ગુજરાતના સૌથી મોટા જિલ્લા કચ્છના ઉત્તર-પૂર્વીય ભાગમાં વિશ્વનું સૌથી અનોખું રણ આવેલું છે. પહેલાં તો સૌને એવો સવાલ થાય કે કચ્છમાં જોવા જેવું છે શું ? પણ અહીં દરિયો છે, ડુંગરા છે,ને વન્યસૃષ્ટિ ને વિશાળ રણ પણ છે. વળી, સાંસ્કૃતિક વારસાને કારણે પણ કચ્છ વિશ્વભરમાં પ્રખ્યાત છે. કચ્છના વિશાળ રણની પશ્ચિમે અરબી સમુદ્ર અને પૂર્વમાં સરસ્વતી, રૂપણ અને બનાસ નદી વહે છે. આ ત્રણેય નદીઓ દરિયામાં નહીં પણ રણમાં સમાઈ જાય છે. એટલે જ એક તરફ મીઠું પાણી તો બીજી તરફ ખારું પાણી. આ કારણે આપોઆપ અહીં મીઠું બને છે. […]
ભારતનું રાષ્ટ્રીય પ્રતિક ‘ અશોક ચિન્હ’ છે એ તમામ લોકો જાણે છે અને આ ચિન્હ સન ૧૯૦૪માં બનારસ પાસેના સારનાથથી મળી આવ્યું ત્યારથી અત્યાર સુધીમાં તેના અર્થ વિષે ઘણી ઈતિહાસકારોએ તરેહ તરેહની કલ્પનાઓ કરી છે પરંતુ તાજેતરમાં જ અમદાવાદ શહેરમાં આવેલા એલ.ડી. મ્યુઝીયમે આ અંગે નવો જ પ્રકાશ પાડયો છે. તેમના મત મુજબ અશોક ચિન્હ એ માત્ર સિંહની મુખાકૃતિ વાળું બૌદ્ધ ધર્મનું પ્રતિક નથી. ઈ.સ પૂર્વ પહેલી શતાબ્દીમાં રચાયેલા શ્વેતાંબપ જૈન આગમગ્રંથ ” દેવેન્દ્રસ્તવ” ગ્રંથમાં આ ચિન્હો સવિસ્તૃત અર્થ સમજાવ્યો છે. જે મુજબ આ ચિન્હ સૂર્યના રથનું પ્રતિક છે. બનારસ […]
ભારતીય સ્વાતંત્ર્યસેનાની ‘સ્વરાજ મારો જન્મસિદ્ધ હક્ક છે. હં તે મેળવીને જ જંપીશ’ એવું ભાન હિન્દની સુપ્ત જનતામાં જાગૃત કરીને, તેઓમાં અસંતોષની આગ પ્રગટાવી બિ્રટિશ નાગચૂડને આ દેશ પરથી ઢીલી કરવામાં અગ્રિમ ફાળો આપનાર લોકમાન્ય બાળગંગાધર ટીળક નું નામ હિંદી સ્વાતંત્ર્યવીરોની નામાવલિમાં અત્યંત ઊજળા અક્ષરે અંકાયેલું છે. તેમનો જન્મ ઇ.સ. ૧૮૫૬ની ૨૩મી જુલાઇએ રત્નાગિરિમાં થયો હતો.બાળપણથી જ તે તેજસ્વી મેધા ધરાવતા હોવાથી પૂનામાં માધ્યમિક તથા ઉચ્ચ શિક્ષણની અતિ યશસ્વી કારકિર્દી ગાળી તે બી.એ., એલએલ.બી થયા. પરંતુ વકીલાત ન કરતાં દેશસેવાની પ્રતિજ્ઞા લઇ પ્રાથમિક શાળામાં અધ્યાપક થયા. એક વર્ષ પછી ચિપળૂણકર, આગરકર […]
સામગ્રી : વધેલા ભાત,દહીં (ભાતના પ્રમાણે), ઘઉંનો લોટ (ભાતના પ્રમાણે), લાલ ટામેટું : ૧ ઝીણું સમારેલું, લીલાં મરચાં : ૨ ઝીણાં સમારેલાં, મસાલો : બધો પ્રમાણસર (હળદર, મીઠું, લાલ મરચું, ધાણાજીરું) કોથમીર : ૨ ચમચા ઝીણી સમારેલી,તેલ. રીત : એક વાસણમાં ભાત લઈ, ભાત દહીંમાં ડૂબે તેટલું દહીં નાખી ભાત રહેવા દેવો. જ્યારે પુડલા બનાવવાના હોય ત્યારે હાથથી છૂટા પાડી તેમાં પ્રમાણસર ઘઉંનો લોટ નાખી તેમાં બધો મસાલો અને ટામેટું અને કોથમીર અને લીલું મરચું નાખી પ્રમાણસર પાણી નાખી પુડલા માટેનું ખીરું તૈયાર કરવું. હવે ગરમ કરેલા તવા ઉપર તેલ […]
સૂર્યના ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશને ઉત્તરાયણ માનવામાં આવે છે. સૂર્યના આ રાશિપરિવર્તનને મકર સંક્રાંતિ કહેવામાં આવે છે. મકરસંક્રાંતિનું પર્વ સમગ્ર ભારતમાં ખૂબ જ શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવે છે. જો કે દરેક પ્રદેશમાં તેનું અલગ અલગ નામ છે. અને ઉજવણીની રીત પણ જુદી જુદી છે. હિંદુ ધર્મમાં દરેક માસને બે ભાગમાં વહેંચવામાં આવે છે. એક પક્ષ સુદ તો બીજો પક્ષ વદ છે. એ જ રીતે વર્ષના પણ બે ભાગ પાડવામાં આવ્યા છે. પહેલો છે ઉત્તરાયણ તથા બીજો છે દક્ષિણાયન. આ બંને અયન મળીને એક વર્ષ થાય છે. મકરસંક્રાંતિને દિવસે સૂર્ય પૃથ્વીની […]
ગુજરાતી સાહિત્યમાં હળવી શૈલીના લેખો લખનાર કટાર લેખક ચીનુભાઈ પટવા ‘ફિલસૂફ’નો જન્મ ઈ.સ. ૧૯૧૧માં મુંબઈ મુકામે થયો હતો. તેમની લેખન પ્રવૃતિની શરૂઆત કોલેજકાળથી થયેલ. ચા પીવાના શોખીન પટવાએ ‘ચા પીતાં પીતાં’ની શ્રેણી નવ સૌરાષ્ટ્ર વર્તમાનપત્રમાં શરૂ કરેલી ઉપરાંત પાનસોપારી,શકુંતલાનું ભૂત,ચાલો સજોડે સુખી થઈએ જેવી કૃતિઓ તેમણે હળવી શૈલીમાં લખી છે,તેમના નિબંધોમાં સાંપ્રત સામાજિક અને રાજકીય સમસ્યાઓને વક્રદૃષ્ટીએ અવલોકવાની, સવિશેષ તો અમદાવાદી સમાજના રંગઢંગ વિશેષ રીતે આલેખાયેલા છે.તેમણે અમદાવાદથી મુંબઈ સુધીનો સાયકલ પ્રવાસ,સત્યાગ્રહમાં સામેલગીરી જેવા અનેક સાહસપૂર્વ કાર્યો કર્યા હતાં. તેમના લખાણોમાં તીક્ષ્ણ વ્યવહાર,બુદ્ધિ ઉપરાંત અવળવાણીની ફાવટ છે. ફિલસૂફે આપણી વચ્ચેથી […]
ગુજરાત અર્થતંત્ર ભારત અંદર નોંધપાત્ર તેમજ કૃષિ ઔદ્યોગિક ઉત્પાદન છે. ગુજરાત ભારતમાં સૌથી વ્યવસાયો કેટલાક નિયંત્રણો [1] રાજ્યના મુખ્ય કૃષિ ઉત્પાદન કપાસ સમાવેશ થાય છે. Groundnuts (મગફળી), તારીખો, શેરડી, દૂધ, અને દૂધ ઉત્પાદનો. ઔદ્યોગિક ઉત્પાદનો સિમેન્ટ અને પેટ્રોલ સમાવેશ થાય છે. ફાળો આ વિશ્વના સૌથી મોટા વહાણ ભાંગવાનો વાડો Alang ખાતે ભાવનગર નજીક ગુજરાત છે. રિલાયન્સ પેટ્રોલિયમ, એક રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ જૂથની કંપનીઓ લિમિટેડ ધીરુભાઈ અંબાણી દ્વારા સ્થાપના ના જામનગર ખાતે ઓઈલ રિફાઈનરી જે વિશ્વની સૌથી મોટી ઘાસ મૂળ રિફાઈનરીઓ છે ચલાવે છે. આ કંપની પણ અન્ય (ખાસ આર્થિક ઝોન) સેઝ, […]
કોઈ પણ કાર્યમાં જેટલી નિઃસ્વાર્થતા તેટલી જ વધુ સફળતા. – સ્વામી વિવેકાનંદ
અખા ભાગનાં છપ્પા વાંચતાં ઘણું જાણવા મળે છે. મોહોટું વૈગુણ્ય ચિત્તનું ઘડ્યું, વસ્તુ વિષે દ્વેતપડ ચઢ્યું;તેણે પડે ભાન નાનાવિધ તણી, ચિત્ત ઉપાધ્ય વાધી અત્યઘણી.જ્યમ માદક પુરુષને ગેહેલો કરે, સ્વસ્વરૂપ અખા તેહેને વીસરે. જગતમાં જે મોટો ભેદભાવ દેખાય છે તે ચિત્તનો પેદા કરેલો છે. તેને કારણે બ્રહ્મ ઉપર દ્વૈતનું (જગત અને બ્રહ્મ જુદાં છે એવું) પડ ચડેલું છે. તેના વડે મૂળ પોતારૂપ બ્રહ્મ ઉપર નામ-રૂપ-ગુણની જાતજાતની ભાત (design) પડે છે અને તેથી (કામ-ક્રોધ-લોભ-મોહ-મદ ઉત્પન્ન થતાં) ચિત્તની પીડા અનેક ઘણી વધી જાય છે. કેફી પદાર્થ ખાવાથી માણસ ભાન ભૂલી જાય છે તેવી […]
બ્રહ્મસમાજ દ્વારા સોશીયલ મિડિયાના માધ્યમથી સૌ બ્રાહ્મણ મિત્રો એક બીજાની સાથે સંર્પકમાં રહી શકે તે માટે ખુબ જ વિશાળપાયે આયોજનબદ્ધ અને સુવ્યવસ્થિત રીતે બ્રહ્મસમાજ દ્વારા Android apps (લિન્ક https://goo.gl/12GLvn ) બનાવવામાં આવી છે. આ વિષયે વધુ માહિતી આપતા નિહારીકા રવિયા એ જણાવ્યું હતું કે, બ્રહ્મસમાજના કલ્યાણ અને બ્રહ્મસમાજના લોકો, દુનિયાના વધુને વધુ બ્રાહ્મણો એક બીજા સાથે સંપર્કમાં રહી, બ્રહ્મસમાજ દ્વારા યોજાતા પ્રોગ્રામ, સ્નેહ મિલનો, લગ્ન નોંધણી, શિક્ષા સહાયક, રોજગાર, સમાચાર, આયોજનો અને પોતાના વિચારોનું આદાન પ્રદાન કરી શકે તેવી ઉચ્ચ ભાવના સાથે આ Android apps બનાવવામાં આવી છે. ગુજરાતી, હિન્દી, […]