સૌથી સુંદર કોણ છે ? * જેના નેત્રોમાં પરમાત્માની ચમક છે અથવા પરમાત્માની ઝાંખી થાય છે. * જેને જોઈને પરમાત્માને પામવાની તીવ્ર ઝાંખના જાગે છે. * જેનાં અંગેઅંગમાં પરમાત્માનું સ્પંદન છે.જેના હલન-ચલનમાં ઊઠવા-બેસવામાં,બોલવામાં કહોકે એના પ્રત્યેક કર્મ- અકર્મમાં,એની હાજરીમાં પરમાત્માની ઉપસ્થિતિ વર્તાય છે.

ઓખાહરણ/કડવું-૮૮ ઓખા ચાલી ચાલણહાર, સૈયરો વળાયા સંચરી; ઓખા ઊભી રહે મળતી જા, માને વહાલી દીકરી. કોઈ લાવે એકાવળ હાર, કોઈ લાવે સોનાનાં સાંકળાં; કોઈ લાવે સોળ શણગાર, ઓખાબાઇને પહેરવા. ઓખાજી વળતાં બોલિયાં, કહે બાઈ રે. ચિત્રલેખા આવ ઓરી આવાર રે, આ લે સોનાનાં સાંકળાં, બોલ્યાં બાઈ રે. તારા ગુણ ઓશીંગણ થાઉં, બોલ્યાં બાઈ રે. નિત નિત ગોમતી ને રણછોડ આવ્યા નાહી રે. એટલે પહોંચ્યા મનના કોડ, મારી બાઈ રે.

ધરગથ્થુ ઉપચારઃ પેટના દર્દો માટે * એલચી,ધાણાનું ચુર્ણ ચારથી છ રતીભાર અને શેકેલી હિંગ એક રતીભાર લઈ લીંબુંના રસમાં મેળાવીને ચાટવથી વાયુ,પેટનો દુખાવો અને આફરો મટે છે. * ફુદીનાના રસમાં મધ મેળાવી લેવાથી પેટના દર્દો મટે છે લાંબા સમય માટે આંતરડાની ફરિયાદ માટે આ ઉતમ ઇલાજ છે. * સાકર અને ધાણાનું ચુર્ણ પાણીમાં પીવાથી પેટની બળતરા મટે છે * જીરુ અને ધાણા બંને સરખા ભાગે લઈ રાત્રે પલાળી રાખો સવારમાં ખુબ મસળી તેમાં સાકર નાખીને પીવાથી પેટની બળાતરા મટે છે. * અજમો ફાકી ઉપર ગરમ પાણી પીવાથી પેટનો દુખાવો,અજીર્ણ અને […]

ચિત્તને ઉદ્વેગ કેમ થાય છે ? * દુ:ખનો અનુભવ નથી ગમતો તે કારણે. * રાગ-દ્વેષનિ પ્રબળતાને કારણે. * અજ્ઞાન ભર્યું પડયું છે એટલે. * વાસનાઓને તૃપતી નથી મળતી તે કારણે. * સંસારી પદાર્થોમાં મન રચ્યુપચ્યું રહે છે તે કારણે. * શુભ વિચારોને આચરણમાં નથી મુકતા એટલે.

ઓખાહરણ-કડવું-૮૭ આપ્યું મૂક્યું સર્વે પહોંચ્યું, કન્યાને વળાવો. મારા નવલા વેવાઈઓ. રથ ઘોડા ને પામરીઓ, સૌ જાદવને બંધાવો. મારા નવલા વેવાઈઓ. જરકશી જામા, તમે કૃષ્ણને પહેરાવો. મારા નવલા વેવાઈઓ. પંચ વસ્ત્ર ને શણગાર, તમે જમાત્રને આપો. મારા નવલા વેવાઈઓ. દક્ષિણના ચીર, રાણી રુક્ષ્મણીને આપો. મારા નવલા વેવાઈઓ. સાળુ ને ઘરચોળા, સતી સત્યભામાને આપો. મારા નવલા વેવાઈઓ. પાટણનાં પટોળાં, રાણી જાંબુવતીને આપો. મારા નવલા વેવાઈઓ.

આપણી સાથે રહેતા હોય તેની સાથેના વ્યવહારમાં કઈ કાળજી રાખવી ? * બને ત્યા સુધી આપણા વાણી અને વ્યવહારથી સામાને દુઃખ,ક્ષોભ કે ઓછપનો ભાવ ન આવે તેની કાળજી રાખવી. * આપણી વાણી અને આચરણ એવા હોવા જોઈએ કે સામાને શાંતિ અને આનંદ મળે. એટલે કાંઈ પણ બોલતા પહેલા કે કાંઈ પણ કરતા પહેલા એટલું તો વિચારી લેવું કે એનાથી કોઈના શાંતિ કે આનંદ નષ્ટ તો નહિ થઈ જાય ને.

સ્ત્રી નો મનગમતો શણગાર બંગડી વિશે જાણૉ તારા ઝાંઝર ની છમ ને બંગડી ની ખન તરસી તરસી બસ સાંભળી તી મેં કલ્પનામાં ઝાલ્યો આખરે મેં જ્યારે હાથ તારો તારા ચંચળ નયન નૃત્ય થી જ મન ભરાયુ નહિ આ કવિતાની કયાંય મે સાંભળેલ હતી સ્ત્રીના શણગારની કેવી સુંદર રીતે રજુઆત કરાઈ છે સ્ત્રીના સોળ શણગારમા બંગડીને સ્થાન છે સ્ત્રીઓની બંગડીઓ(ચુડીઓ) જ્યારે ખણકે છે ત્યારે બધાની નજર એ તરફ જતી હોય છે. મોટાભાગની મહિલાઓ બંગડીઓ કે કંગન ચોક્કસ પહેરે છે. ખાસ કરીને આ બાબતે એવી ધારણા છે કે બંગડીઓ સુહાગની નિશાની હોય […]

ઓખાહરણ-કડવું-૮૬ બાણાસુર ગોરવ નોતરે, સૌ કો સાથશું રે; સાથે જમણની રીત, હળધર ભ્રાતશું રે, શ્રીકૃષ્ણ કરે પ્રણામ, હળધર ભ્રાતશું રે. તમો ગોરડી વેળા પધારજો, સૌ કો આવશે રે. સાથે માણસની શી રીતે, ગમે તેને લાવજો રે, વેવાણ ઘરમાં ગઈ; જ્યાં વરની માવડી રે, તેના કુમકુમ રોળ્યા પાય, જઈ પાયે પડી રે, અનિરુધ્ધની માવડી, બોલ્યાં રીત અમારડી રે, ગોરડી મનાવીને ચાલીયાં, મનશું માલતાં રે; હાલ હાલ કરો રસોઈ, રાંધણ ચાલતાં રે, રસોઈ બહુ પ્રકારની, ગણતાં નવ લહુ રે, કાં વસ્તુ અનેક, ગણતાં સહુ સહુ રે, જાદવ કેરી જોડ, સહુકો સાથ શું […]

મૂર્ખ કોને કહેવાય ? * આગ લાગે ત્યારે કુવો ખોદવા જાય. * દુશ્મનો ચડી આવે ત્યારે કિલ્લો ચણવાની તૈયારી કરે. * જે સ્વાર્થમાં રચ્યોપચ્યો રહે. * જે જગતને રાજી રાખવાના પ્રયત્નો કર્યા કરે છે. * જે પોતાનું હિત-અહિત શેમાં છે તે ન સમજે. * જે કરવા જેવું છે તે ન કરે અને જે ન કરવા જેવું હોય તેની પાછળ મથ્યા કરે. * જે સીધી સાદી વાતને મચડીને અનર્થ ઉભો કરે.

ત્યાગ કયારે સિધ્ધ ગણાય ? * મે ત્યાગ કર્યો છે એવો ભાવ પણ ન રહે ત્યારે. * પરમાત્માને પામવા સિવાયની કોઈ ઇચ્છા ન રહે ત્યારે – ત્યાગને ઇશ્વરના સંદર્ભમાં જોવો જોઈએ.ત્યાગ કરવાનું સામર્થ્ય ઇશ્વર પાસેથી જ મળૅ છે. -આપણે કશુજ નથી પછી ત્યાગ શેનો કરવાનો.

jeevanshailee-requirement-ad
 
itinerary plus
Price 799 Rs.
 
itinerary plus
Price 599 Rs.
 
travel gujarati
Price 399 Rs.
 
 
 
market decides
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors