ના હિન્દુ નીકળ્યા ન મુસલમાન નીકળ્યા; કબરો ઉઘાડી જોયું તો ઈન્સાન નીકળ્યા. સહેલાઈથી ન પ્રેમનાં અરમાન નીકળ્યાં, જો નીકળ્યાં તો સાથે લઈ જાન નીકળ્યાં. તારો ખુદા કે નીવડયાં બિન્દુય મોતીઓ, મારાં કરમ કે આંસુઓ તોફાન નીકળ્યાં. એ રંગ જેને જીવ સમા સાચવ્યા હતા, એ રંગ એક રાતના મ્હેમાન નીકળ્યા. મનમેળ કાજ આમ તો કીધા હતા કરાર, કિન્તુ કરાર કલેશનાં મેદાન નીકળ્યા. કરતા હતા પહાડનો દાવો પલાશ પણ, આવી જો પાનખર તો ખર્યાં પાન નીકળ્યાં. હું મારા શ્વાસ જેમને સમજી રહ્યો હતો, ‘ઘાયલ’ એ શ્વાસ મોતનાં ફરમાન નીકળ્યાં. – અમૃત ‘ઘાયલ’

જીવન ને સ્વપ્ન માનું છું, મગર ત્યાગી નથી શકતો, છું એવી જાગ્રુતિમાં કે વધુ જાગી નથી શકતો, ફુલો વચ્ચે ઓ માર પ્રાણ, વાયુ જેમ ફરજે તું, કે વાયુને કોઈ કાંટો કદી વાગી નથી શકતો, જગતને તેજ દેવા હું સુરજની જેમ સળગું છું, છે એક જ દુઃખ કે હું સુખના દિવસ માગી નથી શકતો, અલગ રાખી મને મુજ પર પ્રણયના સૂર ના છેડો, વીણાનો તાર છૂટો હોય તો વાગી નથી શકતો, બૂરાઓને અસર કરતી નથી સોબત ભલાઓની, ફૂલોનો રંગ કાંટાને કદી લાગી નથી શકતો, ગુમાવેલા જીવનનાં હાસ્ય તો પાછાં મળે ક્યાંથી […]

ઉત્તમ વસ્તુઓ હિન્દુ ધર્મની ઉત્તમ વસ્તુઓ પુસ્તકોમાં ; ગીતા પ્રાણીઓમાં ; ગાય પક્ષીઓમાં ; ગરુડ પ્રવાહીમાં ; ગંગાજળ દેવોમાં ; ગણપતિ ભોજનમાં  ; કંસાર પહાડમાં ; હિમાલય વાહનમાં ; રથ તીર્થમાં ; કાશી ફળોમાં ; નાળિયેર નદિમાં ; ગંગા છોડમાં ; તુલસી શુકનમા ; કંકુ ધર્મનું પ્રતીક ;ઓમ્ કોણ શુ કહે છે ? ધડીયાળ ;સમય ચુકશો નહિ. ધરતી ; સહનશીલ બનો. દરિયો ; વિશાળ દિલ રાખો. વૃક્ષ ; પરોપકારી બનો. કીડી ; સંગઠનબળ કેળવો. કુકડો ; વહેલા ઊઠી કામે લાગો. બગલો ; કાર્યમાં ચિત પરોવો. સુર્ય ; નિયમિત બનો. મધમાખી […]

Not sure about the correctness of the links below (or even if it\’s just a spam message). But if the links are correct then some of them could be quite useful. Subject: Fwd:INDIA GOVERNMENT INTRODUCED ONLINEIndian Government Online!! – Really Marvellous Effort Obtain: 1.  Birth Certificate < http://www.india.gov.in/howdo/howdoi.php?service=1 > . 2.  Caste Certificate < http://www.india.gov.in/howdo/howdoi.php?service=4 > . 3.  Tribe Certificate < http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=8 > . 4.  Domicile Certificate <http://www.india.gov.in/howdo/howdoi.php?service=5 > . 5.  Driving Licence < http://www.india.gov.in/howdo/howdoi.php?service=6 > . 6.  Marriage Certificate <http://www.india.gov.in/howdo/howdoi.php?service=3 > . 7.  Death Certificate < http://www.india.gov.in/howdo/howdoi.php?service=2 > . […]

એક ખેડૂત પાસે એક ઘરડું ખચ્ચર હતું. એક દિવસે એ ખચ્ચર ખેડૂતના કૂવામાં પડી ગયું. ખેડૂતે એની ચીસો સાંભળ

જ્યારથી સૃષ્ટિનો જન્મ થયો, જ્યારથી બંનેનું બૌદ્ધિક સ્તર વધ્યું, ત્યારથી એક બીજાં પ્રત્યે ફરિયાદોમાં પણ વૃદ્ધિ થઈ. તે આવી કેમ છે ? / તે આવો કેમ છે ? બંનેની વચ્ચે આ દ્વંદ્વાત્મક સ્થિતિ પેદા થયા કરે છે. આખરે કઈ છે સામાન્ય ફરિયાદો… જે બંને એક-બીજાં માટે કર્યા કરે છે ? એકમેકને સમજવા માટે બંનેએ શું કરવું જોઈએ, બંને આ ફરિયાદોની સાથે પણ કેવી રીતે શાંતિથી જીવી શકે છે. એ વિશે વાંચીએ હળવી શૈલીનો એક જીવન સંજીવની લેખ… સ્ત્રીઓની સામાન્ય ફરિયાદો * તમે મારી ભાવનાઓને ભલા કેવી રીતે સમજશો ? * […]

સંબંધો બહુ અટપટી ચીજ છે. સંબંધો વગરનો સમાજ શકય નથી. સંબંધો વગર સંસ્કૃતિ શકય નથી. આપણે સહુ સંબંધો રાખતા નથી પણ સંબંધો જીવીએ છીએ. સંબંધો જ માણસને માણસ સાથે જૉડી અને જકડી રાખે છે. દરેક સંબંધો જુદા જુદા હોય છે. કેટલાક સંબંધો સાથે જીવવાના હોય છે અને કેટલાક સંબંધો માત્ર શબ્દોના હોય છે. દરેક સંબંધોની એક સીમા હોય છે. દરેક લોકો માટે આપણે અલગ અલગ વર્તુળો દોરી રાખ્યાં હોય છે અને કોને કયાં સુધી આવવા દેવો તે આપણે નક્કી કરી રાખ્યું હોય છે. આપણા સંબંધો આપણા વર્તન દ્વારા વ્યકત થાય […]

ભારતના હોનહાર,જે ભવિષ્યના નાગરિક છે,તે શું સ્વસ્થ છે ? નગરના અને કસબાનાં ક્ષેત્રમાં એક મોજણી કરવામાં આવી,ખુબ ચોકાવનારાં આકડા સામે આવ્યા છે- (૧) ૩૨ ટકા બાળકો પિઝા,બર્ગર,નુડલ્સ,પાસ્તા વગેરે જકફુડ ખાય છે.ી એમનું મુખ્ય ભોજન છે.ઓછામાં ઓછા અઠવાડિયામાં ત્રણ દિવસ. (૨) ૪૯ ટકા બાળકો પ્રોટિન બહુ ઓછુ લે છે.૪૩ ટકા બાળકો ફળ ,શાકાહાર વગેરેમાં રસ લેતા નથી,એ તેમને દંડ જેવું લાગે છે. (૩) ૬૨ ટકા બાળકો અનિયમિત રીતે ભોજન લે છે,જેમાં મોટે ભાગે સ્નેક્સ હોય છે,આપણાં દાળ-ભાત,શાક-રોટલી નહિ.૩૭ ટકા બાળકો દરરોજ ચોકલેટ ખાય છે.૪૦ ટકા બાળકો મેદસ્વિતાના પાશમાં છે. (૪) પરિણામ […]

મળીને શોધીએ આધુનિક ભારતના ધડવૈયા આજની આઝાદીના લડવૈયા દેશને આઝાદી મળી પરંતુ દેશવાસીઓ હજી ગરીબી,મોંધવારી.બેકારી,કુપોષણ,મહિલાઓનું શોષણ.પ્રદુષણ,ભ્રષ્ટાચાર અને વહિવટીતંત્રની લાલફીતાશાહી-લાસરીયાવૃતિમાંથી આઝાદ થયા નથી.ભારતીય લોકશાહી પુખ્ત બની છે,પરંતુ નેતાઓ નહિ. આઝાદી સમયે ધર્મના નામે ભારત અને પાકિસ્તાનના બે ભાગલા થયા.વામણા નેતાઓ આજે ૬૩ વર્ષ બાદ જ્ઞાતીવાદ,ધર્મવાદ,ભાષાવાદ,પ્રાતવાદ,કોમવાદના નામે સતત દેશનું વિભાજન કરી રહ્યા છે.દેશનું બજેટ પ્રજા સુખાકારીને બદલે સુરક્ષામાં વધુ વપરાય છે. વિશ્વમાં સૌથી વધુ ગરીબો આજે ભારતમાં વસે છે.૪૨% ભારતીય ગરીબીરેખા નીચે જીવે છે.ભારતના ૮ રાજયોની ગરીબીનું સ્તર અફ્રિકાના ૨૬ સૌથી ગરીબ રાષ્ટ્રો કરતા પણ વરવું છે. ભારતમાં દર ૧૫ સેકન્ડે એક […]

ઍટલા અતડા ના થાઓ કે લોકો તમને મળી પણ ન શકે ! ઍટલા મોંધા ના બનો કે લોકો તમને બોલાવી ના શકે   ! ઍટલા સરળ ના થાઓ કે લોકો તનમે મુરખ બનાવે     ! ઍટલા ગરમના થાઓ કે લોકો તમને અડી પણ ના શકે  ! ઍટલા સસ્તા ના બનો કે લોકો તમને નચાવ્યા કરે     ! ઍટલા નરમ ના થાઓ કે લોકો તમને ખાઈ જાય      ! ઍટલા ગંભીર ના બનો કે લોકો તમારાથી કંટાળી જાય   ! સમય સે પહેલે ઓર ભાગ્ય સે અધિક કિસીકો કુછ મિલને વાલા નહિ હૈ!

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors