આરતીનું મહત્વ શું છે ? * આરતી પાંચ મહાભુતોનું સ્મરણ છે અથવા તેમને પ્રણામ છે. – આચમની, જળ તત્વનું પ્રતીક છે. – વસ્ત્ર, પૃથ્વી તત્વનું પ્રતીક છે – દિપ, તેજ તત્વનું પ્રતીક છે – ધુપ, વાયુ તત્વનું પ્રતીક છે અને -ધંટ, આકાશ તત્વનું પ્રતીક છે. * પાંચ જ્ઞાનેન્દ્રિયો પણ આરતી દ્રારા ઇશ્વરને અર્પણ કરવાની છે દીપક આંખનું, ધંટનાદ કાનનું, ધુપ નાક્નું, જળ જિહવાનું અને વસ્ત્ર ત્વચાનું પ્રતીક છે.
સાચી દિશા કઈ? * યક્ષે યુધિષ્ટિરને આ પ્રશ્ન કરેલો.યુધિષ્ટિરે ઉત્તર આપતા કહેલું કે સંતો સાચી દિશા છે. -આ ઉત્તર મનન કરવા જેવો છે.મનુષ્યને દિશાઓનું ભાન ન રહે તો એની શી સ્થિતિ થાય ? એને જવું હોય કયાંય અને પહોચી જાય કયાંક ! બાહ્ય હલન ચલન માટે દિશાઓનું ધ્યાન આવશ્યક છે,દિશાઓનું ભાન ન હોય તો નિશ્ચિત મુકામે પહોચવામાં મુશ્કેલી પડે છે એમ જીવનને પણ યોગ્ય રાહે લઈ જવું હોય તો સંતનો આશ્રય લેવો ઇષ્ટ છે, -સંત જીવનનો સાચો રાહ બતાવે છે,જેણે પોતાના જીવનમાં પ્રકાશ જોયો છે તે જ બીજાને માર્ગદર્શન આપી […]
સેક્સ લાઇફ ડામાડોળ કરનારા કારણો તમારી સેક્સ લાઇફને હેલ્ધી બનાવવા માટે સૌથી પહેલા એ જાણવું જરૂરી છે કે તે હેલ્ધી કયા કારણોસર નથી. જો તમારી સેક્સ લાઇફ હેલ્ધી ન હોય તો તેની પાછળ અહીં આપેલા કારણો જવાબદાર બની શકે છે. તો આજે જાણી લો એવા કારણો જે તમારી સેક્સલાઇફને ડામાડોળ કરી શકે છે. સમાગમની મજા વધારે સારી રીતે માણી શકાય તે માટે દરેક કપલ્સ અને્ક પ્રયાસ કરે છે.જેમ આપણે શરીરના સ્વાસ્થ્ય સુખાકારી માટે શુદ્ધ ખોરાક ખાઈએ છીએ તેવી જ રીતે એ બાબત પણ સેક્સ લાઇફમાં પણ લાગુ પડે છે. વિશ્વની […]
નાળિયેર વિશેની કેટલીક પ્રાચીન વાતો અને ગુણૉ:- આપણે બધા જાણીએ છીએ કે કોઈ પણ ધાર્મિક કાર્ય કરવું હોય કે પુજા.તેમાં નાળિયેર મહત્વનું સ્થાન ધરાવે છે.કોઈ પણ પૂજા નાળિયેર વિના અપૂર્ણ માનવામાં આવે છે.ભગવાનને નાળિયેર ચઢાવવાથી ભૌતિકદુર્બળતા અને પરિવાર સંબંધી અનેક સમસ્યાઓનું નિરાકરણ થાય છે.સ્વાસ્થ માટે પણ નાળીયેર ખાવાથી શારિરીક દુર્બલતા નષ્ થાય છે. નાળિયેર બહારથી કડક, અંદરથી નરમ અને મીઠુ હોય.જીવનમાં પણ નાળિયેર જેવા નરમ અને મીઠી સ્વભાવ હોવા જોઈએ.આપંએ બહારથી કડક દેખાતા હોઈએ તો પણ અંદરથી નાળિયેર જેવા હોવા જોઈએ. પ્રાચીન સમયથી નાળિયેર સબંધી કેટલીક માન્યતા પ્રચલિત છે.આ […]
શાસ્ત્રોમાં કયાં દસ પાપ ગણાવ્યા છે ? * જે કર્મો અધર્મ યુકત હોય અથવા શાસ્ત્રોએ જે કર્મો કરવાની મનાઈ કરી હોય તે કરવા. * અન્યનું દ્રવ્ય કેવી રીતે લઈ લેવું તેનું ચિંતન. * દેહને જ સર્વસ્વમાની લઈ વર્તન કરવું. * કઠોર વાણી ઉચ્ચારવી. * અસત્ય વચન બોલવું. * અન્યની નિંદા કરવી. * બદલામાં કાંઈ આપ્યા વિના કોઈની વસ્તુ છીનવી લેવી. * કારણ વિના નકામુ બોલબોલ કરવું. * મન,વાણી કે કર્મથી કોઈને દુઃખ કે કષ્ટ આપવું. * પુરુષે પર સ્ત્રી સાથે મૈથુનસંબંધ રાખવો કે સ્ત્રીએ પરપુરુષ સાથે એવો સંબંધ રાખવો.
મહેનત કરવા છતા બધું અવળુ ઉતરતું હોય તો શું કરવુ? * યોગ્ય દિશામાં મહેનત થઈ અહી છે કે નહિ તે સાવધાની રાખી તપાસવું. * પરિણામ હાથવેતમાં છે એમ સમજી પુરૂષાર્થ ચાલું રાખવો.હિંમત ન હારવી. * એક યોજના નિષ્ફળ જવાથી જીવન ખતમ થઈ જતું નથી એવી સમજ હાજર રાખવી. * નિરાશ કે નિરૂત્સાહી થયા વિના કયાં ભુલ રહિ જાય છે તે શોધવાનું ચાલું રાખવું.
રાશિ પ્રમાણે તમારા પ્રેમી / જીવનસાથી નો સ્વભાવ જાણૉ… એવું કહેવામાં આવે છે કે, જીવનમાં એકવાર તો પ્રેમ બધાને થાય છે. પ્રેમનો પાયો વિશ્વાસ પર સ્થિત હોય છે. આ બધા પછી પણ પ્રેમી અથવા પ્રેમિકાના મનમાં એક સવાલ જરૂર ઉભો થાય છે કે, તેના પાર્ટનરનો સ્વભાવ કેવો હોવો જોઇએ, જેવો તે દેખાવાની કોશિશ કરે છે કે તેની સિવાય પણ તેનો અલગ સ્વભાવ છે. તમારો પ્રેમી અથવા પ્રેમિકા તમને દગો આપી રહ્યો છે અથવા તેનો પ્રેમ સાચો જ છે, તે વાત તો કોઇ જાણી શકતું નથી, પરંતુ જ્યોતિષ શાસ્ત્ર મુજબ તેના […]