એટલી શિખામણ દઈ ચિત્ત સંકેલ્યું, ને વાળ્યું સતીએ પદ્માસન રે, મન વચનને સ્થિર કરી દીધું ને અંતર જેનું છે પ્રસન્ન રે…એટલી. ચિત્ત સંવેદન સર્વે મટાડી દીધું ને લાગી સમાધિ અખંડ રે, મહાદશ પ્રગટાવી તે ઘડી ને એકાગ્ર થયા પંડ બ્રહ્માંડ રે…એટલી. બ્રહ્મ રૂપ જેની વૃત્તિ બની ગઈ ને અંતર રહ્યું નહિ લગાર રે, સુરતાએ સુનમાં જઈ વાસ કીધો, ને અરસપરસ થયા એકતાર રે..એટલી. નામ ને રૂપની મટી ગઈ ઉપાધિ ને વૃત્તિ લાગી પીંડની પાર રે, ગંગા સતીનું શરીર પડી ગયું, ને મળી ગયો હરિમાં તાર રે…એટલી.
મનડાને સ્થિર કરી આવો રે મેદાનમાં, દેખાડું હરિ કેરો દેશ રે, હરિનો દેશ તમને એવો દેખાડું, જ્યાં નહીં વર્ણ ને નહીં વેશ જી … મનડાને. સુક્ષ્મ સૂવું ને સુક્ષ્મ ચાલવું સુક્ષ્મ કરવો વે’વાર રે, શરીરની સ્થિરતામાં ચિત્ત જેનું કાયમ, ને વૃત્તિ ન ડોલે લગાર જી … મનડાને. કુબુદ્ધિવાળાનો સંગ નવ કરવો રહેવું એકાંતે અસંગ રે, કૂંચી બતાવું એનો અભ્યાસ કરવો, નિત્ય રે ચડાવવો નવો રંગ જી … મનડાને. ચિત્તને વિષયમાંથી ખેંચી લેવું રેવું સદાય ઈન્દ્રિય-જીત રે, ગંગા સતી રે એમ બોલિયાં પાનબાઈ, વિપરીત થાશે નહીં ચિત્ત જી … મનને.
ગંગા સતી જ્યારે સ્વધામ ગયા ત્યારે પાનબાઈને થયો અફસોસ રે, વસ્તુને વિચારતાં આનંદ ઉપજ્યો ને મટી ગયો મનનો સર્વે શોક રે … ગંગા સતી અંતરમાં બદલ્યું ને નિર્મળ થઈને બેઠાં સંકલ્પ સમરું ચિત્તમાંહી રે, હાણ ને લાભની મટી ગઈ કલ્પના બ્રહ્માનંદ ખીલી ગયો ચિત્તમાંહ્ય રે … ગંગા સતી જ્યાં રે જોવે ત્યાં હરિ હરિ ભાળીયા ને રસ તો પીધો અગમ અપાર રે, એક નવધા ભક્તિને સાધતાં, મળી ગયો તુરિયામાં તાર રે …. ગંગા સતી ત્યાં તો એટલામાં અજુભા આવ્યા તેને કરાવ્યો સત્સંગ રે, ગંગા સતી પ્રતાપે પાનબાઈ બોલિયા રે હવે […]
અભ્યાસ જાગ્યા પછી ભમવું નહીં ને રહેવું નહીં ભેદવાદીની સાથ રે કાયમ રહેવું એકાંતમાં ને માથે સદગુરુજીનો હાથ રે … અભ્યાસ જાગ્યા પછી તીરથ વ્રત પછી કરવા નહીં ને કરવા નહીં સતગુરુના કરમ રે, એવી રે ખટપટ છોડી દેવી જ્યારે જણાય માંહ્યલાનો મરમ … અભ્યાસ જાગ્યા પછી હરિમય જ્યારે આ જગતને જાણ્યું ત્યારે પર પંથથી રહેવું દુર રે, મોહ તો સઘળો પછી છોડી દેવો ને હરિને ભાળવા ભરપૂર રે … અભ્યાસ જાગ્યા પછી મંડપને મેલા પછી કરવા નહીં એ છે અધૂરિયાનાં કામ રે, ગંગા સતી એમ બોલિયા બાળવા હોય પરિપૂર્ણ […]
પી લેવો હોય તો રસ પી લેજો પાનબાઈ પિયાલો આવ્યો ભક્તો કાળનો વખત વીતી ગયા પછી પસ્તાવો થાશે ને અચાનક ખાશે તમને કાળ રે …. પી લેવો હોય જાણવી રે હોય તો વસ્તુ જાણી લેજો પાનબાઈ નહિંતર જમીનમાં વસ્તુ જાશે રે, નખશીખ ગુરુજીને હૃદયમાં ભરીએ રે ઠાલવવાનું ઠેકાણું કહેવાશે રે … પી લેવો હોય આપ રે મૂવા વિના અંત નહીં આવે ને ગુરુ જ્ઞાન વિના ગોથાં ખાશે રે, ખોળામાં બેસાડી તમને વસ્તુ આપું આપવાપણું તરત જડી જાવે રે …. પી લેવો હોય વખત આવ્યો છે તમારે ચેતવાનો પાનબાઈ મન મેલીને […]
મેરુ તો ડગે, જેનાં મન નો ડગે… પાનબાઈ… મરને ભાંગી રે પડે ભરમાંડ રે, વિપતી પડે તોયે વણસે નહિ ને રે, શો ઈ હરિજનનાં પરમાણ રે.. મેરુ રે.. ચીતની વૃતિ રે જેની સદા રહે નિરમળી રે કરે નઈ કોઈની રે આશ.. દાન દેવે પણ રેવે અજાચીને રાખે વચનમાં વિશ્વાસ… હરખ રે શોકની ના’વે જેને હેડકી ને આઠે રે પહોર રે રહે આનંદ નિત્ય તો રેવે સતસંગમાં રે તોડે રે માયા કેરા ફંદ તન મન ધન જેણે ગુરુને રે અર્પ્યા રે અરે એનુ નામ નિજારી નર ને નાર એકાંતે બેસીને અલખ […]
ભક્તિ રે કરવી એણે રાંક થઈને રહેવું પાનબાઈ મેલવું અંતરનું અભિમાન રે, સતગુરુ ચરણમાં શીશ રે નમાવી કર જોડી લાગવું પાય રે …. ભક્તિ રે કરવી એણે જાતિપણું છોડીને અજાતિ થાવું ને કાઢવો વર્ણ વિકાર રે, જાતિ ને ભ્રાંતિ નહીં હરિ કેરા દેશમાં એવી રીતે રહેવું નિરમાણ રે … ભક્તિ રે કરવી એણે પારકાનાં અવગુણ કોઈના જુએ નહીં, એને કહીએ હરિ કેરા દાસ રે, આશા ને તૃષ્ણા નહીં એકેય જેના ઉરમાં રે એનો દૃઢ રે કરવો વિશ્વાસ રે … ભક્તિ રે કરવી એણે ભક્તિ કરો તો એવી રીતે કરજો પાનબાઈ […]
શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ જેના બદલે નહીં વ્રતમાન રે ચિત્તની વૃત્તિ જેની સદા રહે નીર્મળી રે જેને મહારાજ થયાં મહેરબાન રે …. શીલવંત સાધુને શત્રુ ને મિત્ર જેને એકેય નહીં ઉરમાં ને પરમારથમાં જેને ઝાઝી પ્રીત રે, મન કર્મ વાણીએ એ તો વચનમાં ચાલે એવી રૂડી પાળે જોને રીત રે …. શીલવંત સાધુને આઠે પહોર એ તો મસ્ત થઈને રહે ને એનાં જાગી ગયો તુરિયનો તાર રે, નામ ને રૂપ જેણે મિથ્યા કરી માન્યું ને સદાય ભજનનો જેને આરત રે … શીલવંત સાધુને સંગત તમે જ્યારે એવાની કરશો […]
છૂટાં છૂટાં તીર અમને મારો મા રે બાઈજી મુજથી સહ્યાં નવ જાય રે કલેજા અમારા એણે વીંધી નાખ્યાં બાઈજી છાતી મારી ફાટું ફાટું થાય રે …. છૂટાં છૂટાં તીર બાણ રે વાગ્યા ને રુંવાડા વીંધાણા મુખથી નવ સહેવાય રે આપોને વસ્તુ અમને લાભ જ લેવા પરિપૂર્ણ કરોને કાય રે … છૂટાં છૂટાં તીર બાણ તમને હજી નથી લાગ્યાં પાનબાઈ બાણ રે વાગ્યાં ને ઘણી વાર રે, બાણ રે વાગ્યાથી સુરતા ચઢે આસમાનમાં ને દેહની દશા મટી જાય રે …. છૂટાં છૂટાં તીર બાણ રે વાગ્યાં હોય તો બોલાય નહીં પાનબાઈ […]
સરળ ચિત્ત રાખીને નિર્મળ રહેવું આણવું નહીં અંતરમાં અભિમાન રે, પ્રાણી માત્રમાં સમદૃષ્ટિ રાખવી ને અભ્યાસે જીતવો અપાન રે …. સરળ ચિત્ત રાખી રજ કર્મથી સદા દૂર રહેવું ને કાયમ કરવો અભ્યાસ રે પાંચેય પ્રાણને એક ઘરે લાવવાં ને શીખવો વચનનો વિશ્વાસ રે …. સરળ ચિત્ત રાખી ડાબી રે ઇંગલા ને જમણી રે પિંગલા ને રાખવું સ્વરભેદમાં ધ્યાન રે, સૂર્યમાં ખાવું ને ચંદ્રમાં જળ પીવું ને કાયમ રહેવું રસમાણ રે …. સરળ ચિત્ત રાખી નાડી શુદ્ધ થયાં પછી અભ્યાસ જાગે એમ નક્કી જાણવું નિરધાર રે, ગંગા સતી એમ રે બોલિયા […]