* ભગવાનની પાસે મે મનની શકિત માગી તો એણે મને મુસ્કેલીઓ આપી જેથી કરીને હુ વધારે શક્તિશાળી અને મજબુત બની શકુ * ભગવાન પાસે મે જ્ઞાન અને ડહાપણ માગ્યા તો એણે મને જીંદગીની કેટલીક ગુચો ઉકેલવાનું કામ સોપી દિધુ મારી જીદગીમાં એણે એવા પ્રશ્નો ઉભા કર્યા કે જેનો ઉકેલ ખોળી કાઢવામાં ડહાપણ એની મેળે જે આવી જાય. * ભગવાન પાસે મે સમૃધ્ધિ માગી તો એણે મને કોઠાસુઝ અને બુધ્ધિ આપ્યા જેથી કરીને હુ આપમેળે સમૃધ્ધિના શિખરે પહોચી શકુ. * ભગવાન પાસે મે હિંમત માગી તો એણે મને વિટંબણાઓ અને ભય […]

મનુષ્યનું સૌથી મોટું ગૌરવ આત્મજ્ઞાન છે અને જે મનુષ્ય આત્મજ્ઞાન માટે પ્રયત્ન કરે છે તે ખુબ ભાગ્યશાળી ગણાય છે.આવો મનુષ્ય પોતાના ભુત અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને વર્તમાનનો સદૌપયોગ કરે છે આવો આત્મલંબી મનુષ્ય પોતાના જીવન દરમ્યાન ઝ્ડપથી પ્રગતિ કરે છે તેને પછી જીવન દરમ્યાન કયાંય કોઈ મુશ્કેલી નડતી નથી.પરંતુ જે મનુષ્ય આત્મજ્ઞાનની ઉપેક્ષા કરે છે તે આત્મધાતી બને છે અને દુઃખી થાય છે ડગલેને પગલે તેને જીવન દરમ્યાન તિરસ્કારનો સામનો પડે છે તેને નરકનું દુઃખ ભોગવવું પડે છે.મૃત્યુ પછી પણ કયાંય સદગતિ મળાતી નથી. જે મનુષ્ય આત્મિક ક્ષેત્રમાં આવ્યા પછી […]

શ્રી શનિ ૧૦૮ નામાવલી ૐ  શનેશ્વરાય નમઃ ૐ  ધનસારવિલેપનાય નમઃ ૐ  શાન્તાય નમઃ ૐ  સર્વાભીષ્ટપ્રદાયિને નમઃ ૐ  ખધોતાય નમઃ ૐ  મંદાય નમઃ ૐ  શરણ્યાય નમઃ ૐ  મન્દચેષ્ટાય નમઃ ૐ  વરેણ્યાય નમઃ ૐ  મહનીયગુણાત્મને નમઃ ૐ  સર્વેશાય નમઃ ૐ  સૌમ્યાય નમઃ ૐ  મત્ર્યપાવન પાદાય નમઃ ૐ  સુરલોકવિહારિણે નમઃ ૐ  મહેશાય નમઃ ૐ  છાયાપુત્રાય નમઃ ૐ  સુખાસનોપવિષ્ટાય નમઃ ૐ  શર્વાય નમઃ ૐ  શરતુણીરધારિણે નમઃ ૐ  સુંદરાય નમઃ ૐ  ધનાય નમઃ ૐ  ચરસ્થિરસ્વભાવાય નમઃ ૐ  ધનરુપાય નમઃ ૐ  ધનાભરણધારિણે નમઃ ૐ  ચંચલાય નમઃ ૐ  નીલવર્ણાય નમઃ ૐ  નિત્યાય નમઃ ૐ  ગૃધ્રાવાહનાય નમઃ ૐ […]

એક દિવસ એક રાજા રથ ઉપર સવાર થઈને ફરવા નીકળ્યો.ફરતો ફરતો તે એક ચોરોની વસ્તીમાં જઈ ચડયો ચોરોની વસ્તીની પાસે એક સરોવર હતુ તે સરોવરના કિનારે આરામ કરવા લાગ્યો તેને જોઈને ઝાડ ઉપર બેઢેલ એક પોપટ બોલ્યો અરે કોઈ છે? આ મનુય પાસે ધણું જ ધન છે તેના ગળામાં મોતી અને હિરાની માળા છે તે સુઈ ગયેલ છે તેના ગળામાંથી મોતીની માળા લઈને તેની લાશને ઝાડીમાં ફ્ર્કી ધ્યો કોઈને પણ ખબર નહિ પડે. પોપટને મનુષ્યની અવાજમાં સાંભળીને રાજા વ્યથિત થઈ ગયો.તે રથને લઈને આગળની તરફ ચાલવા લાગ્યો રાજા રથને દોડાવીને […]

ભાઈ બહેનના પ્રેમ નુ પર્વ ભાઈબીજ ભાઈબીજ એટલે ભાઈ અને બહેનનો અખંડ પ્રેમ કાતિર્ક માસના શુકલ પક્ષની દિત્‍યા યમદિત્‍યા તરીકે પણ ઓળખાતી આ ભાઈબીજ પાછળ પ્‍ણ એક પૌરાણિક કથા છે. એક દિવસ યમુનાજીએ મૃત્‍યુના દેવ યમરાજને પોતાના ઘેર ભોજનનું નિમંણત્ર આપેલ. સ્‍વાદિષ્‍ટ ભોજનથી ખુબજ પ્રસન્‍નતા અનુભવતા યમરાજે બહેન યમુનાજીને મનપસંદ વરદાન માગવા જણાવ્‍યું. યમુનાજીને મનપસંદ વરદાન માગવા જણાવ્‍યું, યમુનાજીએ ભાઈ યમરાજ પાસેથી વચન માગ્‍યું કે તેણે દર વર્ષે આ જ દિવસે તેના ઘેર ભોજન માટે આવવું. ત્‍યારથી યમરાજ દર વર્ષે નિત્‍ય યમુનાજીના ઘેર ભોજન માટે જતા અને બહેન યમુનાજીના નિત્‍ય […]

ધનતેરસની પૌરાણિક કથા એકવાર યમરાજે પોતાના દૂતોને બોલાવીન પૂછ્ય કે તમને કદી કોઈના પ્રાણ હરતી વખતે દયા આવે છે ? યમદૂતોએ સંકોચમાં પડી ગયા અને બોલ્યા – નહી મહારાજ, અમે તો તમારી આજ્ઞાનું પાલન કરીએ છીએ. અમારે દયાભાવથી શું લેવું ? યમરાજ સમજી ગયા કે આ લોકો કદાચ સંકોચવશ આવું કહી રહ્યા છે. આથી તેમણે નિર્ભય કરતાં બોલ્યા તમે સંકોચ ન કરતાં. જો તમારું દિલ કદી કંપી જતુ હોય તો નિડર થઈને કહો. ત્યારે યમદૂતોએ બીતાં બીતા કહ્યુ કે એકવાર આવી ઘટના ઘટી હતી. જ્યારે અમારું હૃદય કંપી ઉઠ્યુ હતુ. […]

પ્રકાશ નુ પર્વ-દિવાળી દિવાળી એટલે માત્ર ભૌતિક હિસાબો જ નહિ, વર્ષભર કરેલા કાર્યોના હિસાબોનું સરવૈયું કાઢવાનો દિવસ કેટલું જમા થયું કેટલું ઉધાર રહ્યું એ ગણવાનો દિવસ. આ દિવસે વેપારીઓ અને વ્‍યવસાય કરનાર ચોપડા પૂજન પણ કરે છે, પરંતુ ખરા અર્થમાં દિવાળી ભારતવર્ષના ભવ્‍ય તહેવારોની મહાવણજારને અંતે આવે છે. આ દિવસે નવા વર્ષ પહેલા આવે છે, એટલે વર્ષનો અંતિમ દિવસ ગણાય. તેથી આ દિવસે ગત નૂતનવર્ષે લીધેલા પ્રણના અનુસંધાનમાં આપણે કેટલો ભોગ વિલાસ, વેર-ઝેર, રાગ-દ્વેષ વગેરે છોડી શકયા તેનું સરવૈયું કાઢવા માટે ઉત્તમ ગણાય. હક્કિતમાં દિવાળીના તહેવારો દિવાળી, નૂતનવર્ષ અને ભાઈબીજ […]

આસુરી શકિત પર દૈવી શકિત ના વિજયનુ પર્વ- દશેરા નવરાત્રી મહોત્‍સવ પછી તરત જ દશેરા આવે છે. જે વિજયાદસમી તરીકે પણ ઓળખાય છે. આ દશેરા એટલે વિજય માટે આરોહણ કરવાનો દિવસ. આ દિવસે શ્રી રામે સીતાજીને રાવણની ચૂંગાલમાંથી છોડાવવા માટે વિજય પ્રસ્‍થાન કર્યુ હતું. ત્‍યારથી આ દિવસ વિજય માટે આરોહણ કરવાના દિવસ તરીકે ઉજવાય છે. ભારતીય સંસ્‍કૃતિએ હંમેશા નીતિવાન વીર પુરૂષોનું પુજન કર્યુ છે. રામ, કૃષ્‍ણ, અર્જન વગેરે તેના ઉદાહરણો છે. પરંતુ નીતિમત્તા વગરની શકિત નકામી એટલે જ આપણે રાવણ કે કંસ કે હિરણ્‍યકશિયુની પુજા નથી કરતા, તેઓ પાસે પણ […]

પંચ સરોવર : ૧. બિંદુ સરોવર (સિધ્ધપુર – ગુજરાત) ૨. નારાયણ સરોવર (કચ્છ) ૩. પંપા સરોવર (કર્ણાટક) ૪. પુષ્કર સરોવર (રાજસ્થાન) ૫. માનસ સરોવર (તિબેટ) ૧. બિંદુ સરોવર (સિધ્ધપુર – ગુજરાત): મહર્ષિ કપિલના સ્વાનુભવસિદ્ધ સુધાસભર સુંદર શબ્દો સાંભળીને કોઇના પણ અંતઃકરણનું અવિદ્યારૂપી આવરણ અકબંધ રહી શકે ખરું ? સૂર્યનો પરમ પવિત્ર પ્રખર પ્રકાશ પડતાં અંધકાર અદૃશ્ય થાય, અનંત ઐશ્વર્યની ઉપલબ્ધિ થતાં જન્મના દરિદ્રીની દરિદ્રતા મટી જાય, અને તૃષાર્તને સરિતાની સંનિધિ સાંપડતાં એની તૃષા ટળી જાય, તેવી રીતે એવી જ્ઞાન વિજ્ઞાનયુક્ત વાણીથી સૌ કોઇ કૃતાર્થ થાય ને મુક્ત બની જાય એ […]

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors