકલ્પો વચ્ચે સ્વસ્થ રહી શકે તે. * વિવિધ શકયતાઓ વચ્ચે જેનો આત્મવિશ્વાસ ડગી જતો નથી તે.

આ  જગતમાં અપ્રગટ શું છે? * સુક્મ શરીરના ધટાકો. * જીવ,આત્મા અને પરમાત્મા. * જન્મ પહેલાની અને મરણ પછીની સ્થિતિ.

સૃષ્ટિમાં અને લોકાન્તરમાં શું ભેદ છે ? * સૃષ્ટિમાં ચોવીસ તત્વો રહેલા છે; -પાચ મહાભુત+પાંચ જ્ઞાનેદ્રિયો+પાંચ કર્મેન્દ્રિયો+શબ્દ સ્પર્શ,રૂપ,રસ અને ગંધ એ પાંચ એ પાંચ તન્માત્રાઓ+અન્તઃકરણ=મન, બુધ્ધિ,ચિત અને અહંકાર. * લોકાન્તરમાં ઓગણિસ જ તત્વો રહેલા છે. -પાંચ મહાભુતો સિવાયના બધા જ તત્વો.

સંસારમાં અમૃતનો અનુભવ કયાં થાય? * અસીમ પ્રેમમાં.

વાણીનો કયારે ઉપયોગ ન કરવો? * ક્રોધની પળોમાં મૌન રહેવું. -તલવારનો ધા રુજાઈ જાય છે પણ વાણીનો ધા જીવનભર અંક્તિ થઈ જતો હોય છે. * કોઈનું અહિત થતું હોય તેવી વાણી ન ઉચ્ચારવી. * સામી વ્યક્તિ સાંભળાવા તૈયાર ન હોય ત્યારે ન બોલવું.

પ્રાયશ્ચિત કોને કહેવાય ? * કરેલા દુરાચાર કે ક્રોધને ભુલી જવા માટેની તપશ્ચર્યા;એટલે કે ફરી એ દોષ ન થાય એ જાગૃતિ.

હ્રદયને કોણ ટાઢક આપી શકે ? * નિર્મળ પ્રેમ.

સ્થૂલ સત્તાના મુખ્ય લક્ષણ કયાં ? * સ્થૂલ સત્તા સાધનો પર આધારિત છે. *સ્થૂલ સત્તા ભય નિર્માણ કરે છે. * સ્થૂલ સત્તા સામ,દામ,દંડ અને ભેદમાં વહેચાયેલી છે. * પરિવર્તનશીલ છે,કાળને આધીન છે,મર્યાદિત છે અને પરાજયની સંભાવનાઓથી યુકત છે.

કોનાથી છેટા ચાલવું? * અસતથી. * જેનું હ્રદય મલિન હોય,જે સ્વાર્થને જ કેન્દ્રમાં રાખતો હોય,લોભી અને કંજુશ હોય.મુર્ખ હોય અને અભિમાની હોય તેનાથી.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors