રઘુવીરનો જન્મ ઇ.સ. ૧૯૩૮ના ડિસેમ્બરની માસની પાંચમી તારીખે બાપુપુરા ગામે થયો હતો પિતાનું નામ દલસિંહ અને માતાનું નામ જીતીબહેન. ઇ.સ. ૧૯૬૦માં હિંદી વિષય વઇને બી.એ. માં પ્રથમ નંબરે ઉત્તીર્ણ થઇ તેઓ અધ્યાપનકાર્યમાં જોડાયા હતા ઇ.સ. ૧૯૭૯માં ગુજરાતી ધાતુકોશ વિષય પર સંશોધન કરી પીએચ.ડી.ની ઉપાધિ પ્રાપ્ત કરી ઇ.સ. ૧૯૭૭થી તેઓ ગુજરાત યુનિવર્સટીમાં અધ્યાપક તરીકે સેવા આપવા લાગ્યા. રઘુવીરનું મુખ્ય પ્રદાન નવલકથાક્ષેત્રે છે. તેમણે પ્રસિદ્ધ કરેલી નવલકથાઓમાં તેમની કીર્તિદા કૃતિ અમૃતા (૧૯૬૫), ‘તેડાગર’ (૧૯૬૮), ‘લાગણી’ (૧૯૭૬),‘બાકી જિંદગી’ (૧૯૮૨) જેવી કૃતિઓ ઉપરાંત સમાજને લક્ષમાં રાખી લખાયેલી મહાનવલો ‘પૂર્વરાગ’ (૧૯૬૪) અને ‘ઉપરવાસત્રયી’ (૧૯૭૫) તથા […]
પકોડા માટેની સામગ્રી- -2 કપ બેસન -1/2 કપ ઝીણી સમારેલી ડુંગળી -6 લીલાં મરચાં ઝીણાં સમારેલાં -1 નાની ચમચી લાલ મરચાં ભૂકી -2 મોટા ચમચા તેલ પકોડા તળવા માટે -મીઠું સ્વાદાનુસાર કઢી માટે સામગ્રી- -5 કપ ખાટું દહીં -6 મોટા ચમચા બેસન -1 નાની ચમચી રાઈ -1/2 નાની ચમચી હળદર -6 લીલાં મરચાં વચ્ચેથી ચીરેલાં -1 ઈંચ આદુંનો ટુકડો ઝીણો સમારીને -1 ચપટી હિંગ -4 કપ ગરમ પાણી -મીઠું સ્વાદાનુસાર રીત- કઢી બનાવવા માટે દહીંમાં બેસન અને પાણી નાખીને હેન્ડ મિક્સરથી મિક્સ કરો.એક કઢાઈ કે મોટા વાસણમાં તેલ ગરમ કરી […]
ગુજરાતી સાહિત્યના કવિ અને સમાજસુધારક બહેરામજી ધનજીભાઈ મલબારીનો જન્મ ઈ.સ. ૧૮૧૩માં વડોદરા મુકામે થયો હતો. મેટિ્રક સુધી અભ્યાસ કરી શોખ ખાતર શેક્સપિયર,મિલ્ટન વડ્ઝવર્થ વગેરેની કૃતિઓનો અભ્યાસ કર્યો. ધીમે ધીમે ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં કાવ્યો રચવા લાગ્યા. ત્યાર પછી તો એમની પાસેથી ‘વિલ્સન વિરહ’, ‘સાંસારિકા’ આદમી અને તેની દુનિયા અને નીતિ વિનોદ જેવા ઉત્તમ પુસ્તકો પ્રાપ્ત થયા છે. એમણે ઈન્ડિયન ન્યૂઝ ઈન ઈગ્લિશ ગાર્બથી અભિભૂત થઈ મેક્સમૂલર અને મહારાણી વિક્ટોરિયાએ એમની પ્રશંસા કરી હતી. બાળલગ્નો બંધ કરાવવા ભારતીય નારીની સ્થિતિ સુધારવી અને વિધવાના વિવાહની હિમાયત કરીને એમણે જે નામના મેળવી તે […]
શિવરાત્રીનું મંગલ પર્વ ભારતનાં લાખો મંદિરોમાં ભક્તિભાવથી મનાવાય છે. શિવના ભક્તો આ પર્વ પર ઉપવાસ, જાગરણ, પૂજા અને આરાધના કરી શિવની ઉપાસના કરે છે. પરંતુ કોઈને જાણ નથી કે શિવ કોેણ છે ? શિવનો રાત્રિ સાથે શો સંબંધ છે. ? શિવરાત્રીના પર્વનું રહસ્ય શું છે ? પરમપિતા શિવ પરમાત્મા નિરાકાર અને જયોતિબિંદુ સ્વરૂપ છે. સાકારમાં દર્શન અને પૂજા માટે શિવલિંગની પ્રતિમા બનાવેલ છે. શિવ રૂપમાં બિંદુ પણ ગુણોમાં સિંધુ છે. શિવનો અર્થ થાય છે કલ્યાણકારી પરમાત્મા. સર્વ માનવ આત્માઓના પરમકલ્યાણકારી છે. તેઓ સુખકર્તા અને દુઃખ હર્તા છે. શિવનાં મંદિરો પરમાત્માનાં […]
સેક્સમાં આવતાં વિઘ્નો અને તેનાં નિવારણ કોઈ પણ યુગલ જ્યારે લગ્ન કરે છે ત્યારે તેઓ પરસ્પરને સુખી કરવાની ઈચ્છા ધરાવતા હોય છે. બંને જણ એકબીજાં માટે ‘સ્પેશિયલ’ હોય છે. પ્રેમ આપવાની અને પામવાની ઈચ્છા સાથે તેઓએ પ્રભુતામાં પગલાં માંડયા હોય છે. લગ્ન જીવનમાં ઉત્સાહ અને ઉમંગની લાવવા માટે એકબીજાની લાગણી સમજવી ખૂબ જ જરૂરી છે. આ રોમાન્સની ગાડીમાં પ્રેમનું ઈંધણ સતત પૂરવું પડે છે. જો તમે પ્રેમનું ઈંધણ ન પૂરી શકતા હો તો એવું બની શકે કે તમારા સંબંધોમાં ખટાશ આવી જાય, માટે પ્રેમના ઈંધણ સાથે સેક્સનું ઈંધણ પણ યોગ્ય […]
મનુષ્યજીવનમાં સૌથી કિંમતી વસ્તુ કે બાબત કઈ છે ? * સમયનો ઉપયોગ સાચી સમજ પ્રાપ્ત કરવામાં કરી લેવો એમાં મનુષ્યજીવનની સાર્થકતા છે સર્જનહારે આ સમય આપણને આપ્યો છે.તેમને અર્થે જ સમયનો ઉપયોગ કરવો એ સાચો ઉપયોગ છે મુલ્યવાન સમયનો નામ અને રુપની મહતા વધારવા ઉપયોગ કરવો તે સમય વેડફવા જેવું છે. -વીતેલી ક્ષણ પાછી નથી આવતી એ કોણ નથી જાણાતું સમયનો અર્થ વર્તમાન કરીએ તો આપણા હિતમાં છે જે કાળ વીતી ચુકયો છે અથવા હવે આવવાનો છે તેના વિશે વિચાર કરવાથી શું અર્થ શરવાનો છે? એમ કરવાથી આપણે વર્તમાન સમય […]
ખાદી એ વસ્ત્ર નથી. પણ વિચારધારા છે. આ શબ્દ મહાત્મા ગાંધીના હતા. જ્યારે અંગ્રેજોનું સામ્રાજ્ય આખા દેશમાં ચાલવા લાગ્યું ત્યારે વિદેશની મિલોનાં સસ્તાં અને ટકાઉ તથા સુંદર વસ્ત્રો ભારતમાં આવવાં લાગ્યાં. જેથી ભારતનો કાપડ ઉદ્યોગ દિવસે દિવસે તૂટવા લાગ્યો.વણકર લોકો બેકાર થવા લાગ્યા. આ જોઈ ગાંધીજીનું હૈયું હચમચી ગયું. તેમણે એક જ હાકલ કરતાં દેશમાં ઠેરઠેર વિદેશી વસ્ત્રોની હોળી થવા લાગી.અંગ્રેજો ચિંતામાં મુકાયા. ગાંધીજીએ કાપડ ઉદ્યોગ ફરીથી બેઠો કરવા ‘ખાદી પહેરો’નું આંદોલન ઉપાડી જાતે ખાદી પહેરવાનું શરૂ કર્યું. જે સમાજના તમામ વર્ગે અપનાવી લીધું. ખૂબ પૈસાવાળાં સ્ત્રી-પુરુષો પણ ખાદી પહેરવા […]