જે લોકો પોતાના આહારમાં ફળ અને શાકભાજીઓનો ઉપયોગ કરે છે તેમને કેન્સર અને હ્રદયરોગ જેવી ગંભીર બિમારીઓ થવાની શક્યતાઓ ઘટી જાય છે. તેવું ઘણાં બધા વૈજ્ઞાનિક સંશોધનો પરથી સાબિત થયું છે. અને તેથી જ ડૉકટરો પાંચ ફળ અને શાકભાજીઓ નિયમિત ખાવાની સલાહ આપે છે. ફળો અને શાકભાજીને તમે ગમે તે સ્વરૂપે લઈ શકો છો. તાજાં, ડબ્બામાં, થીજાવેલાં, રાંધેલા, રસ કાઢેલાં અથવા સૂકાયેલા સ્વરૂપમાં નિત્ય આહારમાં ફળ અને શાકભાજીનું સેવન કરી શકાય છે. શું તમે પૂરતા પ્રમાણમાં ફોલિક એસિડ લઇ રહ્યા છો ? ફોલિક એસિડ એ ‘B’ વિટામીન છે. ગર્ભવતી મહિલાઓ, […]
*અજમો ફાકી ઉપર ગરમ પાણી પીવાથી પેટનો દુઃખાવો, અજીર્ણ અને વાયુ મટે છે. *આદુ અને લીંબુના રસમાં અર્ધી ચમચી મરીનું ચૂર્ણ નાખી પીવાથી પેટનો દુઃખાવો મટે છે. *અજમો અને મીઠું વાટીને તેની ફાકી લેવાથી પેટનો દુઃખાવો મટે છે. *આદુ અને ફુદીનાના રસમાં સિંધવ નાખીને પીવાથી પેટનો દુઃખાવો મટે છે. *આદુનો રસ એક ચમચી અને લીંબુનો રસ બે ચમચી મેળવી તેમાં થોડી સાકર નાખીને પીવાથી કોઈ પણ જાતના પેટનો દુઃખાવો મટે છે. *શેકેલા જાયફળનું એક ગ્રામ ચૂર્ણ ગરમ પાણી સાથે લેવાથી પેટનો દુઃખાવો મટે છે. *જમ્યા પછી કેટલાકને ૨-૩ કલાકે પેટમાં […]
દૂધની મલાઈ સાથે મીંઢણ ઘસીને ખીલ ઉપર લગાડવાથી ખીલ મટે છે. જાયફળને દૂધની મલાઈમાં ઘસીને ખીલ ઉપર લગાડવાથી ખીલ મટે છે. નારંગીની છાલ ઘસવાથી ખીલ મટે છે. લીલા નાળિયેરનું પાણી રોજ પીવાથી અને થોડાક નાળિયેરના પાણીથી મોં ધોવાથી ખીલ મટે છે.છાશ વડે મોં ધોવાથી ખીલના ડાઘ અને મોં ઉપરની કાળાશ દૂર થાય છે.રાત્રે સૂતી વખતે ગરમ પાણીથી મોઢું ધોવું, પછી ચારોળીને દૂધમાં ઘસી લેપ બનાવી મોઢા પર લગાવી સૂઈ જવું. સવારમાં સાબુથી મોં ધોવું. આ પ્રયોગથી ખીલ મટે છે.કાચા પપૈયાને કાપવાથી જે દૂધ જેવું પ્રવાહી નીકળે તે ખીલ ઉપર દરરોજ […]
•નસકોરી ફૂટે ત્યારે તાળવા ઉપર ઠંડા પાણીની ધાર પાડવી તેમ જ નાકમાં ઠંડા પાણીની છાલક મારવાથી લોહી બંધ થાય છે. •નસકોરી ફૂટે ત્યારે બરફનો ટુકડો માથે, કપાળે અને ગરદન પર ફેરવવાથી લોહી બંધ થાય છે. •લીંબુનો રસ કાઢી નાકમાં પિચકારી વાટે નાખવાથી નસકોરીનું દર્દ કાયમ માટે નાબુદ થાય છે. •નસકોરી ફૂટે તો શેરડીના રસના ટીપાં, કાંદાના રસનાં ટીપાં, ગાયના ઘીનાં ટીપાં દૂધનાં ટીપાં, ખાંડના પાણીનાં ટીપાં, દ્રાક્ષના પાણીનાં ટીપાં, ઠંડા પાણીનાં ટીપાં, ગમે તે એક વસ્તુના ટીપાં નાકમાં નાખવાથી લોહી પડતું બંધ થાય છે. •નસકોરી ફૂટે તો ફટકડીનું ચૂર્ણ સુંઘાડવું […]
અનેક રોગને મારનાર મરી પરિચય : મરીને ‘તીખા’ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે ગુણો માટે સર્વત્ર પ્રસિદ્ઘ છે. દરેક ઘરમાં મરીનો નિયમિત વપરાશ થતો હોય છે. પરદેશોમાં તો મરચાંનો બદલે મરી જ વપરાય છે. મરી કાળાં અને ધોળાં એમ બે પ્રકારનાં મળે છે. અર્ધ પકવ મરીને ઉતારીને સૂકવવામાં આવે છે. આવાં મરી કાળાં હોય છે; જયારે તે પૂરેપૂરાં પાકે છે ત્યારે ઉપરનાં ફોતરાં સરળતાથી નીકળી જાય છે. અંદરથી જે મરી નીકળે છે તે ‘ધોળાં મરી’ તરીકે ઓળખાય છે. આપણે ત્યાં મરીનો વધુ વપરાશ મુખ્યત્વે પાપડ બનાવવામાં થાય છે. તે […]
સ્વાસ્થ્ય આપનાર લીંબુ પરિચય : લીંબુનાં જેટલા ગુણગાન ગાઇએ તેટલાં ઓછાં પડે. ખાનપાનમાં લીંબુનો રોજિંદો ઉપયોગ ઘણી બધી તકલીફોને દૂર રાખે છે. આંબલીની જેમ લીંબુની ખટાશ નુકસાનકારક નથી. નિર્ભયતાથી તેનો દરરોજ ઉપયોગ કરી શકાય છે. લીંબુ લગભગ દરેક ઋતુમાં લીંબુ મળી રહે છે. લીંબુમાં વિટામિન -સી ની માત્રા વધુ પ્રમાણમાં હોય છે. લીંબુમાં પ્રબળ કિટાણુનાશક શક્તિ હોય છે. માત્ર લીંબુના રસમાંથી જ વિટામીન એ, બી, સી ભરપૂર મળી રહે છે. લીંબુનું નિયમિત સેવન સ્વાસ્થ્ય અને સૌંદર્ય માટે લાભપ્રદ છે. લીંબુના ગુણ- લીંબુનું સેવન કોઈપણ ઉંમરની વ્યક્તિ કરી શકે છે. રોગી […]
પરમ શક્તિનો અનુભવ કરવો હોય તો શું કરવું જોઈએ? * વ્યાપક રૂપે વર્તવાનો પ્રયાસ કરવો. * જીવનનો યથાતથ અનુભવ કરવો.ચૈતન્ય જીવન રૂપે જ પ્રગટ થાય છેઃ જીવનની હાજરી એટલે જ ચૈતન્ય્ની હાજરી: જીવનના અભાવ પરમ શક્તિનો અનુભવ શક્ય નથી. * હ્રદયમાં પરમાત્મા સિવાયનું જે કાંઈ ભર્યુ હોય તેને ખાલી કરી નાખવું. * પરમાત્માની હાજરી છે એમ સમજીને સર્વ કર્મ કરવાં અને કર્મનું ફળ તેમને સમર્પિત કરવું. * પ્રાણીમાત્ર પ્રત્યે પ્રેમ. * રાગ-દ્રેષથી અળગા રહેવું. * રજોગુણ અને તમોગુણનો સંગ ન કરતાં સત્વગુણમાં સ્થિર થવું. * અન્તર્મુખ થઈ અંદરના જગત પર […]
આપણા દેશની પ્રાચીન સંસ્કૃતિમાં પ્રકૃતિનું ઘણું મહત્વ હતું, માનવીની સાથે જ પ્રકૃતિ સંકળાયેલી છે. પાણી, હવા, જળ, આકાશ, પૃથ્વી આ પંચતત્વો કહેવાતા હતા. વિજ્ઞાનની દ્રષ્ટિએ તત્વો નહોતા પરંતુ માનવી જેના વગર રહીં શકે નહીં, જીવી શકે નહીં તે માટે તે પંચમહાભૂત તત્વો તરીકે ઓળખાતા. ધીરે ધીરે વિજ્ઞાનનો વ્યાપ વધ્યો તેથી માનવી કુંજરા બનવા લાગ્યો, જરુરીયાત કરતા પણ વધુ મેળવવાની દોડમાં તેમણે પ્રકૃતિનો પણ વિચાર કર્યો નહી. ઉપભોકતાવાદ વધ્યો, તેમજ વાપરો ને ફેંકી દો તે પ્રકારની સંસ્કૃતિ વધતી ગઇ તેને કારણે માનવીના જીવનમાં મોટુ પરિવર્તન આવ્યું, આખી જ જીવનશૈલી જ બદલાવા […]
ગરમીનાં દર્દો તથા ડાયાબિટીશ મટાડનાર – જાંબુ (રાવણા) પરિચય : જાંબુ (જંબૂ, જામુન)ની બે મુખ્ય જાતો થાય છે. મોટી અને બીજી નાની. મોટા રાય જાંબુના ઝાડ ઊંચા થાય છે. તેની પર પીપળા કે આંબા જેવા લાંબા, ચીકણા, ચમકદાર પાન થાય છે. તેની પર વસંત ઋતુમાં લીલાશ પડતા સફેદ રંગના કે સોનેરી રંગના મંજરી રૂપ પુષ્પો આવે છે. ફળ (જાંબુ) ઊનાળાનાં અંતે કે વર્ષના પ્રારંભે અર્ધો થી ૨ ઈંચ લાંબા, ૧ થી ૧/૧-૨ ઈંચ જાડા, લંબગોળ, પાકે ત્યારે લાલ-રીંગણી રંગના, ઉપરથી મીઠા ગર્ભવાળા, વચ્ચે લંબગોળ ઠળિયાવાળા થાય છે. નાના (ક્ષુદ્ર) જાંબુડા […]
પથરી અને પેશાબના દર્દની દવા – પાષાણભેદ પરિચય : વનસ્પતિના જાણકારો પાષાણભેદ (કાષ્ટપાષાણભેદ, પાખાનભેદ)ના પાંચ પ્રકારો બતાવે છે. તેમાં અહીં ગુજરાતમાં મળતી અને પથ્થરફોડી તરીકે જાણીતી વનસ્પતિનો પરિચય આપેલ છે. ગુજરાતમાં ‘કાષ્ટ પાષાણભેદ‘ નામે તેના મૂળના કટકા બજારમાં વેચાય છે. મહારાષ્ટ્ર તથા કાશ્મીરમાં તે વધુ થાય છે. નાની રીંગણી પ્રમાણે જમીન પર પ્રસરે છે. બોરડી જેવા તેની પર કાંટા હોય છે. એના મૂળ ખડક (પથ્થર) તોડી અંદર જાય છે. તેની પર ધોળા રંગના લાલ કેસાયુક્ત ફૂલ થાય છે. એની પર રીંગણીના ફળ જેવડા ફળ થાય છે. ઘણાં ઘર આંગણે તે […]