Articles in Headline
જ્ઞાનપ્રાપ્તિ માટે શેની જરુર છે ?

જ્ઞાનપ્રાપ્તિ માટે શેની જરુર છે ?
* અનુભવીઓના સંગની.
* દઢ નિશ્ચયબળ અને આચરણની.
* નમ્રતા અને વિવેકની.
* સાચી જિજ્ઞાસાની અને શ્રધ્ધાની.
જ્ઞાની પુરૂષ પ્રસંગ કે પરિસ્થિતિને કઈ રીતે જુએ છે?

જ્ઞાની પુરૂષ પ્રસંગ કે પરિસ્થિતિને કઈ રીતે જુએ છે?
* ચિત્તને વિક્ષિપ્ત થયા વિના.
* અકળામણ વિના.
* રાગ-દ્રેષ વિના.
* તટસ્થભાવે.
પોતાનામાં ધૃણાનો ભાવ હોય તો તેનો કયાં ઉપયોગ કરવો ?

પોતાનામાં ધૃણાનો ભાવ હોય તો તેનો કયાં ઉપયોગ કરવો ?
* પોતાના દુર્ગુણો અને અવરચંડાઈ પ્રત્યે.
* પોતાનામાં ઉદભવતી વાસનાઓ અને પાપવૃતિઓ પ્રત્યે.
* ઇર્ષા અને દ્રેષબુધ્ધિને દુર કરવા.
* અહંકારને ખોખરો લે બુઠ્ઠો કરવા.
* મારાપણાનો ભાવ,સંકુચિતતા કે સ્વાર્થને પાંગળા બનાવી દેવા.
જ્ઞાની અને અજ્ઞાની વચ્ચે ભેદ શું?

જ્ઞાની અને અજ્ઞાની વચ્ચે ભેદ શું?
* જ્ઞાની પરિપકવ થયેલા સ્રિફળ જેવો છે. અને અજ્ઞાની કાચા નાળિયર જેવો .
* પાકા નાળિયેરની અંદર કાચલી અને કોપરાનો ગોટો અલગ પડી ગયેલા હોય છે, તેમ જ્ઞાનીની સમજમાં શરીર અને આત્મા ભિન્ન છે. જ્ઞાની શરીર અને આત્મા ને અલગ પાડીને જુવે જીવે છે.
* કાચા નાળિયેરમાં કાચલી અને કોપરુ ચોટેલુ હોય છે. અજ્ઞાનીની મનુષ્ય શરીર અને …
તત્વનો સાક્ષાત્કાર અથવા અનુભુતિ કોણ કરી શકે?

તત્વનો સાક્ષાત્કાર અથવા અનુભુતિ કોણ કરી શકે?
* જેણે જીવનો યથાતથ સાક્ષાત્કાર કર્યો હોય.
* જેનો અહંકાર નામશેષ થયો હોય.
* જેણે તત્વની સંપૂર્ણ શરણાગતિ સ્વીકારી હોય.
* જે તમોગુણ,રજોગુણ અને સત્વગુણનો પોતાની રીતે ઉપયોગ કરી શકતો હોય અને જાગ્રત,સ્વપ્ન અને સુષુપ્ત એ ત્રણેય અવસ્થાનો સાક્ષી રહી શકતો હોય.
અજ્ઞાન અથવા અવિધાનાં છ અંગો કયાં ?

અજ્ઞાન અથવા અવિધાનાં છ અંગો કયાં ?
* અજ્ઞાન અથવા અવિધાનાં છ અંગ ગણાવાય છે.
-અહંભાવ રાખવો
-રાગ કે મોહમાં રોકાયેલા રહેવું.
– દ્રેષનું સેવન કરવું.
– જે વસ્તુ જેવી છે તેવી જોવાને બદલે જુદી રીતે અથવા વિપરીત રીતે જોવી.
– અભિનિવેશ એટલે કે રાગદ્રેષ વગેરેની મન પર સ્થાયિ અસર.
– આત્મવિસ્મૃતિ એટલે કે પોતાના સ્વરૂપને ના ઓળખવું તે અથવા દેહને જ આત્મા માની વર્તવું.
જ્ઞાનનો માર્ગ કયારે ખુલ્લો થાય ?

જ્ઞાનનો માર્ગ કયારે ખુલ્લો થાય ?
* બાંધેલી માન્યતઓ છૉડી દેવાય તો.
* કામ,ક્રોધ અને મોહનું આવરણ હટે તો.
* ઇન્દ્રિય-સંયમ અને શ્રધ્ધા હોય તો.
* ખરી જિજ્ઞાસાવૃતિ હોય તો.
* અનુભવી વ્યક્તિનો સંગ મળે તો.
* પૂર્વગ્રહ, અકડાઈ,જડતાપૂર્વકનો આગ્રહ છૂટી જાય તો..
લોભ કયારે ધાતક બને છે ?

લોભ કયારે ધાતક બને છે ?
* અતિ પરિગ્રહથી.
*પોતાના લાભની ચિંત્તા કરવાને બદલે મનુષ્ય અન્યનુ અહિત કરવા તાકે છે ત્યારે.
* લોભ વિકૃત ધારણ કરે છે ત્યારે.
* લોભને અતિરેક થઈ જાય ત્યારે.
કયું જ્ઞાન આત્માની ઝંખી કરાવનારૂ છે ?

કયું જ્ઞાન આત્માની ઝંખી કરાવનારૂ છે ?
* અનુભવીઓનું જ્ઞાન.
* સંતના શબ્દોમાં કહીએ –
કબીર કુવા એક હૈ,પનિહારી અનેક
ભિન્ન ભિન્ન સબ ધટ ભયે ,પાની સબમેં એક.
-એની પ્રતીતિ થઈ જાય તો સર્વવ્યાપી ચૈતન્યથી આત્મા ભિન્ન નથી તેવો અનુભવ થાય.
* દ્રન્દ્રતીત અને ત્રિગુણાતીત સ્થિતિનું જ્ઞાન.