જૂનાગઢ અત્‍યંત પ્રાચીન તેમજ ઐતિહાસિક શહેર છે. જૂનાગઢને લગતો પ્રથમ ઐતિહાસિક ઉલ્‍લેખ ચંદ્રગુપ્‍ત મોર્યનો છે. (ઈ. પૂ. ૩૨૨-૨૯૮) અશોકના ગિરનારના લેખમાં જણાવ્‍યા મુજબ તેના રાષ્‍ટ્રીય વૈશ્‍ય પુષ્‍યમિત્રે સુવર્ણસિકતા નદી પર બંધ બાંધીને સુદર્શન સરોવરનું નિર્માણ કર્યું હતું. અશોકના રાપાલે સુદર્શન સરોવર ઈ. ૧૫૦માં પુનઃ નિર્માણ કર્યું હતું. ઈસુની પ્રથમ સદીમાં અહીં ક્ષત્રપ રાજાઓએ ૪૦૦ વર્ષ રાજ કર્યું ત્‍યારે ગુજરાતમાં ગુપ્‍તવંશનું શાસન હતું. ત્‍યાર બાદ મૈત્રક વંશનું શાસન થયું. આ વંશનો સ્‍થાપક ભટ્ટારક હતો. આરબોએ આ વંશનો અંત આણ્યો. ત્‍યાર બાદ ૧૪૭૨ સુધી અહીં યાદવવંશી ચૂડાસમાઓનું રાજ્ય હતું પછી તો દિલ્‍હીથી […]

કષ્ટભંજન દેવનું મંદિર કે જે ગુજરાતના બરવાળા તાલુકાનાં સાળંગપુર ગામામાં આવેલું છે, તે સાળંગપુરના હનુમાન તરિકે પણ પ્રસિદ્ધ છે. આ મંદિર સ્વામિનારાયણ સંપ્રદાયની વડતાલ ગાદીના તાબામાં આવે છે. મંદિરના ઈષ્ટદેવ કષ્ટભંજન હનુમાનદાદાની મૂર્તિની સ્થાપના સ્વામિનારાયણ સંપ્રદાયનાં ગોપાળાનંદ સ્વામીએ કરી હતી. આ સ્થળ અમદાવાદથી આશરે ૧૫૩ કી.મી દૂર આવેલું છે અને નજીકનું મોટું શહેર બોટાદ છે. સ્‍વામિનારાયણ સંપ્રદાયના સ્‍થાપક સંતશ્રી સ્‍વામી સહજાનંદ ઘણું ખરું ગઢડામાં રહેતા હતા. તેમણે સંપ્રદાયના વડા તરીકે નિયુક્ત કરેલા વડતાલના સ્‍વામી ગોપાલાનંદ વારંવાર વડતાલથી વડતાલથી ગઢડા પ્રવાસ કરતી વખતે વચ્‍ચે સાળંગપુરમાં વિશ્રામ કરતા. સાળંગપુરના સ્‍વામિનારાયણ ભક્ત દરબાર […]

તળાજા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં ભાવનગર જિલ્લામાં આવેલું એક નગર છે, જે સૌરાષ્ટ્રના પૂર્વ કિનારે શેત્રુંજી અને તળાજી નદીને કાંઠે વસેલું છે. તળાજા ગુજરાતના જાણીતા સંતકવિ ભક્ત નરસિંહ મહેતાનું જન્મ સ્થળ છે. પાછળથી તેઓ જુનાગઢમાં સ્થાયી થયા હતાં. પ્રાચિનકાળમાં તળાજા તાલધ્વજ નામથી પણ ઓળખાતું હતું. જૈન મંદિરો ઉપરાંત તેમાંની અત્‍યંત પ્રાચીન બૌદ્ધ ગુફાઓ. તે જોઈને હવે નજીકના જ સમુદ્રતીરે જઈએ ગોપનાથ. ગોપનાથ મદિર જયા નરસિંહ મહેતા કૃષ્‍ણલીલાનું સાક્ષાત દર્શન થયેલું.દરિયાકાંઠે રમણીય સ્‍થળ ને પ્રાચીન- સ્‍થાન પણ જીર્ણોદ્ધારિત એટલે નવું લાગતું વિશાળ શિવાલય. હવે તો સરકારી […]

વાઘેશ્વરી દરવાજાથી બહાર નીકળી ગિરનાર તરફ જતાં રસ્‍તામાં આવે છે સમ્રાટ અશોકનો શિલાલેખ. તેના પર જ ઈ. સ. ના બીજા શતકમાં ક્ષત્રપ સરદાર રુદ્રદમન અને સમ્રાટ ચંદ્રગુપ્‍તે પણ લેખો કોતરાવ્‍યા છે. અશોકે અહીં શિલાલેખ કોતરાવ્‍યો કારણ કે અહીં વિશાળ સુદર્શન તળાવ હતું. તેને કાંઠે આ સ્‍થળ તીર્થ ગણાતું. અહીંથી આગળ ભવનાથ છે. તેમાં હજુ પણ મેળો ભરાય છે, ખાસ કરીને આહીર લોકોનો. ભગવાન શ્રીકૃષ્‍ણના સમયમાં અહીં જ આહીર લોકોનો મેળો ભરાતો. શ્રીકૃષ્‍ણ-બલરામ પણ તેમાં આવેલા. અર્જુન સાધુવેશે આવીને આ મેળામાંથી જ શ્રીકૃષ્‍ણની બહેન સુભદ્રાનું હરણ કરી ગયેલો. આગળ આવે છે. […]

કચ્‍છના પાટનગર, ભુજથી ઉત્તર પશ્ચિમે ૮૦ કિ.મી. દૂર આવેલા, માતાના મઢ ખાતે આવેલું આશાપુરા માનું મંદિર, વીતેલાં ૬૦૦ વર્ષમાં કચ્‍છના લોકોની આસ્‍થાનું જીવંત પ્રતીક બની ગયું છે. ઈસુની ૧૪મી સદીના પ્રારંભે લાખો ફુલાણીના પિતાના રાજદરબારમાં મંત્રી તરીકે રહેલા બે કરડ વાણિયાઓ અજો અને અનાગોરે આ મંદિર બનાવ્‍યું હતું, જેને કચ્‍છમાં આવેલા ૧૮૧૯ના ભૂકંપમાં ભારે નુકસાન થયું હતું એ પછી પાંચ વર્ષના ગાળામાં, આ મંદિરને બ્રહ્મક્ષત્રિય સુંદરજી શિવજી અને વલ્‍લભાજીએ ફરી બંધાવ્‍યું હતું. લગભગ ૫૮ ફૂટ લાંબા, ૩૨ ફૂટ પહોળા અને ૫૨ ફૂટ ઊંચા એ પ્રાચીન મંદિરને કચ્‍છમાં ઈ. સ.૨૦૦૧ માં […]

સૌરાષ્‍ટ્રની દક્ષિ‍ણે અરબી સમુદ્રના કિનારે આવેલું ચોરવાડ ગુજરાતના અનેક રમણીય સ્‍થળોમાંનું એક છે. ‘ઝીણા મોર બોલે લીલી નાઘેરમાં‘ એવું આપણું એક લોકગીત છે. આ ‘લીલી નાઘેર‘ તે આ પ્રદેશ, ચોરવાઙ નાગરવેલની લીલી વાડીઓ, ફળફૂલથી લચી પડતા બગીચા, આંખને ઠારે તેવા પોપટિયા રંગની શેરડીની વાડ અને વાડીઓથી આચ્‍છાદિત ચોરવાડની આસપાસનો પ્રદેશ ખરેખર તો ચોરવાડનું મૂળ નામ ‘ચારૂવાડી‘ સાર્થક કરે છે. બળબળતા ઉનાળામાં સૌરાષ્‍ટ્રના બીજા પ્રદેશો ઊના વાયરામાં શેકાતા હોય ત્‍યારે દરિયા કિનારાની આવતી ઠંડી લહેરોથી ચોરવાડ એક આદર્શ શીતળ સ્‍થળ બની રહેતું હોય છે. આથી તો તે ઘણા લાંબા સમયથી દરિયા […]

શત્રુંજ્યની તળેટીમાં આવેલું પાલિતાણા-પદલિપ્‍તપુર મહાન સિદ્ધયોગી નાગાર્જુને એના ગુરુ પદલિપ્‍તની સ્‍મૃતિમાં વસાવેલું છે. મગધની રાજ્ય ક્રાન્તિથી પીડાઈ કેટલાક જૈન પરિવારો રાજસ્‍થાન અને ગુજરાતમાં આવ્‍યા. એમણે અન્‍ય પર્વતરાજોની સાથે જ શત્રુંજ્ય પર દેવમંદિરોની રચના કરી. શત્રુંજ્યગિરિ પર પ્રથમ બંધાવેલું મંદિર કાષ્‍ઠનું હતું પરંતુ શત્રુંજ્યની યાત્રાએ આવેલા રાજેન્‍દ્ર કુમારપાળે અને અમાત્‍ય ઉદયને અગ્નિની ભાવિ આશંકાથી પ્રસ્‍તરનાં મંદિરો નિર્માણ કરવાનો આદેશ આપ્‍યો અને વાગ્‍ભટે એ પરિપૂર્ણ કર્યો. શત્રુંજ્યગિરિનાં મંદિરોના નિર્માણકાર્યમાં આચાર્ય હેમચન્‍દ્રાચાર્ય, મહારાજ સિદ્ધરાજ, મહારાજ કુમારપાળ, અમાત્‍યો ઉદયન, વસ્‍તુપાળ, તેજપાલ, શ્રેષ્ઠિઓ જગડુશાહ, કરમશાહ આદિ, અનેક આચાર્યો, સૂરિઓ, રાજવીઓ, અમાત્‍યો, શ્રેષ્ઠિઓ અને સામાન્‍ય ધર્મવીરોનો […]

નારાયણ સરોવર હિંદુઓના પવિત્ર યાત્રાધામો પૈકીનું એક છે. આ સરોવર ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં આવેલું છે. નારાયણ સરોવર ભુજથી ૨૧૦ કિમી દૂર આવેલ છે. પ્રાચીન કોટેશ્વર મંદિર અહીંથી ચાર કિમી દૂર છે. હિન્‍દુ શાસ્‍ત્ર પ્રમાણે જે મુખ્‍ય પવિત્ર પાંચ સરોવરો છે તે (૧) માન સરોવર (કૈલાસ), (૨) બિંદુ સરોવર (સિદ્ધપુર-ગુજરાત) (૩) પંપા સરોવર (કર્ણાટક) (૪) બ્રહ્મ સરોવર (પુષ્‍કર, રાજસ્‍થાન) અને (૫) નારાયણ સરોવર (કચ્‍છ-ગુજરાત), એ પાંચ પૈકી નારાયણ સરોવરનું સર્જન સૌ પ્રથમ થયું છે ! એટલું જ નહિ આ વિશ્વ આખાનું સર્વપ્રથમ મીઠા જળનું સરોવર તે નારાયણ […]

IMPORTANT TOURISM LINKS: Ministry of Tourism http://tourism.gov.in/ State / UT Tourism http://indiaimage.nic.in/tourism.htm Andaman and Nicobar Islands http://andaman.nic.in/ AP Tourism http://www.aptourism.com/ http://www.andhrapradesh.com http://www.apinfrastructure.com Arunachal Pradesh http://www.arunachaltourism.com/ http://arunachalpradesh.nic.in Assam http://assamgovt.nic.in/ Bihar http://bihar.nic.in/ http://www.nic.in/ptdc/ Chhattisgarh http://cgtourism.nic.in/ Chandigarh http://www.citcochandigarh.com/helpline/ New Delhi http://delhitourism.nic.in/ Goa www.goacom.com http://goagovt.nic.in http://goatourism.nic.in http://www.goatrip.com http://www.goahub.com/goa/travel_guide http://ruralbazargoa.nic.in http://goamuseum.nic.in Gujarat http://www.gujarattourism.com/ Haryana http://www.nic.in/htc/ Himachal Pradesh http://www.hptdc.nic.in/ Jammu and Kashmir http://www.jktourism.org/ Jharkhand http://www.jharkhand.nic.in/tourism/tour.htm Karnataka http://kstdc.nic.in/ Kerala Tourism http://www.keralatourism.org Lakshwadeep http://lakshadweep.nic.in/lakislscvr.htm Madhya Pradesh Tourism http://www.mptourism.com/ Maharashtra http://www.maharashtra.gov.in www.mumbainet.com Manipur http://manipur.nic.in/ Meghalaya http://meghalaya.nic.in www.meghalayatourism.com Mizoram http://mizotourism.nic.in/ Nagaland http://www.nagalandtourism.com/ Orissa http://www.orissa-tourism.com/ Pondicherry http://www.tourisminpondicherry.com Punjab http://ptdc.nic.in/ Rajasthan http://www.rajgovt.org […]

મહુડીઃ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા ગાંધીનગર જિલ્લામાં આવેલા કુલ ૪ તાલુકાઓ પૈકીના એક એવા માણસા તાલુકામાં આવેલું એક મહત્વનું ગામ છે. અમદાવાદથી ૮૦ કિ.મી. દૂર વિજાપુર પાસે મહુડી ગામ આવેલું છે. આ તીર્થક્ષેત્ર ૨૦૦૦ જેટલાં વરસ જેટલું પ્રાચીન હોવાનું ગણાય છે. હાલના દેરાસરની તથા ઘંટાકર્ણ મહાવીરના સ્થાનની પ્રતિષ્ઠા વિક્રમ સંવત ૧૯૭૪ અને વિક્રમ સંવત ૧૯૮૦માં થયેલ છે. આ તીર્થસ્થાન ચમત્કારિક ગણાય છે અને ભક્તજનોની આશાઓ અહીં પૂર્ણ થાય છે. તેવી લોકોની માન્યતા છે. અહીંના દેરાસરમાં ઘંટાકર્ણજી તેમજ પદ્માવતી માતાના મંદિરોનો મહિમા મોટો છે. જૈન […]

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors