દિલ પૂછે છે મારૂં….દિલ પૂછે છે મારૂં, અરે દોસ્ત તું ક્યાં જાય છે?…જરાક તો નજર નાંખ, સામે કબર દેખાય છે.ના વ્યવહાર સચવાય છે, ના તહેવાર સચવાય છે,દિવાળી હોય કે હોળી, બધું ઓફીસમાં જ ઉજવાય છે.આ બધું તો ઠીક હતું, પણ હદ તો ત્યાં થાય છે,લગ્નની મળે કંકોત્રી ત્યાં શ્રીમંતમાં માંડ જવાય છે.દિલ પૂછે છે મારૂં, અરે દોસ્ત તું ક્યાં જાય છે?……પાંચ આંકડાનો પગાર છે, પણ પોતાના માટે પાંચ મીનીટ પણ ક્યાં વપરાય છે?પત્નીનો ફોન બે મિનીટમાં કાપીએ પણ ક્લાયન્ટનો કોલ ક્યાં કપાય છે?ફોનબુક ભરી છે મિત્રોથી પણ કોઇનાય ઘેર ક્યાં […]

ભટકું તારી શોધમાં છતાં નથી મળતી તુ મને. કર્યા પ્રય્ત્નો અને થાકયો હું છતાં નથી મળતી તુ મને. તારા વિયોગની વેદનાથી તડપું છુ હું છતાં નથી મળતી તુ મને. તારા મિલનની ઝંખનામાં ભડકું છુ હું છતાં નથી મળતી તુ મને. યુવાની ગુમાવી મે મિલનના સ્વપ્નમાં છતાં નથી મળતી તુ મને. નિરાશા દોરી જાય છે આત્મહત્યા તરફ છતાં નથી મળતી તુ મને. કાગળો લખ્યા મે અનેક આશાથી છતાં નથી મળતી તુ મને. વાત કરતો નથી હું કાંઈ પ્રિયતમાની હુ કરૂં છુ વાત નોકરીની..

\”ચિંતન કણિકા\” બ્રહ્મચર્ય સમાન તેજ નથી. ક્ષમા સમાન શસ્ત્ર નથી. દયા સમાન દર્મ નથી. સંતોષ સમાન સુખ નથી. મૌન સમાન જપ નથી. પરોપકાર સમાન પુણ્ય નથી. ભજન સમાન શાંતી નથી. સત્ય સમાન વિજય નથી. તૃષ્ણા સમાન દુઃખ નથી. નિંદા સમાન દોષ નથી. ક્રોધ સમાન તાપ નથી. લોભ સમાન પાપ નથી. કામ સમાન કલંક નથી. સ્નેહ સમાન બંધન નથી. સદવિધા સમાન મિત્ર નથી. અજ્ઞાન સમાન અંધકાર નથી. જ્ઞાન સમાન પ્રકાશ નથી.

શબ્દ જ્યારે પોલ માણસનીય ખોલી જાય છે, ભૂલથી માણસ પછી સઘળુંય બોલી જાય છે. એક શમણું જિંદગીમાં આદમી સેવે પછી, એ જ શમણું આખરે એને જ ઠોલી જાય છે. ઝાડ પરથી આમ હોલીને ઉડાડી નાખ મા, એ ઊડીને યાદનું આકાશ છોલી જાય છે. રોજ જખમોમાં ભરી દેતો ગઝલ થોડી ઘણી, તોય અંદરથી કલેજું કોણ ફોલી જાય છે? બોલતો ક્યારે નથી પીધા પછી દોસ્તો ગઝલ, બોલું અગર હું સહેજ તો બ્રહ્માંડ ડોલી જાય છે.

ગુજરાતી થઇ, ગુજરાતી કોઇ, બોલે નહીં બરાબર, ભાષાની મીઠાશ નહીં, જાણે બોલે કાગડો, કાબર… ઉત્તરમાં પાટણની પ્રભુતા, અંબાજી સાક્ષાત, અને દક્ષિણમાં આદીવાસીઓ ભાષાથી અજ્ઞાન.. અને અમદાવાદમાં ચીપી ચીપીને…. (પવાલામાં પાણી પીશો…?? ) અમદાવાદમાં ચીપી ચીપીને બોલે બ્ર્હામણ નાગર… નર્મદનું સુરત જુઓ…. નર્મદનું હુરત જુઓ, તો બોલે બોલે બોબડું. તું ને બદલે ટટ્ટુનો ટું, જ્યારે બોલે ત્યારે તોતડું તપેલી ને એ કહે પતેલી (મારી લાયખા… બટાકાનું હાક..!!) તપેલી ને એ કહે પતેલી , પછી હોય શેઠ કે ચાકર… એ અચોં અચોં કંઇ કચ્છી બોલે ને કાઠિયાવાડી ઓલા હાલો.. જી રે.. એ […]

\”ધર્મની અપુરતી સમજ સિવાય ધર્મને વિશેષ કશાનો ભય નથી\” સતરમી સદીમાં લખાયેલુ આ વાકય આજે પણ સાચુ લાગે છે કે જેને ધર્મની પુરી સમજ નથી ધર્મવિશે જેને ગેરસમજ છે તેવા લોકો ખરેખર ધર્મના પોષાકને જ જાણે છેધર્મને નહિ મનુષ્યનો એકજ ધર્મ હોય એ અને તે છે માણસાઈ.  અમેરિકાના એક કવિ વોલ્ટ વ્હિટમને એક કાવ્યમાં એવુ લખ્યું છે કે મને મનુષ્યો કરતા પશુઓ ગમે છે કારણ કે મનુષ્યો હંમેશા ધર્મ વિશેનીજ વાતો કરતા હોય છે જયારે પશુઓ ધર્મની વાતો કરતા નથી. આપણે તો અધર્મની કક્ષાએ ધર્મની વાતો કરીએ છીએજેમકે ધર્મને લઈને […]

ક્રોધી મનુષ્ય રાક્ષસ જેવો દેખાય છે. એમ કહેવાતું હતું કે રાક્ષસને માથે બે શગડાં હોય છે. તે દેખાવમાં ભારે કદરૂપો તથા બિહામણો હોય છે. તેનું પેટ મોટું , નારિયેળ જેવડું નાક, એટલે રાક્ષસ, રાક્ષસ હસે ત્યારે જાણે ગુફા ફાટી. આ બધાં વર્ણન વાળો રાક્ષસ આપણો ્ફ સિરિયલ મહાભારત, રામાયણ કે શ્રીકાૃષ્ણ સિરિલયલમાં જોયો હશે. આજે આવા વરવા દેખાવવાળા મનુષ્યને જોવો હોય તો કોઇ ગુસ્સે થયેલા મનુષ્યને જુઓ. તેને પણ અરીસો બતાવો. તે પોતાની જાત અરીસામાં જોઇને જ રાક્ષસને પ્રત્યક્ષ મળ્યાની વાતને અનુમોદન આપશે. ક્રોધ એ વ્યકિતની માનસિક નિર્બળતાનું લક્ષણ છે. […]

જેને સુખી થવું છે તેણે બીજાને સમજવાની અને બીજાને સમજાવવાની બાબતોનો દૃષ્ટિકોણ રાખવો આવશ્યક છે. આ દૃષ્ટિકોણ રાખનાર કદી દુઃખી થતો નથી. તેના જીવનમાં બિનજરૂરી વિવાદ, ઝગડા, કલેશ, કંકાસ હન આવે. તેથી તે કદી દુઃખી પણ થતો નથી. જીવનમાં દરેક વ્યકિત સુખી થવા માગે છે. તે માટે દરેક પોતાને અનુકુળ રસ્તો પસંદ કરે છે. ઊંચંુ જીવન જીવવાની ઇચ્છા રાખે છે. તે માટે તેણે સકારાત્મક દૃષ્ટિકોણ અપનાવવો પડે છે તે પૂરા કરવા તેને માટે ત્રણ પગલાં છે. જે પગલાં મુજબ તે જો ચાલે તો તે સુખી થઇ શકે છે. (૧)આત્મનિરીક્ષણ (૨) […]

હસમુખો ચહેરો દરેકને ગમે છે. જો કોઇનો ચહેરો હસમુખો હોય તો આપણને તેની સાથે વાત કરવી ખૂબ ગમે છે. તેમાંય જો તે વ્યકિત સુંદર તથા હસમુખી સ્ત્રી હોય તો આપણે પણ સાતમા આસમાનમાં ઉડવા લાગીએ છીએ. એમ કહેવાય છે કે સુંદર ચહેરો હોય અને તે ચહેરા પર નિરંતર હાસ્ય રમતું હોય તો તે વ્યકિત કયાંય નિષ્ફળ જતી નથી. તાજેતરમાં તમે ્ફ ઊપર શશી થરૂરનો ચહેરો જોયા હશે તે સદાય હસતો જ દેખાતો હતો. તેને પડેલી મુશ્કેલી દરમિયાન પણ તે હસમુખા જ દેખાતા હતા. આજકાલ યુવતીઓમાં નવો જ ટ્રેન્ડ છલકાઇ રહ્યો […]

જદગીમાં આવો અનુભવ લગભગ દરેકને થતો હશે કે આખી જદગી દરમિયાન કદી ન જોયેલી વ્યકિત ઊપર આપણને અપાર પ્રેમ કે અપાર નફરત થાય છે. આવું કેમ ? ઘણા આ બાબતને પૂર્વજન્મની લેણદેણ કહે છે. તો કોઇ બીજું કાંઇક જૈનાલિઝમ જણાવે છે કે કોઇક જન્મમાં તમે કોઇ જીવને સુખ આપ્યું હોય તો આ જન્મમાં તમને તે વ્યકિત મળતાં જ પૂર્વ જ્ઞાનને કારણે તેના પર તમને અપાર પ્રેમ ઊત્પન્ન થશે. જયારે કોઇએ પૂર્વજન્મમાં તમારા પર ત્રાસ વર્તાવ્યો હશે તો તે આ જન્મમાં કોઇપણ સ્વરૂપે હશે તો પણ તમને તેના માટે ભારોભાર ધાૃણા […]

jeevanshailee-requirement-ad
 
itinerary plus
Price 799 Rs.
 
itinerary plus
Price 599 Rs.
 
travel gujarati
Price 399 Rs.
 
 
 
market decides
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors