આશ્રમજીવન કોને કહેવાય ? * જેમાં સાદાઈ,સરળતા અને નિર્દોષતા હોય. * જેમાં સ્વચ્છતા,શાંતી અને આનંદ હોય. * જેમાં નિષ્ઠા,સ્વાવલંબન અને અપેક્ષારહિત હોય. * ઉપાસના,ભગવત્સ્મરણ, અભ્યાસ,વૈરાગ્યવ્રુતિ અને સેવાભાવના હોય. * મનન-ચિંતન હોય. * સર્વનું ભલું કરવાનો નિરંતર ભાવ હોય. * પ્રાણીમાત્ર પ્રત્યે સમતા અને પ્રેમ હોય. * બેઠાડુ જીવન ન હોય.

પરમ પ્રેમનો અનુભવ કયારે થાય? * પરમાત્મા પ્રત્યે પુર્ણ સમર્પિત ભાવ હોય ત્યારે. * પોતાપણાનો ભાવ મટે ત્યારે. * અહંકારનું પુર્ણપણૅ વિસર્જન થાય ત્યારે. (અહંની હાજરી હોય છે ત્યાં સુધી પ્રેમની કુપણો ફુટતી નથી અહંનો લય થતાં પ્રેમનું પુષ્પ પરિપુર્ણ ખીલી ઊઠે છે) * સર્વ કોઈનો આપણામાં સમાવેશ થઈ જાય અને આપણે કોઈની બહાર રહીએ ત્યારે પ્રેમથી પુર્ણતાનો અનુભવ થાય છે.

સૌથી સુંદર કોણ છે ? * જેના નેત્રોમાં પરમાત્માની ચમક છે અથવા પરમાત્માની ઝાંખી થાય છે. * જેને જોઈને પરમાત્માને પામવાની તીવ્ર ઝાંખના જાગે છે. * જેનાં અંગેઅંગમાં પરમાત્માનું સ્પંદન છે.જેના હલન-ચલનમાં ઊઠવા-બેસવામાં,બોલવામાં કહોકે એના પ્રત્યેક કર્મ- અકર્મમાં,એની હાજરીમાં પરમાત્માની ઉપસ્થિતિ વર્તાય છે.

ચિત્તને ઉદ્વેગ કેમ થાય છે ? * દુ:ખનો અનુભવ નથી ગમતો તે કારણે. * રાગ-દ્વેષનિ પ્રબળતાને કારણે. * અજ્ઞાન ભર્યું પડયું છે એટલે. * વાસનાઓને તૃપતી નથી મળતી તે કારણે. * સંસારી પદાર્થોમાં મન રચ્યુપચ્યું રહે છે તે કારણે. * શુભ વિચારોને આચરણમાં નથી મુકતા એટલે.

આપણી સાથે રહેતા હોય તેની સાથેના વ્યવહારમાં કઈ કાળજી રાખવી ? * બને ત્યા સુધી આપણા વાણી અને વ્યવહારથી સામાને દુઃખ,ક્ષોભ કે ઓછપનો ભાવ ન આવે તેની કાળજી રાખવી. * આપણી વાણી અને આચરણ એવા હોવા જોઈએ કે સામાને શાંતિ અને આનંદ મળે. એટલે કાંઈ પણ બોલતા પહેલા કે કાંઈ પણ કરતા પહેલા એટલું તો વિચારી લેવું કે એનાથી કોઈના શાંતિ કે આનંદ નષ્ટ તો નહિ થઈ જાય ને.

મૂર્ખ કોને કહેવાય ? * આગ લાગે ત્યારે કુવો ખોદવા જાય. * દુશ્મનો ચડી આવે ત્યારે કિલ્લો ચણવાની તૈયારી કરે. * જે સ્વાર્થમાં રચ્યોપચ્યો રહે. * જે જગતને રાજી રાખવાના પ્રયત્નો કર્યા કરે છે. * જે પોતાનું હિત-અહિત શેમાં છે તે ન સમજે. * જે કરવા જેવું છે તે ન કરે અને જે ન કરવા જેવું હોય તેની પાછળ મથ્યા કરે. * જે સીધી સાદી વાતને મચડીને અનર્થ ઉભો કરે.

ત્યાગ કયારે સિધ્ધ ગણાય ? * મે ત્યાગ કર્યો છે એવો ભાવ પણ ન રહે ત્યારે. * પરમાત્માને પામવા સિવાયની કોઈ ઇચ્છા ન રહે ત્યારે – ત્યાગને ઇશ્વરના સંદર્ભમાં જોવો જોઈએ.ત્યાગ કરવાનું સામર્થ્ય ઇશ્વર પાસેથી જ મળૅ છે. -આપણે કશુજ નથી પછી ત્યાગ શેનો કરવાનો.

અનાથ કોને કહેવો? * જેને પરમાત્મા ઉપર વિશ્વાસ નથી તેને. * સંસારમાં રચ્ચોપચ્યો રહે તેને. * જેનો આત્મવિશ્વાસ ડગી ગયો છે તેને.

નરકમાં ખેચી જનાર ત્રિપુટી કઈ? * કામ,ક્રોધ અને લોભ. -આ ત્રિપુટીને આળસ-પ્રમાદ સહાયરુપ થાય છે

નમસ્કાર એટલે શું ? * નમ્રતાનું દર્શન, * મમતા અને અહંકારની નિવૃતિ. * જે વસ્તુને આપણે આપણી માનીએ છીએ તે ખરેખર ભગવનની છે અને આપણે પણ તેમના છીએ એવા ભાવ સહિતની વંદના.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors