ઓખાહરણ-કડવું-૪૯ (રાગ-સિધુડો) ઓખા અનિરુધ્ધને વિનવે છે મારા સોરઠીઆ સુજાણ, મળ્યા મને મેલશો મા; મારા જીવના જીવનપ્રાણ, મળ્યા મને મેલશો મા. (૧) મારા હૈયા કેરા હાર, મળ્યા મને મેલશો મા; સાસુડીના જાયા, મળ્યા મને મેલશો મા. (૨) સ્વપ્ને શીદ ઝાલ્યોતો હાથ, ચાલો તો કાઢુ પ્રાણ; તમને દાદાજી ની આણ, મળ્યા મને મેલશો મા.(૩) ત્યારે અનિરુદ્ધ બોલ્યો વાણ, સાંભળ સુંદરી. (૪) એ અબળાએ નાખ્યા બોલ, અમશું લડી (૪) મારા વડવાની વાત, કાઢી જે વઢીઃ ત્યારે ઓખા બોલી વાત, એ છે દાસલડી(૫) કૌભાંડની તે તનયાય, પગની ખાસલડીઃ ત્યારે અનિરુદ્ધ બોલ્યો વાણ, હવે હું […]
ઓખાહરણ-કડવું-૪૮ (રાગ-ઢાળ) અનિરુધ્ધ ગુસ્સે થાય છે અનિરુદ્ધ વળતો કોપીઓ, ક્યાં ગઈ મારી ગદાય; બે જણના, મારી કરું કકડાય. (૧) તમો જાણ્યું અહીંયાં લાવી, કર્યું ભલેરું કામ; તમને બે જણને મારી, ઊડી જાઉં દ્વારિકા ગામ. (૨) ઓખા ત્યારે થરથર ધ્રુજી, વેગે આવી આડ; મારા પિયુજીને હું મનાવું, તું લાવી તે તારો પાડ રે. (૩)
સંસારમાં અમૃતનો અનુભવ કયાં થાય? * અસીમ પ્રેમમાં.
વાણીનો કયારે ઉપયોગ ન કરવો? * ક્રોધની પળોમાં મૌન રહેવું. -તલવારનો ધા રુજાઈ જાય છે પણ વાણીનો ધા જીવનભર અંક્તિ થઈ જતો હોય છે. * કોઈનું અહિત થતું હોય તેવી વાણી ન ઉચ્ચારવી. * સામી વ્યક્તિ સાંભળાવા તૈયાર ન હોય ત્યારે ન બોલવું.
મહા વદ ચૌદશ મહાશિવરાત્રી એટલે મહા માસમાં આવતી વદ તેરસ ચૌદસના દિવસે મહાશિવરાત્રીનો તહેવાર આવે છે. આ તહેવાર રાત્રિએ જ ઉજવાય છે. તેમાં ભગવાન શિવ પ્રત્યેનો ભક્તિભાવ જોવા મળે છે. હિન્દુ ધર્મશાસ્ત્રો અનુસાર શિવની મૂર્તિ અને શિવલિંગ બંનેની પૂજા થઈ શકે છે,સામાન્યપણે શિવની પૂજા લિંગ સ્વરૂપે કરવામાં આવે છે. કારણ કે બંને શિવના જ પ્રતિક છે. ભગવાન શિવના ભક્તો દ્વારા પુરી શ્રદ્ધા સાથે તેની પૂજા-અર્ચના કરવામાં આવે છે. એવુ કહેવાય છે કે, ભગવાન શિવને ખુશ કરવા ખૂબ જ સરળ છે કારણ કે તે ભોળા છે તેથી તેમને ભોળાનાથ પણ કહેવાય […]
પ્રાયશ્ચિત કોને કહેવાય ? * કરેલા દુરાચાર કે ક્રોધને ભુલી જવા માટેની તપશ્ચર્યા;એટલે કે ફરી એ દોષ ન થાય એ જાગૃતિ.
હ્રદયને કોણ ટાઢક આપી શકે ? * નિર્મળ પ્રેમ.
સ્થૂલ સત્તાના મુખ્ય લક્ષણ કયાં ? * સ્થૂલ સત્તા સાધનો પર આધારિત છે. *સ્થૂલ સત્તા ભય નિર્માણ કરે છે. * સ્થૂલ સત્તા સામ,દામ,દંડ અને ભેદમાં વહેચાયેલી છે. * પરિવર્તનશીલ છે,કાળને આધીન છે,મર્યાદિત છે અને પરાજયની સંભાવનાઓથી યુકત છે.
આપણા જીવનમાં ગાયમાતાનું ઓષધરુપે મહત્વ ગાયમાતાઃ આપણા જીવનમાં ગાયમાતાનું ઓષધરુપે મહત્વ *ગાયનું ધી શરીરમાં તમામ પ્રકરના ઝેરનો નાશ કરવાવાળુ,ધા ને રૂજાવવાવાળુ,તાકતવર,હ્રદય માટે લાભકારી છે.તાજુ ધી વધારે સ્વાદિષ્ટ અને સુગંધીદાર હોય છે. * ગાયનું દૂધ કેન્સરના કીટાણુઓનો નાશ કરે છે. ગાયનું દૂધ હ્રદયરોગ,ાલ્સર,ક્ષયારોગ વગેરે અસાધ્ય રોગ મટાવવાવાળૂ સર્વોતમ રસાયણ છે. * પ્રાચીન ભારતમાં ગાયનું દુધ વેચવું અને પુત્ર વેચવો સમાન માનવામાં આવતા હતા.ગાય અને ગાયનું દૂધ વેચવું પાપ માનવામાં આવતું હતું.આજે પણ ભારતમાં કેટકાક સ્થળોએ ગાય અને ગાયનું દૂધ વેચતા નથી પણ તે દાન સ્વરૂપમાં આપવામાં આવે છે. * આંખો […]
કોનાથી છેટા ચાલવું? * અસતથી. * જેનું હ્રદય મલિન હોય,જે સ્વાર્થને જ કેન્દ્રમાં રાખતો હોય,લોભી અને કંજુશ હોય.મુર્ખ હોય અને અભિમાની હોય તેનાથી.