પોતાનું અને પારકુ કોને ગણવું? * મૃત્યુને કારણે જે કાંઈ આપણી પાસેથી ઝુટાવાઈ જાય તે પારકું અને મૃત્યુ પછી પણ આપણી પાસે રહે તે પોતાનું. * પોતનું શુ અને પારકુ શુ તે નક્કી કરવું હોય તો શરીરના અને લાગણીના સંબંધો બીજા કોઈ ત્રાજવે તોળવાને બદલે મૃત્યુને ત્રાજવે તોળવા આ સંબંધો જો મૃત્યુની કસોટીએ ટકી રહે તો પોતના ગણાય.એવું બનતું નથી. – એ રીત મનુષ્યનો આત્મા સાથે જ પોતીકો સંબંધ હોઈ શકે.આત્મા સાથે સંબંધ બાધવાથી વ્યાપક અને નિર્મળ થવાય છે.

નરક એટલે શું? * સુખ અને શાંતિનો અભાવ. * અન્તઃકરણની દુઃખપુર્ણ અવસ્થા. * અધઃપતન. * હીનતમ સ્થિતિ.

કોને સમજાવવા પ્રયત્ન ન કરવો ? * જે પોતાને જ્ઞાની માનતો હોય તેને. * મૂર્ખને. * શંકાશીલને. * ઉપકાર પર અપકાર કરવાની વ્રુતિનું સેવન કરનારને.

કયા ચાર પુરૂષાર્થને મહત્વ અપાય છે ? * ધર્મ,અર્થ,કામ અને મોક્ષને. -ધર્મ અને અર્થ સાધનારૂપ છે. ધર્મ મોક્ષનું અને અર્થ કામાંનુંમ સાધન છે. * કામ અને મોક્ષ સાધ્યારૂપ છે -કામ શરીરનું સાધ્ય છે -મોક્ષ આત્માનું સાધ્ય છે.

અંધ કોને કહેવાય ? * જે યોગ્ય માર્ગને જોઈ ન શકે. * સત્યને સમજવાનો પ્રયત્ન ન કરે. * પોતાના પૂર્વગ્રહને ચસોચસ પકડી રખે. * અન્યના હિતનો વિચારના કરે. * જેના હ્રદયમાં કરુણા નથી તેને.

અહિં જન્મીને જોવા જેવુ શું છે ? * સર્જનની ક્રિયા(મૂળ અને અંત સહિત) * પરમાત્મા શક્તિની લીલા-લમણ. * આપણૂં આંતરિક જગત.

નવા પ્રશ્નો ઉભા ન થાય તે સારું શેની કાળજી રાખવી ? * જીભનો વિવેક પુર્વક ઉપયોગ. * પોતાનો સ્વભાવ પ્રશ્નો ઊભા નથી કરતો તે જોવું. * સરળ બાબતને ગુંચવાડાવાળી ન બનાવવી. * સામેથી પ્રશ્નોને આમત્રંણ ન કરવા. * જાણી જોઈએ પ્રશ્નો ઊભા ન કરવા. * જુના પ્રશ્ન નવે રુપે તો નથી આવતો ને, તે જોવું.

કઈ વ્યક્તિઓનો વિરોધ કરવો અ વ્યવહારુ ? * ગુણવાન સજજનોનો. * ડોકટરોનો,વૈધોનો. * લુચ્ચાલોકોનો. * સંપત્તિવાનોનો. * પાલન-પોષણ કરનારનો..

પ્રશ્નો ઉકેલવા શું કરવું જરુરી ? * પ્રુર્વગ્રહ વિના પ્રશ્નોને તપાસવા. * સામી વ્યક્તિના દષ્ટિકોણનો વિચાર કરવો. * અન્ય વ્યક્તિઓને કે સંયોગોને દોષ ન આપવો. * બધા વિકલ્પો વિચારી જોવા. * નિષ્ણાતની સલાહ લેવી. * વ્યવહારુ બનવું. * પ્રશ્નને સમજવા પુરતો સમય લેવો. * પ્રશ્નની તરફેણમાં અને વિરુધ્ધમાં શું છે તે સમજી લેવું.

પ્રકૃતિ શું છે? * ઇચ્છાશક્તિ અને તેના અંતર્ગત ત્રણ ગુણ સહિત ચોવિસ તત્વોનો સમુહ અથવા પરમાત્માની ક્રિયાશક્તિ. * પ્રગટીકરણનો મૂળ સ્રોત. * સર્વનું સ્થુલ કારણ. * પ્રરમાત્માનું પ્રગટ સ્વરુપ. * પ્રરમાત્માની વિષયો પરત્વેની ગતિ. * અવ્યક્ત ગર્ભબીજ. * સર્વ રુપોનું આદિ સ્થાન.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors