લક્ષ્મીને કયાં લોકો પ્રિય છે?

લક્ષ્મીને કયાં લોકો પ્રિય છે? * ઉધમી,આસ્તિક,દક્ષ,કૃતજ્ઞ,જિતેન્દ્રિય, અક્રોધી સત્યનિષ્ઠ,શાંત અને સદાચારી લોકો.

શરીરમાં કાર્યરત મહત્વની શક્તિઓ કઈ ?

શરીરમાં કાર્યરત મહત્વની શક્તિઓ કઈ ? * વીર્યશક્તિ. -તેનું પ્રતિક સરસ્વતી છે;સત્વગુણ સાથે આ શક્તિ સંકળાઅયેલી છે * લોહીશક્તિ. -તેનું પ્રતિક અંબાજી છે આ શક્તિ રજોગુણ સાથે સંકળાયેલી છે * મળશક્તિ. તેનું પ્રતિક મહાકાલી છે અને આ શક્તિ તમોગુણ સાથે સંકળાયેલી છે જીવનના પોષકતત્વોને બચાવી લઈ તે નકામાં તત્વોનું વિસર્જન કરે છે.

સંસારમાં કઈ બાબતો વિધ્નરૂપ છે ?

સંસારમાં કઈ બાબતો વિધ્નરૂપ છે ? * જ્ઞાની પુરૂષોએ વીસ વિધ્નો ગણાવ્યા છેઃ (૧) સુખ (૨) દુઃખ (૩) શોક (૪) ભુખ (૫)તરસ (૬)વાસના (૭)અપમાન (૮)મોહ (૯)અભિમાન (૧૦)ભય (૧૧)દ્રેષ (૧૨)પ્રમાદ (૧૩)ઇર્ષા (૧૪)માત્સર્ય (૧૫)લોભ (૧૬)ઉન્માદ (૧૭)આધિ (૧૮)વ્યાધિ (૧૯)ધડપણ (૨૦)મૃત્યુ

ખરો મિત્ર કોણ?

ખરો મિત્ર કોણ? * અનુચુત કાર્ય કરતા અટકાવે તે. * આપણને સન્માર્ગેથી હટવા ન દે તે. * સંકટ સમયે ખડે પગે ઉભો રહે તે. * જેના હ્રદયમાં કરુણા નથી તેને.

કોઈ કાર્ય અધ્રુરું હોય તેને સહેલું કરવાનો ઇલાજ શું ?

કોઈ કાર્ય અધ્રુરું હોય તેને સહેલું કરવાનો ઇલાજ શું ? * અધરા કાર્યને છોડી દેવાને બદલે તેને અવારનવાર કર્યા કરવું એને એટલી બધી વાર કરવું કે એનું અધરાપણૂં ના લાગે. * એ કાર્યની જેની પાસે જાણકારી હોય તેની સલાહ લેવી. * એ કાર્ય સહેલું કેમ થાય તે વિશે ચિંતન કરતા રહેવું,અને સંપર્કમાં આવતા પુછતા રહેવું,

સ્ત્રી પતિપરાયણ કયારે થઈ શકે?

સ્ત્રી પતિપરાયણ કયારે થઈ શકે? * પોતાના નિશ્ચય બલ દ્રારા. * પતિનો નિરંતર પ્રેમ મળતો રહે. * એનાં નિષ્ઠાપૂર્વકના કાર્યોની પતિ મન મૂકીને પ્રશંસા કરતો અથવા કદર કરતો રહે. * એના પર પતિ પુરો વિશ્વાસ મુકે. * વહેમ,તિરસ્કાર-ધિક્કાર વગેરેને પતિ પાસેથી અનુભવ ન કરે.

‘રામચરિતમાનસ’માં સુરસાનું પાત્ર શું સુચવે છે ?

‘રામચરિતમાનસ’માં સુરસાનું પાત્ર શું સુચવે છે ? * તમે જે હેતુ માટે પ્રયાસ કરો છો તેમાં કેટલા દઢ છો તેની કસોટી કરવા સુરસાનું પાત્ર રચાયુ લાગે છે * નવા નવા રસ માગે તે સુરસા. -જે ભક્તિ કરનારે વિવિધ રસ પર વિજય મેળવ્યો જોઈએ. * જે તમારી સામે આવી રૂકાવટ કરે તે સુરસા છે.

આકાશ,વાયુ,તેજ જલ અને પુથ્વીના ગુણૉ કયા?

આકાશ,વાયુ,તેજ જલ અને પુથ્વીના ગુણૉ કયા? * આ પંચ મહાભુતો પરસ્પર સંકળાયેલા છે. * આકાશનો ગુણ શબ્દ. -એમાં સ્પર્શ,રુપ,રસ અને ગંધ પ્રધાનપણે નથી. * વાયુના ગુણ શબ્દ અને સ્પર્શ. -એમાં રુપ,રસ અને ગંધ પ્રધાનપણે નથી. * તેજના ગુણ શબ્દ,સ્પર્શ અને રુપ. -એમાં રસ અને ગંધ પ્રધાનપણે નથી. * જલના ગુણ શબ્દ,સ્પર્શ,રુપ અને રસ. -એમાં ગંધ પ્રધાનપણે નથી. * પુથ્વીના ગુણ શબ્દ,સ્પર્શ,રુપ રસ અને ગંધ.શબ્દ આકાશની તન્માત્રા હોવા છતાં તેમાં સ્પર્શ,રુપ,રસ અને ગંધ એ બધા ઓછા-વતા પ્રણામમાં આવેલ છે.શબ્દમાં સ્પર્શના વિભાગથી તેની અસર થાય છે.શબ્દને આકૃતિ છે તે રુપ, શબ્દમાં કડવાશ,મીઠાશ […]

આપણામાં શ્રધ્ધાનો જન્મ નથી થયો તેની કેવી રીતે ખબર પડે ?

આપણામાં શ્રધ્ધાનો જન્મ નથી થયો તેની કેવી રીતે ખબર પડે ? * વર્તમાન અને ભવિષ્યની ચિતા રહ્યા કરે તે.

ઉત્તમ-શોધ કઈ ?

ઉત્તમ-શોધ કઈ ? * સ્વ-ભાવની.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors