કરમિયા એ હોજરી તથા આંતરડાના કેટલાક વિકારોમાં તેમનો ફાળો દર્શાવે છે.કરમિયા ચાર પ્રકારના હોય છે. (૧) પુટીષજ, (૨) શ્લેમજ(૩) શોણિતજ (૪) મલજ. કરમિયા કોઈને પણ થઈ શકે છે.સ્ત્રી, પુરુષ, બાળક, યુવાન માખી બેસે તેવા ભોજન, અથાણાં, તેલ, તીખું, ગળ્યું, મોડેથી પચે તેવી વસ્તુઓ વગેરે ખાવાથી કરમિયા થાય છે. કરમિયા સફેદ રંગના હોય છે. જે બાળકોની ગુદા સારી રીતે ન ધોવાથી થાય છે.દોરી જેવા કીડા ૧/૨ થી ૬ સેમી. જેટલા હોય છે. મળમાં કીડાનાં નાનાં નાનાં બચ્ચાં નીકળે છે. લક્ષણો - - કીડા પડયા હોય તો મળદ્રાર તથા નાકમાં ખંજવાળ આવે. […]
સ્વતંત્ર ભારતની પોસ્ટલ હિસ્ટ્રી અને કોઈનેજ એ બંને વિશે વિચારતા એમ કહી શકાય કે આપણા દેશની પોસ્ટેજ સ્ટેમ્પસના ઈતિહાસમાં વ્યક્તિ વિશેષની સ્મૃતિમાં ખાસ સ્મારક ટપાલ ટિકિટો રજૂ કરવાની પ્રથા આઝાદી પછી ટૂંક સમયમાં એટલે કે ૧૯૪૮ની શરૂઆતમાં જ પ્રસ્થાપિત થઈ ચૂકી હતી, પરંતુ ચલણી સિક્કાઓની બાબતે આવું બન્યું નહતું. ૧૯૪૭માં દેશ આઝાદ થયો ત્યાર બાદ દોઢ દશક વીત્યે ૧૯૬૪માં આપણા દેશના સૌ પ્રથમ સ્મારક સિક્કા ચલણમાં આવ્યા હતા. આઝાદીની વર્ષગાંઠના અવસરે પ્રકાશિત દેશની સૌ પ્રથમ સ્મારક ટિકિટો રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પિત કરવા રૂપે જારી કરવામાં આવી હતી, જયારે સૌ […]
જરૂરી સામગ્રી : (૧) મકાઈનાં કુમળાં ડૂંડા : ૨ (૨) લાલ મરચાં : અડધી ચમચી (૩) મીઠું : પ્રમાણસર (૪) ધાણાજીરું : અડધો ચમચો (૫) લીલું મરચું : ૧ ઝીણું સમારેલું (૬) ચણાનો લોટ : ૩ વાટકી (૭) હળદર : ૧/૪ ચમચી (૮) સોડા : ચપટી (૯) કોથમીર : ૧ ચમચો ઝીણી સમારેલી (૧૦) તેલ : તળવા માટે. બનાવવાની રીત : મકાઈ છીણીને દાણા કાઢો. ચણાના લોટમાં પ્રમાણસર પાણી નાખી ભજિયાં માટેનું ખીરું તૈયાર કરો. તેમાં છીણેલી મકાઈ અને બધો મસાલો નાખી બરાબર હલાવી ગરમ કરેલા તેલમાં ભજિયાં ઉતારો. આ […]
કચ્છ-માંડવીથી ૧૫ કિ.મી. બિદડા ગામે હાઈવે ઉપર યક્ષરાજ બટુકભૈરવ દેવનું શિખરબંધ મંદિર છે. તે માનવમંદિર નામથી પ્રચલિત છે. મુનિ દિનેશચંદ્રજી મ.સા.ની પ્રેરણા, માર્ગદર્શન અને આશીર્વાદથી સં.૨૦૬૨ મહા સુદ છઠ્ઠ તા. ૧૭ ફેબ્રુઆરી-૨૦૦૫ના માનવ મંદિરની ધન્ય ધરા પર વિધિવિધાપૂર્વક પ્રતિષ્ઠા કરી સ્થાપના કરવામાં આવી છે. દીન-દુખિયાના સુખકર્તા દુઃખકર્તા, ઈચ્છાપૂર્તિ કરનારા દેવોમાં યક્ષરાજ બટુકભૈરવનું નામ પ્રથમ છે. બટુકભૈરવની માનતા કરવાથી કામ સિદ્ધ થાય છે. ભાવિકભકતો મનમાં સંકલ્પ કરે છે, દર મહિનાની સુદ છઠ્ઠની યાત્રા માને છે. મુંબઈ સહિત દૂર દૂરથી શ્રદ્ધાળુઓ માનવમંદિર આવી સોના-ચાંદીનાં આભૂષમો છત્ર ચડાવી તથા સુખઢી ધરાવી બાધા માનતા […]
કોણ અજાણ્યું હોય ? લીલા તેમજ સુકામેવા તરીકે વપરાતાં આ અંજીર એ ઉંબરાની જાતિના ફળ છે. તેના ફળની આકૃતિ અને તેમાંનો ગર્ભ પણ ઉંબરાનાં ફળ જેવો જ હોય છે. તેનાં વૃક્ષો પણ ઉંબરાની જેમ ક્ષીરી વૃક્ષ ( જેમાંથી દૂધ નીકળે તેવાં હોય)છે. ગુણકર્મો ઃ આશરે પંદરથી સોળ ફૂટ ફૂટ ઊંચાં અંજીરનાં વૃક્ષોને ચૂના તથા ભેજવાળી જમીન માફક આવે છે. ભારતમાં કાશ્મીર, પૂના, નાસિક, ઉત્તરપ્રદેશ,બેંગલોર,મૈસૂરમાં તેનું વાવેતર થાય છે. ભારતમાં જે અંજીર થાય છે તે બહુ મોટા અને સ્વાદિષ્ટ હોતાં નથી. ઉત્તમ પ્રકારના અંજીર તેા અરબસ્તાનથી જ આવે છે. આયુર્વેદ પ્રમાણે […]
ગુજરાતી ગઝલ એવોર્ડ વિજેતા, મહાન ઉર્દૂ અને ગુજરાતીઓ કવિઓમાંના એક એવા અમદાવાદ શહેરના આદિલ (ફ્રીદ)મન્સુરી. મનહર ઉધાસે ગાયેલી ૬૬જયારે ણયની જગમાં શરૂઆત થઇ હશે તે ગઝલથી આદિલભાઇ ચલિત છે.ગુજરાતી ગઝલને આધુનિકતાનો વળાંક આપવામાં તેમનું યોગદાન અત્યંત નોંધપાત્ર હતું. નૂતન ભાષા શૈલીમાં તિક યોજના અને બિંબ વિધાના તથા મૌનની ભાષામાં વિચારો સંક્રાંત કરવાની ખૂબીઓએ આદિલ મન્સૂરીને આધુનિક ગઝલના અગ્રણી બનાવ્યા હતા. આદિલ મન્સૂરી ૧૮મી મે ૧૯૩૬ના અમદાવાદમાં જન્મ્યા હતાં. તેમણે મોટા ભાગનો સમય અમદાવાદમાં વિતાવ્યો હતો. આદિલ મન્સૂરીનું બાળપણ સંદ્યર્ષમય રીતે વિત્યું હતું. દેશના વિભાજન પછી ૧૯૪૮માં તેમના પિતાએ કરાંચી જવાનો […]
પાંડિત્યના ભારથી ઉન્મુકત સાહિત્યકાર ભોળાભાઇ પટેલનો જન્મ સોજા ખાતે ઇ.સ. ૧૯૩૪ ના ઓગસ્ટ માસની સાતમી તારીખે થયો હતો. પિતાનું નામ શંકરભાઇ પિતાજી શિક્ષક હતા મેટ્રિક નો અભ્યાસ પૂરો કરી ભોળાભાઇ માણસાની હાઇસ્કૂલમાં શિક્ષક તરીકે જોડાયા. વિદ્યાર્થી તરીકે તેઓ જે કંઇ જાણતા હતા તે બધું જ નિઃશેષપણે પોતાના વિદ્યાર્થીઓને આપી દેવા સદા તત્પર રહેતા માણસાનાં શકરીબહેન ડો.ભોળાભાઇનાં પત્ની વિદ્યાર્થીકાળ દરમિયાન જ ભોળાભાઇ સંસ્કૃત છંદોમાં કાવ્યો લખતા એ અરસામાં બે-ત્રણ નવલિકાઓ પર પણ એમણે હાથ આજમાવ્યો હતો. નોકરી કરતા તેઓ બંગાળી ભાષા શીખ્યા. બંગાળી ભાષા સાથેના ગાઢ પરિચયને કારણે તથા તેમની અભ્યાસપ્રવૃત્તિથી […]
ગાયનું દુધ ડૉક્ટર ન્યુટમેન કહે છે કે જો તમે તમારા દેશના બાળકોનું સુખ અને કલ્યાણ ઇચ્છતા હો અને તેમને બુદ્ધિશાળી બનાવવા માગતા હો તો બાળકોને રોજ ગાયનું તાજુ દૂધ આપો ગાયનું દુધ મધુર, વાત-પિતનાશક છે, તત્કાલ વીર્યજનક, શીતલ સર્વ પ્રાણીઓનું જીવન, આયુષ્યકારક ઓજસ વધારનારું રસાયણ છે. ગાયનું દુધ પથ્ય અત્યંત રુચિકર સ્વાદિષ્ટ પિતનો નાશ કરનાર. તેજ બુદ્ધિ-બળવર્ધક, વિવિધ ઓષધિમાં ઉપયોગી લોહી અને વીર્યવર્ધક છે. ગાય જે જાતનો ખોરાક ખાય તે પ્રમાણે તેના ગુણો અને ઘીના પ્રમાણમાં ફેરફાર થાય છે. ભારતીય ઓલાદની ગાયોનું દૂધ ઉત્તમ ગાયના દૂધમાં A-1 અને A-2 બે […]