કાર્ય કરો અને પરિણામ મેળવો રોજ એક રોજ એક કાર્ય કરવાથી ૩૦ દિવસના અંતે જોજો તમારી તંદુરસ્તિ કેવી સરસ બને છે.તો મફતમાં છે લેજો જરુર..તો તૈયાર થઈ જાવ્ * ચિંતા કરવી છોડી દો – માનસિક શાંતિ હરી લે છે. * ઈર્ષા ન કરો – સમય અને શક્તિનો વ્યય થાય છે. * તમારી મર્યાદાનો સ્વીકાર કરો – આપણે બધા જ મહાન નથી બની શકતા. * લોકોમાં વિશ્વાસ રાખો – તમે વિશ્વનીય હશો તો તેઓ પણ એવો જ પ્રતિભાવ આપશે. * પુસ્તક વાંચો – તમારી કલ્પના શક્તિ વધશે. * સારો શોખ કેળવો – […]

જન્મ:  ર૧મી ઓક્ટોબર, ૧૯૦૧ના દિવસે દક્ષિણ ગુજરાતના મહત્વના શહેર સુરત ખાતે થયો હતો માતાનું નામ ;ધનવિદ્યાગૌરી પિતાનું નામ :હરિહરશંકર હતું. (તેમનાં લગ્ન ઇ. સ. ૧૯૨૯માં કરસુખબેન સાથે થયાં હતાં.) લગ્ન: ઇ. સ. ૧૯૨૯માં કરસુખબેન સાથે થયાં હતાં. સંતાનઃ પુત્રી – રમા પુત્ર – પ્રદીપ, અસિત અભ્યાસ: મેટ્રિક –1919 ; બી.એ.- 1923 – એમ.ટી.બી. કોલેજ સુરત; એમ.એ. – 1925 વિશેષઃ 1926- ક.મા.મુન્શીના મદદનીશ ગુજરાત માસિકના સહતંત્રી, સાહિત્યસંસદના મંત્રી; 1931- 33- કબીબાઇ હાઇસ્કૂલ – મુંબાઇ માં શિક્ષક; 1933-36- એમ.ટી.બી. કોલેજ સુરત માં પ્રાધ્યાપક; 1937- મુંબાઇમાં સરકારી ઓરીએન્ટલ ટ્રાન્સલેટર; 1960-63 કે.જે. સોમૈયા કોલેજ […]

વિદુર નીતિ મુજબ આ ત્રણે જણને પૈસાની બાબતમાં સ્વતન્ત્રતા ન આપવી . 1. તમારો ગમે તેટલો વિશ્વાસુ હોય એ નોકરને 2. તમારા કુપુત્ર , ઉડાઉ ,બદમાશ દીકારને 3. તમારી હોશિયાર પત્ની હોય તેને પણ વિદુરનીતિ મુજબ આ ચાર જણાને જોડે મંત્રણા ,ગુપ્ત વિચારો ના કરાય 1. જેની બુધિ ઓછી હોય. 2. બહુ હરખ ઘેલો હોય 3. જેને પોતાની બહુ મોટાઈ હોય 4. જે દીર્ઘસુત્રી હોય ,એટલે ૧૫ મીનીટ નું કામ ૨ દિવસમાં પણ ના કરે તેવા વિદુરનીતિ મુજબ આ ચાર વસ્તુ તુરંતજ ફળ આપે છે. 1. શુભ સંકલ્પ 2. મહા […]

સામાન્ય વર્ગને મોંઘવારી બધે નડી રહી છે. મોટા ભાગના મૂડીરોકાણ સ્રોત પણ મોંઘા થઇ ગયા છે. સોનામાં ૧૦ ગ્રામદીઠ R ૨૬૬૦૦, ચાંદીમાં કિલોદીઠ R ૫૩,૫૦૦ અને જમીન-મકાનના આસમાનને આંબી રહેલા ભાવો જોઇને સામાન્ય માનવીએ ઠાકોરજીના અન્નકૂટની જેમ દૂરથી દર્શન કરીને જ ધન્ય થવાનો કપરો સમય આવ્યો છે. ખાનગી બેન્કોમાં એફડી મૂકવા જાવ તો કહેશે કે ઓછામાં ઓછા R ૫૦૦૦ની એફડી કરાવવી પડશે, સેવિંગ્સ એકાઉન્ટ ખોલાવવા જાવ તો કહેશે ઓછામાં ઓછું R ૫૦૦૦નું બેલેન્સ રાખવું પડશે. શેરબજારમાં મૂડીરોકાણ કરવા જાવ તો બ્રોકર કહેશે ઓછામાં ઓછા R ૧૦,૦૦૦ની રકમ જમા રાખવી પડશે. […]

બારિસ્ટિર તો થયા – પણ પછી ? બારિસ્ટર થવા સારુ બે વસ્તુની જરૂર હતી. એક તો ‘ટર્મ ભરવી’ એટલે સત્ર સાચવવાં. વર્ષમાં ચાર સત્ર હોય. તેવાં બાર સાચવવાં. બીજી વસ્તુ કાયદાની પરીક્ષા આપવી. સત્ર સાચવવાં એનો અર્થ ‘ખાણાં ખાવાં’ ; એટલે કે, દરેક સત્રમાં લગભગ ચોવીસ ખાણાં હોય તેમાંથી છ ખાવાં. ખાણાં ખાવાં એટલે ખાવું જ એવો નિયમ નહીં; પણ નીમેલે વખતે હાજર થવું ને ખાણું પૂરુ થવાનો વખત થાય ત્યાં સુધી બેઠા રહેવું. સામાન્યા રીતે તો સૌ ખાય ને પીએ જ. ખાણામાં સારી સારી વાનીઓ હોય, અને પીવામાં સારો […]

મહાપ્રદર્શન મેં પારીસમાં અન્નાહારનું એક મકાન હતુ એ વિશે વાંચ્યું હતું. ત્યાં એક કોટડી રોકી. ગરીબાઇથી મુસાફરી કરી પારીસ ગયો. સાત દિવસ રહ્યો ઘણુંખરું બધું જોવાનું પગપાળા જ કર્યું. સાથે પારીસની, તે પ્રદર્શનની ગાઇડ ને તેનો નકશો રાખ્યાં હતા. તેને આધારે રસ્તાઓ શોધીને મુખ્યી વસ્તુઓ જોઇ. પ્રદર્શનની વિશાળતા અને વિવિધતા સિવાય બીજું મને કંઇ યાદ નથી. એફિલ ટાવર ઉપર તો બેત્રણ વેળા ચડેલો, એટલે તેનું સ્મરણ ઠીક છે. પહેલે મજલે ખાવાની સગવડ પણ હતી. એટલે ઊંચે ભોજન કર્યાનું કહી શકવા ખાતર ત્યાં ખાણું ખાધું ને સાડા સાત શિંલિગમાં દીવાસળી મેલી. […]

નારાયણ હેમચંદ્ર આ જ અરસામાં સ્વ. નારાયણ હેમચંદ્ર વિલાયતમાં આવ્યા હતા. લેખક તરીકે તેમનું નામ મેં સાંભળ્યું હતું. તેમને હું નૅશનલ ઇન્ડિયન ઍસોસિયેશનવાળાં મિસ મૅનિંગને ત્યાં� મળ્યો. મિસ મૅનિંગ જાણતાં હતાં કે મને બધાની સાથે ભળતાં નહોતું આવડતું. હું તેમને ત્યાં જતો ત્યારે મૂંગે મોઢે બેઠો રહેતો; કોઇ બોલાવે તો જ બોલું. તેમણે નારાયણ હેમચંદ્રની ઓળખાણ કરાવી. નારાયણ હેમચંદ્રને અંગ્રેજી નહોતું આવડતું. તેમનો પોશાક વિચિત્ર હતો. બેડોળ પાટલૂન પહેર્યું હતું. ઉપર ચોળાઇ ગયેલો, કાંઠલે મેલો, બદામી રંગનો કોટ હતો. નેકટાઇ કે કૉલર નહોતાં. કોટ પારસી ઘાટનો પણ ડોળ વિનાનો. માથે […]

નિર્બળ કે બળરામ આ બૌદ્ધિક ધર્મજ્ઞાનના મિથ્યાત્વકનો અનુભવ મને વિલાયતમાં મળ્યો. પૂર્વે એવા ભયમાંથી હું બચ્યો તેનું પૃથક્કરણ કરી શકાય તેમ નથી. મારી તે વેળા બહુ નાની ઉંમર ગણાય. પણ હવે તો મારી ઉંમર વીસ વર્ષની હતી. ગૃહસ્થાશ્રમનો ઠીક અનુભવ મેળવ્યો હતો. ઘણું કરીને મારા વિલાયતના વસવાટના છેલ્લા વર્ષમાં, એટલે ૧૮૯૦ની સાલમાં, પોર્ટસ્મથમાં અન્નાહારીઓનું સંમેલન હતું. તેમાં મને અને એક હિંદી મિત્રને આમંત્રણ હતું. અમે બન્નેં ત્યાં ગયાં. અમને બન્ને ને એક બાઇને ત્યાં ઉતારો આપવામાં આવ્યો હતો. પોર્ટસ્મથ ખલાસીઓનું બંદર ગણાય છે. ત્યાં ઘણાં ઘરો દુરાચરણી સ્ત્રી ઓનાં હોય […]

ધાર્મિક પરિચયો વિષયોનું ચિંતન કરનારનો પ્રથમ તેને વિશે સંગ ઊપજે છે, સંગની કામના જન્મેલ છે. કામનાની પાછળ ક્રોધ આવે છે, ક્રોધમાંથી સંમોહ, સંમોહમાંથી સ્મૃતિભ્રમમાંથી બુદ્ધિનાશની થાય છે, ને અંતે તે પુરુષનો પોતાનો નાશ થઇ શકે છે. એ શ્ર્લોકની મારા મન ઉપર ઊંડી અસર પડી. તેના ભણકારા મારા કાનમાં વાગ્યાં જ કરે. ભગવદગીતા અમૂલ્ય ગ્રંથ છે એમ મને તે વેળા ભાસ્યું. તે માન્યતા ધીમે ધીમે વધતી ગઇ અને આજે તત્વજ્ઞાનને સારુ તેને હું સર્વોતમ ગ્રંથ ગણું છું. મારા નિશાનના સમયે તે ગ્રંથે મને અમૂલ્ય સહાય કરી છે. તેના અંગ્રેજી તરજુમા લગભગ […]

અસત્યયરૂપી જેવો શરમાળ તેવો જ ભીરુ હતો. વેંટનરમાં જે ઘરમાં હું રહેતો હતો તેવા ઘરમાં, વિવેકને અર્થે પણ, ઘરની દીકરી હોય તે મારા જેવા મુસાફરને ફરવા લઇ જાય. આ વિવેકને વશ થઇ આ ઘરધણી બાઇની દીકરી મને વેંટનરની આસપાસની સુંદર ટેકરીઓ ઉપર લઇ ગઇ. મારી ચાલ કંઇ ધીમી નહોતી. પણ તેની ચાલ મારા કરતાં પણ તેજ. એટલે મારે તેની પાછળ ઘસડાવું રહ્યું. એ તો આખો રસ્તો વાતોના ફુવારા ઉડાવતી ચાલે, ત્યાએરે મારે મોઢેથી કોઇ વેળા ‘હા’ કે કોઇ વેળા ‘ના’ નો સૂર નીકળે. બહુ બોલી નાખું તો ‘કેવું સુંદર ! […]

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors