મનસુખલાલ ઝવેરી

મનસુખલાલ ઝવેરી એ ગુજરાતી ભાષા નાં ઊંડા અભ્યાસી તેમજ સમર્થ વિવેચક પણ હતાં. તેનો જન્મ ઈ.સ.૧૯૦૭ ની ૩ ઓક્ટોબર નાં રોજ ગુજરાત રાજયનાં જામનગર શહેરમાં થયો હતો. તેમનાં પિતાનું નામ મગનલાલ ઝવેરી હતું. તેઓએ એમ.એ. સુધીનો અભ્યાસ પુર્ણ કરીને ાધ્યાપક તરીકે અને પછીથી િન્સિપાલ તરીકે સેવા આપી હતી. તેઓ શિક્ષણની સાથે સાથે સાહિત્ય માં પણ ખુબજ સફ્ળ રઙ્ગાા હતાં. તેઓએ ગુજરાતી ભાષા, વ્યાકરણ અને લેખન પર ખુબજ ઉમદા કાર્ય કર્યુ હતું. તેઓએ ઈ.સ.૧૯૬૬ માં ન્યુયોર્ક ખાતે આંતર રાષ્ટ્રીય શિબિરમાં ભારતીય લેખકોનું તિનિધિત્વ પણ કર્યુ હતું. આ ઉપરાંત મનસુખલાલે તેમનાં જીવનકાળ […]

ગાંઘીયુગના જાણીતા ગુજરાતી કવિ ઉત્તર ગુજરાતના તત્કાલીન ઇડર રાજયના સુવેર ગામના રામચંદ્ર હરિદત્ત ઠાકુરને ત્યાં મોસાળમાં કુકડિયા ગામે ઇ.સ. ૧૯૧૦ના ફેબ્રુઆરી માસની ત્રેવીસમી તારિખે મુરલીધર ઠાકુરનો જન્મ બે વર્ષની વયે માતા ગંગાબાઇનું મૃત્યુ થતાં મોસાળમાં જ ગામઠી નિશાળે પ્રાથમિક અભ્યાસ કરી પિતા પાસે મુંબઇ જઇ ત્યાં મેટ્રિક થયા. ગુજરાતી-સંસ્કૃત લઇ એમ.એ. થયા અને મુંબઇની સિડનહામ કોલેજમાં પ્રાધ્યાપક તરીકે જોડાયા. સિડનહામ કોલેજની ભોંયતળિયે આવેલી પ્રોફેસરોના રૂમ વર્ષો સુધી કવિતાનો કકકો ઘૂંટનારથી માંડી સોશિયલ ની સમભાવની પ્રવૃત્તિ કરનાર અનેક હોંશીલા વિદ્યાર્થીઓની તીર્થધામ બની હતી એકાઉન્ટન્સી કે અર્થશાસ્ત્રના ખાસ વિષયો ત્યજીને એમનાં લેક્ચરોમાં […]

સૌરાષ્ટ્રના વિખ્યાત લોકગાયક અને લોકસંગીતનિયોજક લોકગીતોની સૂરાવલિમાં સમાયેલું સૌદર્ય છતું થાય એવી હલકથી ગાવાની ક્ષમતા ધરાવતા અને કથાનકમાં રહેલા વીર કે કરુણ રસને બહેલાવે એવો કંઠ ધરાવતા હિંમતદાન ગઢવીનો જન્મ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લાના ઢાંકણિયા ગામે ઇ.સ. ૧૯૨૯ના સપ્ટેમ્બર માસની ૮મી તારીખે થયો હતો. પછીથી તેઓ હેમુ નામના લાડીલા ઉપનામથી ઓળખાતા હતા.લેકસાહિત્યની ગીત-કથાઓ, વારતાઓ વગેરે લોકપ્રિય બનાવવામાં મહત્વનું યોગદાન આપનાર આ ગાયક અને કથા- નિવેદક સૌરાષ્ટ્રના પડધરી ગામે કોળી મહિલાઓના ગીતોનું ધ્વનિ-મુદ્રણ કરી રહ્યા હતા ત્યારે જ ઇ.સ. ૧૯૬૫ના ઓગસ્ટ માસની ૨૦મી તારીખે કાયમી વિદાય લઇ પરલોક સિધાવ્યા. પિતાનું નામ નાનુભા. […]

કાલિદાસ

કાલિદાસ એ સંસ્કૃત ભાષાના એક અત્યંત મહત્વના કવિ હતા. તેઓને ‘મહાકવિ કાલિદાસ‘નું બિરુદ આપવામાં આવેલ છે. કાલિદાસે કુલ સાત રચનાઓનું સર્જન કરેલ હોવાનું માનવામાં આવે છે. આ રચનાઓ પૈકીના ચાર મહકાવ્યો તથા ત્રણ નાટકો છે. તેમની રચનાઓમાં ‘મેદ્યદુત‘, ‘ઋતુસંહાર‘, ‘કુમાર સંભવમ‘ અને ‘રદ્યુવંશમ્‘ એ ચાર મહાકાવ્યો છે અને ‘અભિજ્ઞાન શાકુંતલમ્‘, ‘વિક્રમોવર્શીય‘ તથા ‘માલવિકાગ્નિમિત્ર‘ નાટકો સૌથી વધુ જાણીતી રચનાઓ છે. જર્મનકવિ ગેટે તેમનું નાટક અને‘અભિજ્ઞાન શાકુંતલ‘ થી ખુશ થઇને માથે મુકીને નાચ્યા હતા. એમના વિષે વધુ વિગતોની જાણ નથી, પરંતુ એવું મનાય છે કે તેઓ ઇ. સ. પૂર્વે ૧લી થી ૫મી […]

નાનજી કાલિદાસ મહેતા

સલાહસિક શાહ-સોદાગર અને કર્મનિષ્ઠ ઉદારચરિત ઉદ્યોગપતિ ઇ.સ. ૧૮૭માં જામનગર રાજયના નાના ગામ ગોરાણમાં એમનો દનેમ પિતા કાલિદાસ પરચૂરણ ચીજોના વેપારી તેમના ધાર્મિક સ્વભાવે વૈષ્ણવ સંસ્કારના બીજ રોપ્યાં. માતા જમનાબાઇની કડક પણ વાત્સલ્યપૂર્ણ પ્રકૃતિએ જીવનમાં શિસ્ત અને સહાનુભૂતિ ભાવ પેદા કર્યા અર્ધા રોટલાથી સંતોષ નહિ માની શકનાર બાર વર્ષના કિશેર નાનજીભાઇ ઇ.સ ૧૯૦૧માં દેશી વહાણમાં આફ્રિકાના સફરે ગયા એક ભયંકર સમુદ્રી તોફાનમાંથી સલામત બચી આફ્રિકાના મજંગા નામના ગામમાં વડીલ બંધુ સાથે વેપારમાં જોડાયા મોટાભાઇ ત્યાંથી દક્ષિણ આફ્રિકા ગયા અને નાનજીભાઇ સ્વદેશ પરત આવ્યા દેશમા આવી માતા-પિતાની ગોદમાં ગોઠવાયા પણ દેશમાં ચેન […]

નર્મદ

સમાજસુધારાનો આદિ લડવૈયો, અનેક સાહિત્યપ્રકારોનો ગુજરાતી ભાષાનો પ્રથમ પ્રારંભકર્તા ગુજરાતમાં અંગ્રેજી રાજય-અમલની સ્થાપનાને દોઢ દાયકો વીત્યો હતો. પશ્ચમી સંસ્કૃતિનાં મોજાં ઊછળી રહ્યા હતાં. ગુજરાતમાં દુર્ગારામ મહેતાજી, સહજાનંદ, સ્વામી, કવિ, દલપતરામ, શામળ વગેરે પોતપોતાની રાતે લોકજાગૃતિ માટે રચ્યાપચ્યા હતાં એવા મંથનકાળમાં ઇ.સ. ૧૮૩૩ના ઓગસ્ટની ચોવીસની તારીખે સુરતમાં નર્મદનો જન્મ થયો. પિતા લાલશંકર લહિયાનું કામ કરતાં બચપણમાં મર્મદની પ્રકૃતિ શરમાળ, વહેમી અને ભીરુ હતી તેને ભૂતપ્રેતનો પણ ભારે ડર લાગતો.પરંતુ અઢારમા વરસથી તે સાવધ થયો અને ભીરુના તથા બીકને તિલાંજલિ આપે છે. નર્મદ હાઇસ્કૂલ શિક્ષણ દરમિયાન તેજસ્વીકારકિર્દી ધરાવતો હતો. તેની યાદશકિત તીવ્ર […]

ગુજરાતી સાહિત્યના વિખ્યાત વિવેચક અને સાહિત્ય-સંશોધક ભૃગુરાય જન્મયા ઇ.સ. ૧૯૧૩ના ઓકટોબર માસની ૬ઠ્ઠી તારીખે રાજકોટમાં પિતા દુર્લભજી જામનગરમાં શિક્ષક તરીકે કામ કરતા માતાનું નામ ચંચળબહેન ભૃગુરાયે પ્રાથમિક શિક્ષણ જામનગરમાં લીધું તે દરમિયાન માતાપિતાનું અવસાન થતાં રાજકોટ મોસાળમાં ભણી મેટ્રિક છયા ભાવનગરની શામળદાસ કોલેજમાંથી અંગ્રેજી અને ગુજરાતી વિષયો સાથે બી. એ. થયા અને એજ વિષયોની એમ.એ.ની પરીક્ષા મુંબઇની કોલેજમાં અભ્યાસ કરી આપવા નક્કી કર્યું. તબિયત બગડતાં મુંબઇ છોડી થોડો સમય તેઓ જેતપુરમાં રહેયા અહીં રાષ્ટ્રસેવાના કાર્યોમાં જોડાયા. પી.એચ.ડી. નો અભ્યાસ પુનઃ શરૂ કરવાનો નિર્ણય લીધો અને થોડો સમય અમદાવાદમાં રહ્યા. મુંબઇનિવાસ […]

ડો. રમણલાલ જોશી

ગુજરાતી સાહિત્યના વિખ્યાત વિવેચક રમણલાલ જોશીનો જન્મ વિજાપુર તાલુકાના હીરપુરા ગામે તા. ૨૨મી મે, ઇ.સ. ૧૯૨૬ના રોજ થયો તેમણે પ્રાથમિક શિક્ષણ વડનગરમાં લીધું જયારે માધ્યમિક શિક્ષણ વિજાપુર તાલુકાના પિલવાઇ ગામમાં લીધું ઇ.સ. ૧૯૫૦માં બી.એ. થયા અને ઇ.સ. ૧૯૫૪માં એમ.એ. થયા એમ.એ. માં એમને દ્ધિતીય વર્ગ આવ્યો હતો. ગોવર્ધનરામઃ એક અધ્યયન વિષે મહાનિબંધ લખી એમણે ઇ.સ. ૧૯૬૨માં ગુજરાત યુનિર્વિસટીમાંથી પીએચ.ડી.ની પજવી પ્રાપ્ત કરી. ઇ.સ. ૧૯૫૪થી ઇ.સ. ૧૯૫૯ સુધી તેઓ ગુજરાત યુનિર્વિસટીના ભાષાસાહિત્ય-ભવનમાં રિસર્ચ-ફેલો રહ્યા ઇ.સ. ૧૯૫૯થી ઇ.સ. ૧૯૬૨ સુધી તેમણે અમદાવાદની જી.એલ.એસ.આર્ટ્સ કોલેજમાં અધ્યાપક તરીકે કામગીરી બજાવી ઇ.સ. ૧૯૬૨થી ઇ.સ. ૧૯૬૮ […]

મોતીભાઇ અમીન

ગુજરાતી પુસ્તકાલય પ્રવૃત્તિના પુરોધા, આત્મા અને પ્રાણ ઇ.સ. ૧૮૭૩ના નવેમ્બરની ઓગણત્રીસમી તારીખે પોતાને મોસાળ અલિન્દ્રામાં તેઓ જન્મેલા પિતા નરસિંહભાઇ નવ વર્ષની વયે પિતાનું છત્ર ગુમાવ્યું પરંતુ મોતીભાઇએ કુમારાવસ્થાથી જ કર્મયોગનો આરંભ કરી દીધો હતો ઇ.સ. ૧૮૮૮માં વાચન, મનન અનેન ચર્ચા માટે એમણે અગિયાર વિદ્યાર્થીઓનો સંઘ વિદ્યાર્થી સમાજ નામે સ્થાપવો હતો ચરોતરમાં આવેલા પોતાના વતન વસોમાં ત્યારે તેઓ અંગ્રેજી બીજા ધોરણમાં ભણતા હતા શિક્ષકોના માર્ગદર્શન હેઠળ મોતીભાઇએ સ્વદેશપ્રેમ, સમયપાલન, વ્યવસ્થા, દૃઢતા, સત્ય વગેરે સદ્દગુણો અને વાચનનો શોખ ખીલવ્યાં. વધુ અભ્યાસ માટે વડોદરા ગયા ત્યાં પણ સમાજ પુસ્તકાલય ની શરૂઆત કરી. જેમતેમ […]

રઘુવીર ચૌધરી

રઘુવીરનો જન્મ ઇ.સ. ૧૯૩૮ના ડિસેમ્બરની માસની પાંચમી તારીખે બાપુપુરા ગામે થયો હતો પિતાનું નામ દલસિંહ અને માતાનું નામ જીતીબહેન. ઇ.સ. ૧૯૬૦માં હિંદી વિષય વઇને બી.એ. માં પ્રથમ નંબરે ઉત્તીર્ણ થઇ તેઓ અધ્યાપનકાર્યમાં જોડાયા હતા ઇ.સ. ૧૯૭૯માં ગુજરાતી ધાતુકોશ વિષય પર સંશોધન કરી પીએચ.ડી.ની ઉપાધિ પ્રાપ્ત કરી ઇ.સ. ૧૯૭૭થી તેઓ ગુજરાત યુનિવર્સટીમાં અધ્યાપક તરીકે સેવા આપવા લાગ્યા. રઘુવીરનું મુખ્ય પ્રદાન નવલકથાક્ષેત્રે છે. તેમણે પ્રસિદ્ધ કરેલી નવલકથાઓમાં તેમની કીર્તિદા કૃતિ અમૃતા (૧૯૬૫), ‘તેડાગર’ (૧૯૬૮), ‘લાગણી’ (૧૯૭૬),‘બાકી જિંદગી’ (૧૯૮૨) જેવી કૃતિઓ ઉપરાંત સમાજને લક્ષમાં રાખી લખાયેલી મહાનવલો ‘પૂર્વરાગ’ (૧૯૬૪) અને ‘ઉપરવાસત્રયી’ (૧૯૭૫) તથા […]

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors