*ઘણા માણસોને દૂધ ભાવતું નથી અથવા પચતું નથી તેમને માટે છાશ બહુ ગુણકારી છે. તાજી છાશ સાત્વિક અને આહારની ર્દષ્ટિએ શ્રેષ્ઠ છે. *છાશ ગરીબોની સસ્તી ઔષધિ છે. રોટલો અને છાશ એમનો સાદો આહાર છે, જે શરીરના અનેક દોષો દૂર કરી ગરીબોની તંદુરસ્તી વધારવામાં મહત્વનો ફાળો આપે છે. *છાશનો મધુર રસ પિત્તને શાંત કરી પોષણ આપે છે, ખાટો રસ વાયુને હરી બળ આપે છે અને તૂરો રસ કફદોષને દૂર કરી તાકાત વધારે છે. *ઉત્તર ભારત અને પંજાબમાં છાશમાં સહેજ ખાંડ નાખી તેની લસ્સી બનાવાય છે લસ્સી પિત્ત, દાહ, તરસ અને ગરમીને […]

માખણને અગ્નિ પર ગરમ કરવાથી ઘી બને છે. ઘીની તાવણી સમયે એક પ્રકારની વિશિષ્ટ સુગંધ આવે છે. ઘી ગોરસ (દહીં)ના ઉત્તમ સારરૂપ મનાય છે. મલાઈમાંથી કાઢેલું ઘી માખણમાંથી બનેલ ઘી જેટલા પર્યાપ્ત ગુણ ધરાવતું નથી. સર્વ પ્રકારનાં ઘીમાં ગાયનું ઘી શ્રેષ્ઠ ગણાય છે. ઘીના સેવનથી ધાતુની વૃદ્ધિ થઈ બળ વધે છે, મગજ શાંત રહે છે, ગરમી દૂર થાય છે અને લોહીની શુદ્ધિ થાય છે. અતિશય શારીરિક શ્રમ કરનારાઓને ઘીનું સેવન અત્યંત હિતકર છે. ભોજનમાં ઓછુંવત્તું ઘી ખાવું જ જોઈએ. ઘી સિવાયનું ભોજન \’ગોઝારું\’ મનાય છે. ઉત્તમ જાતની રસોઈમાં તથા મિષ્ટાન્નોમાં […]

શેરડીનો રસ, તેમાંથી બનતો ગોળ અને ખાંડનો આપણે હંમેશાં ઉપયોગ કરતાં હોઈએ છીએ. શેરડી સ્વાદે મીઠી, તાસીરે ઠંડી, પચવામાં ભારે, ચીકાશયુક્ત, ઝાડાને કરનાર, વાત- પિત્તનાશક અને કફકર છે. તે બળવર્ધક, વૃષ્‍ય અને મૂત્રલ છે. શેરડીને ચૂસીને ખાવી વધુ સારી. તેનો રસ લીંબુ-આદુ નાખીને તાજો પીવો સારો. વાસી રસ નુકસાન કરે. જમ્યા પછી શેરડી ન ખાવી. શેરડી પરમ પિત્તનાશક છે તેથી બળતરા અને તરસ છિપાવે છે. શેરડી થાક દૂર કરી શક્તિ અને સ્ફૂર્તિ આપે છે. કમળાના રોગી માટે શેરડી ઔષધ સમાન છે. રોગીએ ચૂસીને રોજ શેરડી ખાવી. અશક્તિ હોય તો તાજો […]

કેસર એ ખૂબ કિંમતી દ્રવ્ય છે. તેથી તેમાં ભેળસેળને ખૂબ અવકાશ છે. કેસર એ હકીકતમાં ફળોના સ્ત્રીકેસરની સૂકવણી છે. તે સ્વાદે કડવું અને તીખું છે. તાસીરે ગરમ છે. પચવામાં હલકું છે, ચીકાશયુક્ત છે, અગ્નિદીપક, સુગંધી, રોચક, પથ્ય, ત્રિદોષનાશક છે. તે રંગને સુધારે છે. માથાના રોગી માટે સારું છે. હ્રદયને બળ આપે છે. તે દુઃખાવો ઘટાડે છે, મળને બાંધે છે, કામોત્તેજના વધારે છે. કૃમિનાશક છે. આંખના રોગોમાં સારું છે. કંઠરોગ, ઉધરસ, શ્વાસ, ઊલટી, ઝેર, હેડકી, ચામડીના રોગ અને પાકને રૂઝવવામાં ઉપયોગી છે. તે માસિક સાફ લાવે છે. કેસરનો સ્તન ઉપર લેપ […]

તાસીરે ચારોળી તાસીરે ઠંડી હોય છે લગભગ બધા સૂકા મેવા તાસીરે ગરમ છે, ચારોળી એ ફળનું બી છે. ચારોળી સ્વાદે મીઠી અને સહેજ ખાટી છે. તાસીરે ઠંડી, પચવામાં ખૂબ ભારે, ચીકણી, મળ સાફ લાવનાર, વાતનાશક, પિત્તનાશક અને કફકર છે. તે બળવર્ધક, વીર્યવર્ધક, જાતીય શક્તિ ધરાવનાર, રોચક અને પથ્ય છે. તે ખૂબ ચાવીને થોડી ખાવી જોઈએ કારણ કે પચવી મુશ્કેલ છે. વાતરોગ, પિત્તરોગ, દાહ, તાવ, તરસ, ક્ષય, દુર્બળતા, કૃશતા વગેરેમાં ચારોળી સારી છે. દરેક મીઠાઈ, પાક અને પકવાનમાં ચારોળીનો સપ્રમાણ ઉપયોગ કરવાથી તેની રોચકતા અને ગુણવત્તા વધે છે. ચારોળીને દૂધમાં પીસીને […]

પરિચય : વાવડિંગથી આપણે સૌ સારી પેઠે વાફેક છીએ. ભલે એ મસાલાની ચીજ નથી; પરંતુ, ઘરઘરમાં તેનો ઉપયોગ થાય છે. તે અવારનવાર ઉપયોગમાં આવનારી અતિ નિર્દોષ અને ગુણકારી વસ્‍તુ છે. મોટા મોટા વૈદ્યો અને બધા જ ઔષધશાસ્‍ત્રજ્ઞો એને આવકારે છે. બાળરોગ-ચિકિત્‍સકોએ પણ એને યોગ્‍ય સ્‍થાન આપ્‍યું છે. વાવડિંગના લાલાશ પડતા મરી જેવા દાણા હોય છે. આજકાલનાં ખાનપાન આરોગ્‍યલક્ષી નથી. તેમાંય બાળકોને ગળ્યું ખૂબ ભાવતું હોય છે. પરિણામે કૃમિની તકલીફ થાય. એ જ પ્રકારનું ખાવાનું ચાલ્‍યા કરતું હોઇ કૃમિને પોષણ પણ મળતું રહે છે. આ કારણે બાળક દૂબળું જ રહે છે. […]

ધાણી – દાળિયાથી કફ વિકારો દૂર થાય છે હોળી ધૂળેટીમાં દાળીયા, ધાણી, શેકેલા ચણા ખાવાનું અને હોળીનાં અગ્નિનો શેક આરોગ્ય માટે લાભદાયી. 22 એપ્રિલ સુધી આશરે ચાલનારી આ ઋતુમાં શિવરાત્રી, ધૂળેટી જેવા તહેવારો આવે છે. ઉનાળાને હજુ વાર છે. ગરમીની શરૂઆત થતા શિયાળા દરમ્યાન શરીરમાં એકત્ર થયેલ કફને સૂર્યસ્નાન અને હોળીનાં અગ્નિ વડે પીગાળી ને શરીરને કફ વિકારથી મુક્ત કરવાનું હોય છે. અજ્ઞાનતાનાં કારણે અત્યારે જે લોકો વિવિધ ઠંડા પીણાં, આઇસ્ક્રીમ વિગેરે આરોગે છે તે કફનાં રોગોને નિમંત્રે છે. (ખંજવાળ, દાદર, ખસ, ખુજલી, કોઢના રોગો, રક્ત વિકાર, સોજાપ્રમેહો (ડાયાબીટીસ), ગુમડા, […]

ખજૂર પૌષ્ટિક તથા ગુણકારી છે ગરમ પ્રદેશમાંથી આવતું ખજૂર ગરમ નથી પણ ઠંડું છે. ખજૂર સૂકાઈ જતાં ખારેક બને. શુભ કાર્યોમાં ખારેક વહેંચવામાં આવે છે. ખજૂર સ્વાદે તૂરાશ પડતું મીઠું, તાસીરે ઠંડું, પચવામાં ભારે, સ્વભાવે ચીકાશવાળું, વાતકર તથા કફ- પિત્તનાશક છે. તે હ્રદ્ય, બળપ્રદ, વીર્યવર્ધક, ક્ષયનાશક અને રક્તપિત્તશામક છે. તે પૌષ્ટિક, તૃપ્તિકર, રોચક અને પથ્ય છે. તે દાહ, ક્ષય, ઘા પડ્યો હોય તેમાં, છાતીમાં ક્ષત હોય તેમાં, ઊલટી, તાવ, ઝાડા, ભૂખ, તરસ, ઉધરસ, શ્વાસ, મૂર્છા, થાક વગેરેમાં સારો છે. ખજૂર પચવામાં ભારે છે અને અગ્નિમાંદ્ય કરે છે તેથી તેનો સપ્રમાણ […]

કાજુ સ્વાદિષ્‍ટ, પોષક અને પથ્ય હોય હે કાજુના ૬-૮ ફૂટ ઊંચા ઝાડ થાય છે. તેને રસાદાર ફળ બેસે છે. એ ફળની બહાર બી હોય છે. તે બીનું મીંજ તે કાજુ. તે શરીરના કીડની-મૂત્રપિંડના આકારનું છે. તેથી પેશાબના રોગોમાં તેનો ઉપયોગ કરી શકાય. કાજુ સહેજ તૂરાશ પડતાં મીઠા છે. પચવામાં હલકાં, તાસીરે ગરમ, સહેજ ચીકાશવાળા, અગ્નિવર્ધક, ત્રિદોષશામક છે. તે સ્વાદિષ્‍ટ, ધાતુવર્ધક, પોષક અને પથ્ય છે. ઝાડા, મરડો, સંગ્રહણી, હરસ, આફરો, પેટનાં કૃમિ, પેટના રોગો, ચામડીના રોગો, સફેદ કોઢ, વ્રણ (ઘા), વાળના રોગો, તાવ, પેટનો ગોળો, અગ્નિમાંદ્ય વગેરેમાં તે ઉપયોગી છે. બદામ […]

ગાજર ઠંડીના દિવસોમાં જોવા મળે છે. *ગાજર શિયાળામાં પૌષ્ટિક ખોરાક છે. *ગાજરમાં વિભિન્ન ખનીજ તત્વો અને વિટામીનથી ભરપૂર છે. *ગાજરના સેવનથી ઘણા રોગોનો નાશ થાય છે. કાર્બોહાઈટ્રસ, પ્રોટીન, લોહ ફોસ્ફરશ, કેલ્શિયમ બધા તત્વો સમાયેલા છે. *વિટામીન એ અને ઈ એમાં મળી આવે છે. વિટામીન એ ગાજરમાં મળે છે. *આંખો માટે બહુ જ ફાયદાકારક છે. *સવારમાં ગાજરનો રસ લેવો આંખો માટે ઘણો સારો છે. *જમ્યા પછી ગાજર ખાવાથી દાંતના જીવાણું નાશ પામે છે. *દાંત ચમકદાર બને છે. દંતક્ષય નાશ પામે છે. પેઢામાંથી લોહી આવવું, મોઢામાં વાસ આવવું દૂર થાય છે. *ગાજર […]

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors