-અમાસ ન હોય તો પુનમનું મહત્વ કેમ સમજાત ? – મૃત્યુનું કરણ રોગ નહિ પણ જન્મ છે . – કપટ કરવાની ઇચ્છા થાય તો મોહમાયા પર કરજો. – સત્યને દલીલની જરૂર નથી. – મૂર્ખ મિત્ર કરતા, સમજદાર દુશમન સારો… – મનુષ્યની પ્રથમ ફરજ પાડોશી પ્રત્યે છે – તૃષ્ણાઓનો કોઇ અંત નથી,તે અનંત છે. -જીવનમાં સાદાઈ રાખો,દંભ ન કરો. -\”હું\” જયારે મરશે ત્યારે માધવ પ્રગટશે. – લાયકાત વિનાની પ્રશંસા એટલે ઢાંકેલી મશ્કરી. – સત્ય બોલવું એ કલિયુગમા તપસ્યા છે. – ધડપણ,મરણ,આપદા એ સૌને માથે હોય છે. – અન્યનું સુખ જોઈ દ્વેષ […]

*જીંદગીને કોઈપણ જાતની શર્ત વગર પ્રેમ કરો. *કોઈપણ બનાવ એ બનાવના કારણે આવનારા પરિણામની કલ્પના વધારે ભયંકર હોય છે માટે ખોટી કલ્પના કરવી નહિ. *સારા વિચારને અમલમાં મુકવા રાહ ન જોવી અને ખરાબ વિચારને અમલમાં મુકવા ઉતાવળ ન કરવી. *જીવનમાં જેટલી બને તેટલી ચાલાકી ઓછી કરવી પઈ જોજો ઉપરવાળાની મહેરબાની તમારી ઉપર કેવી રહેશે, *કરેલા કર્મનું ફળ અવશ્ય મળે છે માટે દુઃખ આવે ત્યારે પ્રભુ પાસે માફી નહિ પણ સદબુધ્ધિ અને સહનશક્તિ માગો. * પ્રાર્થના એટલે આત્માના અવાજને પરમાત્મા સુધી લઈ જનાર સંદેશા વાહક. દયાનંદ સરસ્વતી. * દરરોજ ઇશ્વરની પ્રાર્થના […]

*કુળને ખાતર એકને ત્યજવો, ગામને ખાતર કુળને ત્યજવું, દેશને ખાતર ગામને ત્યજવું, પોતના આત્માને ખાતર પૃથ્વી ત્યજવી. *વૃક્ષો ફળોના આવવાથી નીચા નમે છે, વાદળા નવા પાણી ભરાવવાથી ખુબજ નીચ નમી જાય છે, સત્પુરૂષો સમૃધ્ધિ વડે વિનમ્ર બને છે, પરોપકારીઓનો આજ સ્વભાવ હોય છે. *ગુસ્સો કરવો એટલે બીજાઓના દોષનો બદલો આપણી જાત ઉપર લેવો. * માણસનું ધરેણુ રુપ છે, રુપનું ધરેણુ ગુણ છે, ગુણનું ધરેણુ જ્ઞાન છે,  જ્ઞાનનું ધરેણુ  ક્ષમા છે. * સાપના દાંતમાં ઝેર હોય છે, માખીના માથામાં ઝેર હોય છે, વીંછીની પુછડીમાં ઝેર હોય છે,  દુર્જનના તો બધા અંગોમાં […]

સ્વામી રામતીર્થે કહ્યું છે, “મનુષ્યના વિચાર જેવા હોય છે તેવું જ તેનું જીવન બને છે. -સ્વામી વિવેકાનંદે કહ્યું હતું, “સ્વર્ગ અને નરક બીજે ક્યાંય નથી. એમનો નિવાસ આ૫ણા વિચારોમાં જ છે. “ભગવાન બુદ્ધે પોતાના શિષ્યોને ઉ૫દેશ આ૫તા કહ્યું હતું, -ભિક્ષાઓ, અત્યારે આ૫ણે જે કંઈ છીએ તે પોતાના વિચારોના કારણે છીએ અને ભવિષ્યમાં જેવા બનીશું તે ૫ણ આ૫ણા વિચારોને કારણે જ બનીશું.” શેક્સપિયરે લખ્યું છે, “કોઈ ૫ણ વસ્તુ સારી કે ખરાબ નથી. તેના સારા કે ખરાબ હોવાનો આધાર આ૫ણા વિચારો જ છે. “ઈસુ ખિસ્તે કહ્યું હતું, “માણસના વિચારો જેવા હોય છે […]

* મનુષ્યનું જીવન વિચારોથી જ ચાલે છે જો સારા વિચારો હોય તો જીવન સારું બનશે.જો વિચાર ખરાબ તો જીવન ખરાબ બની જશે. * ઉન્નતિની પરખ કરવાની સાચી રીત છે તુલના. આ તુલના બીજાની સાથે ન કરવી, બલકે તમારા ગઈ કાલના દિવસ સાથે આજના દિવસની કરવી. * જયારે તમે દુઃખી થાવ છો ત્યારે બીજાઓથી પ્રેમ ઇચ્છો છો.જયારે બીજા દુઃખી થાય છે ત્યારે શું તમે બીજાઓને તમારો પ્રેમ આપો છો?છે ને આશ્ચર્ય ! * જયારે આપણે નાની- નાની ચીજો પર ધ્યાન આપીએ છીએ.ત્યારે મહાન ઉન્નતિ થાય છે,પરંતુ મહાન ઉન્નતિ કોઈ નાની ચીજ […]

જીવનના સાત પગલા (૧) જન્મ…. એક અણમોલ સોગાદ છે, જે ભગવાનની ભેટ છે….. (૨) બચપણ મમતાનો દરિયો છે જે પ્રેમથી ભર્યો છે, જે ડુબી શક્યો તે તરી ગયો છે…. (૩) તરુણાવસ્થા કંઇ વિચારો, કંઇ આશાઓનો પહાડ છે. મેળવવાની અનહદ આશા અને લુટવાની તમન્ના છે. તરુણાવસ્થા એટલે તરવરાટ, થનગનાટ… અને અનેક નવી મૂંઝવણો…. (૪) યુવાવસ્થા બંધ આંખોનું એ આંધળુ સાહસ છે… તેમા જોશ છે, ઝનુન છે, ફના થવાની ઉમ્મીદો .. અને કુરબાન થવાની આશા છે. (૫) પ્રૌઢાવસ્થા ખુદને માટે કશુ ન વિચારતા… બીજા માટે કરી છુટવાની ખુશી છે. કુટુંબ માટે કંઇ […]

*  પ્રાર્થના એટલે આત્માના અવાજને પરમાત્મા સુધી લઈ જનાર સંદેશા વાહક. દયાનંદ સરસ્વતી * દરરોજ ઇશ્વરની પ્રાર્થના કરવાથી અંતઃકરણ પવિત્ર બને છે. સ્વામી રામતીર્થ. * પ્રાર્થના ધર્મનો સ્તંભ અને સ્વર્ગની ચાવી છે. મુહમ્મદ સાહેબ * પરમાત્માની પ્રાર્થના આત્માની અનંત શકિતઓને જગાડનાર દૈવી બળ છે. મહાભારત. * નમ્રતા અભિમાનને ઓગાળી નાખે છે. વિષ્ણુ પુરાણ

દુઃખીને મદદ કરવા લંબાયેલો એક હાથ, પ્રાથના કરવા જોડાયેલા બે હાથ કરતા વધુ સાર્થક છે. -સ્વામી વિવેકાનંદ

-\’ખાઈ\’માં પડેલો બચીને ઉપર આવી શકે પણ \’અદેખાઈ\”માં પડેલો માનવી કયારેય ઉપર આવી શકતો નથી. સ્વામી પીયુષાનંદ સરસ્વતી

પ્રભુ ઉપર શ્રધ્ધા રાખનાર કયારેય નિરાશ થતો નથી.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors