સંકટમોચન હનુમાનાષ્ટક બાલ સમય રવિ ભક્ષિ લિયો,તબ તીનહું લોક ભર્યો અધિયારો. તાહિ સો ત્રાસ ભયો જગ કો, યહ સંકટ કાહુ સો જાત ન ટારો. દેવન આનિ કરી વિનતી તબ,છાદિ દિયો રવિ કષ્ટ નિવારો. કો નહિ જાનત હૈ જગ મે કપિ સંકટમોચન નામ તિહાંરો. ગુજરાતી અનિવાદઃ શ્રી હનુમાનજી!આપ બાળાવસ્થામાં સૂર્યને ફળ સમજી ગળી ગયા.ત્રણેય લોકમાં અંધકાર છવાઈ ગયો અને સંસારમાં ભય વ્યાપી ગયો.આ સંકટને દુર કરવા માટે કોઈ પણ સમર્થ નહોતુ.ચારેકોરથી નિરાશ થઈને દેવોએ તમને પ્રાર્થના કરી ત્યારે આપે સૂર્યને મુક્ત કર્યો.સંસારનો ભય દેર કર્યો.એટલે તેમને સંકટમોચન નામે ન ઓળખે એવો […]
શિવ પંચાક્ષર સ્રોત્ર નાગેન્દ્રહારાય ત્રિલોચનાય ભસ્માંગરાગાય મહેશ્વરાય | નિત્યાય શુદ્ધાય દિગમ્બરાય તસ્મૈ ‘ન’ કારાય નમઃ શિવાય ॥૧॥ ગુજરાતી ભાષાંત્તરઃ જેમના કંઠમાં સર્પોનો હાર છે, જેમના ત્રણ નેત્રો છે, ભસ્મ જ જેમનું અનુલેપન છે, દિશાઓ જ જેમના વસ્ત્ર છે (અર્થાત્ જે નગ્ન છે), એવાં શુદ્ધ અવિનાશી મહેશ્વર “ન” કાર સ્વરૂપ શિવજીને નમસ્કાર. મન્દાકિનીસલિલચન્દનચર્ચિતાય નન્દીશ્વરપ્રમથનાથમહેશ્વરાય | મન્દારપુષ્પબહુપુષ્પસુપૂજિતાય તસ્મૈ ‘મ’ કારાય નમઃ શિવાય ॥૨॥ ગુજરાતી ભાષાંત્તરઃ ગંગાજળ અને ચંદનથી જેમની અર્ચના થઈ છે, મંદાર પુષ્પ તથા અન્યોન્ય કુસુમોથી જેમની સુંદર પુજા થઈ છે, એવાં નંદીના અધિપતિ પ્રમથગણોના સ્વામી મહેશ્વર “મ” કાર સ્વરૂપ શિવજીને […]
લાંચ આપો નહિ તમને મદદ કરવા સી.બી.આઈ.ને મદદ કરો લાંચ અંગેની કોઈપણ માહિતી જેવી કે * જાહેર નોકરો કે જેવો લાંચ માંગે છે. *તેઓ જમીન,મકાનો,વાહનો,બેન્ક ખાતાઓ વગેરે કાયદેશર સાધનો દ્રારા મિલ્કતો ધરાવે છે. *તેઓ પોતાની જાત માટે અથવા તો બીજી વ્યક્તિ મારફત નાણાકીય લાભ મેળવવાં સારૂ કાયદેશરની સત્તા અને હોદાનો દુર ઉપયોગ કરતા હોયતો. *કે જેઓ રાજય/કેન્દ્ર સરકારની કચેરીમાં,જાહેર નોકરી હોય,જાહેર સાહસોમાં,રાષ્ટ્રીયકૃત બેન્કોમાં,વિમા કંપનીમાં,રેલ્વેમાં,એર ઈન્ડિયામાં,ઈન્ડિયન એરલાઈન્સમાં,લશ્કરી દળોમાં,આવકવેરા ખાતામાં,દૂર-સંચાર વ્યવહારમાં,પ્રોવિડન્ડ ફંડની ઓફિસમાં,કંપનીના રજીસ્ટ્રારની કચેરીઓમાં આબકારી શુલ્કની કચેરીઓમાં વિગેરે કે જેઓ ગુજરાતમાં આવેલી છે. કૃપયા તમારી પ્રતિક્રિયા સમિતિને નીચેના સરનામાં પર મોકલો […]
ઓછા નથી હોતા! માણસ જુએ છે દુઃખના દરિયા. પણ સુખના ઝરણાંય ઓછા નથી હોતા. કોઇક કડવું બોલેને કોઇક મીઠું બોલે. હોઠ બોલે તો ઠીક છે,બાકી નેણનાં વેણ કંઇ ઓછા નથી હોતા. કયાં થાય છે આપણી મરજીનું. ને કદીક થાય તો ઠીક છે બાકી, ખોટા સપનાંય કંઈ ઓછા નથી હોતાં. અજીબ છે દુનિયાને અજીબ છે લોક, સમજી શકો તો ઠીક છે, લોકો દેખાય એટલા ભોળા નથી હોતાં. મળે જો સાચી મુહબ્બત,તો ઠીક છે, જગતમાં દગા દેનારા ઓછા નથી હોતાં. જવું છે એની પાસે હસતાં ને કયારનાય કાપું છું રસ્તા, પણ સમજાય […]
મકાઇનાં ભજિયાં સામગ્રીઃ મકાઇના દાણા ૨૫૦ ગ્રામ, ચણાનો લોટ ૨૫૦ ગ્રામ, ૧૦૦ ગ્રામ સિંગ તેલ, મીઠું, લાલ મરચું, હિંગ, અજમો, કોથમીર જરૂર પ્રમાણે. રીતઃ- મકાઇના દાણાને પથ્થર પર બારીક વાટો. ચણાના લોટમાં પાણી ઉમેરી તેમાં મીઠું, લાલ મરચું, હિંગ, કોથમીર વગેરે નાંખી પૂરૂં હલાવો, કડાઇમાં તેલ નાંખીનાનાં-નાનાં ભજિયા ઉતારો. ગરમ-ગરમ મકાઇનાં ભજિયા ચટણી કે ટામેટાનાં સોસ અથવા અથાણાના રસા સાથે ખાવામાં સ્વાદિષ્ટ લાગશે.
* મરચું ખાંડતી વખતે તેમાં થોડું મીઠું અને તેલ નાખવાથી તેની ઝીણી ભુકી આખમાં નહિ પડે. * તરબુચની છાલને સુકવીને પીસી નાખો. પાવડરનો ઉપયોગ ખાવાના સોડાની જગ્યાએ કરી શકાય છે તેનાથી કઠોર જલ્દી બફાઈ જાય છે. * ભજિયા બનાવતી વખતે ચણાના લોટમાં થોડું મીઠું દહી મેળવવાથી ભજીયા ક્રિસી અને સ્વાદિષ્ટ બનશે. * કચુંબર સમારતા પહેલા ફળ અને શાકભાજીને ફ્રિજમાં મુકી દો.આનાથી તે થોડા કડક થઈ જશે અને તમે તેને મનપસંદ આકાર આપી શકશો.
કદીક પૈગંબરે ઝાંખ્યું સમાધિમાં, ખ્વાબોમાં, અરે, એ ખ્વાબ ખુલ્લી આંખથી જોવા કિતાબોમાં. હ્રદય કાપલી ક્યાં ક્યાં કરી કૈં કેટલી મૂકવી – જ્યહીં હર પૃષ્ઠ નોંધો મૂકવા જેવી કિતાબોમાં ? – ઉશનસ
કલ્યાણનો માર્ગ કોને હાથવગો થાય ? ૦ નિસ્રયબળવાળાને. ૦ જેના હ્રદયમાં સ્રદ્ધાની સરવાની ફુટી હોય. ૦ જેને પવિત્રતાનો સ્પર્શ થયો હોય. ૦ જેનું મન સ્થિર,વાણી સાચી અને નિર્મળ,ઇદ્રિયો વિસ્વાસ મુકી શકાય તેવી અને મનોબળ મજબુત હોય. ******************************************************************** ઓમ શું છે ? ૦ સર્વ વેદોનો સાર. ૦ સર્વ મંત્રોનુ બીજ. ૦ સકળ પ્રાર્થનાઓનું સત્વ. ૦ ભૂત,વર્તમાન અને ભવિષ્યથી પરની સ્થિતી. ૦ જગ્રત,સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણ અવસ્થાથી પરની સ્થિતી. ૦ અદ્યાત્મકની શરુઆત અને અંત જેમા સમાવિષ્ટ થઈ જાય છે તેવું રહસ્યમય તત્વ.
(૧) ॐ ગણેશ ગાયત્રીઃ ॐ એક દંતાય વિહ્મહે,વક્રતુંડાય ધીમહિ,તન્નો બુધ્ધિઃ પ્રચોદયાત્ | (૨)નૃંસિહ ગાયત્રીઃ ॐ ઉગ્રનૃસિંહાય વિહ્મહે,વજ્ર નખાય ધીમહિ,ધીમહિ,તન્નો નૃસિંહ પ્રચોદયાત્ | (૩) વિષ્ણુ ગાયત્રીઃ ॐ નારાયણાય વિહ્મહે,મહાદેવાય ધીમહિ,તન્નો વિષ્ણુઃ પ્રચોદયાત્ | (૪) શિવ ગાયત્રીઃ ॐ પંચવકત્રાઈ વિહ્મહે,વાસુદેવાય ધીમહિ,તન્નો રુદ્રઃ પ્રચોદયાત્ | (૫) કૃષ્ણ ગાયત્રીઃ ॐ દેવકીનંદાનાય વિહ્મહે,વાસુદેવાય ધીમહિ,તન્નો કૃષ્ણઃ પ્રચોદયાત્ | (૬) રાધા ગાયત્રીઃ ॐ વૃષભાનુજાયં વિહ્મહે,કૃષ્ણપ્રિયાયૈ ધીમહિ,તન્નો રાધા પ્રચોદયાત્ | (૭) લક્ષ્મી ગાયત્રીઃ ॐ મહાલક્ષ્મ્યૈ વિહ્મહે,વિષ્ણુપ્રિયાયૈ ધીમહિ,તન્નો લક્મીઃ પ્રચોદયાત્ | (૮) અગ્નિ ગાયત્રીઃ ॐ મહાજવાલાય વિહ્મહે,અગ્નિદેવાય ધીમહિ,તન્નો અગ્નિઃ પ્રચોદયાત્ | (૯) ઈન્દ્ર ગાયત્રીઃ ॐ સહસ્તનેત્રાય વિહ્મહે,વજ્રહસ્તાય ધીમહિ,તન્નો ઈન્દ્રઃ […]
સ્વામી રામતીર્થે કહ્યું છે, “મનુષ્યના વિચાર જેવા હોય છે તેવું જ તેનું જીવન બને છે. -સ્વામી વિવેકાનંદે કહ્યું હતું, “સ્વર્ગ અને નરક બીજે ક્યાંય નથી. એમનો નિવાસ આ૫ણા વિચારોમાં જ છે. “ભગવાન બુદ્ધે પોતાના શિષ્યોને ઉ૫દેશ આ૫તા કહ્યું હતું, -ભિક્ષાઓ, અત્યારે આ૫ણે જે કંઈ છીએ તે પોતાના વિચારોના કારણે છીએ અને ભવિષ્યમાં જેવા બનીશું તે ૫ણ આ૫ણા વિચારોને કારણે જ બનીશું.” શેક્સપિયરે લખ્યું છે, “કોઈ ૫ણ વસ્તુ સારી કે ખરાબ નથી. તેના સારા કે ખરાબ હોવાનો આધાર આ૫ણા વિચારો જ છે. “ઈસુ ખિસ્તે કહ્યું હતું, “માણસના વિચારો જેવા હોય છે […]