આનંદ કયાથી મળે ? * આપણે પોતે આનંદરુપ હોવા છતાં બહારથી આનંદ મેળાવવાનો પ્રયત્ન કરીએ છીએ ઍટાલે બાહ્ય આનંદ ક્ષણિક નીકળે છે,બહારની સ્થિતિ આપણને વશ નથી,બદલાયા કરતી હોય છે. * આનંદ વસ્તુમાં નથી,આપણે આપણા આનંદનું પ્રતિબિંબ વસ્તુઓમાં જોઈએ છીએ એટાલે વસ્તુઓમાં આનંદ લાગે છે,હકીકતે તે આપણા આનંદનું જ પ્રતિબિંબ છે,આત્મા સ્વંય આનંદરુપ છે શરીર દ્રારા ભોગ ભોગવવાથી આનંદ મળૅ છે તે અજ્ઞાન છે. * આપણી અંદરથી જ આનંદનું ઝરણૂ ફુટે છે અંદર ઉપાધિરહિત સ્થિતિ જન્મે એટલે આનંદ જ છે અને આનંદ હોય ત્યાં શાંતી હોય.

ભારતીય પ્રજા આટલી દુઃખી છે તેના કારણો કયાં? * ભષ્ટાચાર. * આગેવાનોમાં દંભ અને પાખંડની બોલબાલા. * ધોર પ્રમાદ. * પ્રબળ ઇર્ષાવૃતિ. * બધું ભાગ્યપર છોડી દેવાનું વલણ. * ધનને અપાતું વધુ પડતું મહત્વ. * બેહદ સ્વાર્થવૃતિ. * અશુધ્ધ સાધનો દ્રારા સફળતા પ્રાપ્ત કરનારાઓને અપાતું મહત્વ. * અન્યનું શોષણ કરવાની વૃતિ.

આપણામાં ભેદદષ્ટિ કયાં સુધી રહેવાની? * બુધ્ધિ વડે જ બધું જોઈએ ત્યા સુધી.

સર્વોતમ પરાક્રમ કયું ? * દેહભાવથી અલગ રહેવું તે. * અંતકાળ સુધી નિષ્પાપ જીવન જીવવું. * \’હુ\’નો-અહમનો હરિમાં લય કરી દેવો અથવા આત્મસાક્ષાત્કાર કરવો. * વિચાર,વાણી અને વર્તનમાં એકરૂપતા રાખવી. * જેવા છીએ તેવા દેખાવું.

સંકટ આવે ત્યારે શું કરવું ? * સામનો કરવો. * ભાગવું નહી,પરિસ્થિતિ અંગે જાગી જવું. *સંકટને બરાબર સમજી તેનો ઉપાય શોધવો અને હિંમત હાર્યા વગર સંકટને પડકારવું. * નાસીપાસ થયા વિના તેમાંથી બહાર નીકળવાનો અવિરત પુરુષાર્થ કરવો.

કોના પર વિશ્વાસ ન મૂકી શકાય? * અહંકાર ઉપર.

કઈ વ્યક્તિ નિષ્ફળતા સામે ઝુઝી શકે ? * પુરુષાર્થ અને પરમાત્માની કૃપામાં અટળ વિશ્વાસ રાખનાર વ્યક્તિ.

ગુરૂ કોને કહેવાય ? * ગૂચવાડો મટાડે. * ગુ=અંધકાર રૂ=પ્રકાશ. જે અંધકાર ઉલેચી નાખે અને પ્રકાશ ભરી દે તે ગુરૂ. * આજ્ઞાનનો નાશ કરે અને જ્ઞાનની જયોત પ્રગટાવે તે ગુરૂ. * જે માર્ગદર્શન આપે પણ બોજારૂપ ના બને તે.

ખરો ગરીબ કોણ? * નબળા વિચારો કરે તે. * પોતાની પાસે જે સંપતિ હોય તેનો પણ યોગ્ય ઉપયોગ ન કરી શકે તે. * જેનું હૃદય આદ્ર નથી તે.

આ પૃથ્વી પર મોટી ધટના કઈ લાગે છે ? શાશ્વત તત્વોનો નાશવંત એવા શરીરમાં પ્રવેશ અને સમય પુરો થયે એનો ત્યાગ.

jeevanshailee-requirement-ad
 
itinerary plus
Price 799 Rs.
 
itinerary plus
Price 599 Rs.
 
travel gujarati
Price 399 Rs.
 
 
 
market decides
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors