અહંકારમાથી મુકત થવાનો  ઉપાય  શું? * અહંકારમાથી પોતાપણૂ હટાવી દેવું. * પોતાની ઇચ્છાઓને પ્રબલ ન બનાવવી. * શેરમાથે સવાશેર હોયજ છે તેની જાગૃતિ રાખવી. * અન્યની આવડતની પ્રશંશા કરતા શીખવું. * મહત શક્તિ કાર્ય કરી રહિ છે અને તેની ઇચ્છા પ્રમાણે થાય છે.એ બાબતનું વિસ્મરણ ન થવુ જોઈએ. * સંબંધ કે સહવાસમાં આવનારમાં ઇશ્વર છે એમ સમજી તેમની નિરપેક્ષભાવે સેવા કરવી.

પરમ પદના અધિકારી કોણ થઈ શકે? * જે માન અને મોહના ભાવથી મુકત થઈ ગયા છે.* આશક્તિ પર જેમણે વિજય મેળવ્યો છે. * પરમાત્મા તત્વમાં જેમની નિરંતર સ્થિત છે. * સુખ દુઃખ આદિ દ્રન્દ્રોથી જે મુકત થઈ ગયા છે. * વિવેક-વૈરાગ્ય વડે જેમણે સર્વ કર્મફળને ત્યજી દીધા છે * પ્રિય કે અપ્રિય પદાર્થો સમીપ હોવા છતાં જેમનામાં રાગ-દ્રેષ જન્મતા નથી. * દેહ-ધર આદિ પદાર્થોમાં જેમને મમતા નથી તેવા સાધકો.

ભોજન કરતી વેળા શું ધ્યાન રાખવાનું ? * પોષણ માટે ખાઈએ છીએ તે સ્મુતિ હાજર રાખવી. * ભોજન ભગવાનને અર્પણ કરેલું હોવું જોઈએ. * આહાર સાત્વિક છે કે નહી તે જોવું જોઈઍ. *  સ્વાદનો ખ્યાલ રાખીને નહી પણ પેટની ભૂખ ધ્યાનમાં રાખી જમવું જોઈએ;માપસર આહાર લેવો જોઈએ;ઊણૉદરી વ્રત પાળવું જોઈએ. * અન્ય જમનારા છે એ વાત ભુલાવી ન જોઈએ. * મફતનું ખાવાની વ્રુતિ ન હોવી જોઈએ.

શ્રેષ્ઠ વિજય કયો ? * ઇદ્રિયો,અંતઃકરણ કે ત્રણ ગુણમાં ન ખેચાવું. * આત્મવિજય. * ભગવત- ઇચ્છાને વશ થવું.

સન્માન પ્રાપ્ત કરવાનો ઇલાજ શું ? * સૌને સન્માન આપવું તે.

દષ્ટી બદલવાનું ઉત્તમ સ્થાન કયું ? * સ્વબળ. * સંગ.

સંસ્‍કાર એ જગતના કોઇ પણ ધર્મનું મહત્‍વપૂર્ણ અંગ છે. સંસ્‍કાર (સંસ્‍કારની ધા‍ર્મિક વિધિ) એ જગતના કોઇ પણ ધર્મનું અને તેમાંયે ખાસ કરીને હિંદુ ધર્મનું મહત્‍વપૂર્ણ અંગ છે. ઇતિહાસના પ્રારંભથી સંસ્‍કારો ધાર્મિક તથા સામાજિક એકતાનું પ્રભાવક માધ્‍યમ રહ્યા છે. સંસ્‍કારોનો સંબંધ સંપૂર્ણ જીવન સાથે હોવાથી કોઇ પણ સંસ્‍કૃતિને પૂર્ણ રૂપથી સમજવા માટે સંસ્‍કારોનું અધ્‍યયન મહત્‍વપૂર્ણ છે. ‘સંસ્‍કાર’નો અર્થઃ ‘સંસ્‍કાર’ શબ્‍દની વ્‍યુપતિ સંસ્‍કૃત सम+कृ માંથી થઇ છે, જેનો અર્થ શુદ્ઘ કરવું, પવિત્ર કરવું,સંસ્‍કરણ કરવું એવો થાય છે. અંગ્રેજી Ceremony અને લેટિન Caerimonia (Sanctity) શબ્‍દ દ્વારા સંસ્‍કારનો અર્થ પૂર્ણતયા સમજાવતો નથી. Ceremony શબ્‍દનો […]

હિન્દુ ધર્મમાં શક્તિ પીઠ સ્થાન પાવન તીર્થ તરીકે આકાર પામ્યાં છે. સામાન્ય રીતે શક્તિ પીઠની સંખ્યા ૫૧ ગણાય છે. પરંતુ અલગ અલગ શાસ્ત્રો પ્રમાણે શક્તિ પીઠની અલગ અલગ સંખ્યા કહેવામાં આવી છે. પરંતુ દેવી ભાગવતમાં ૧૦૮, કાલિકા પુરાણમાં ૨૬, શિવચરિત્રમાં ૫૧, દુર્ગા શપ્તસતી અને તંત્રચૂડામણિમાં ૫૨ (બાવન), તો અમુક શાસ્ત્રોમાં ૮૪ શક્તિપીઠ જણાવેલ છે. શક્તિ પીઠો એ બ્રહ્માંડની અસીમ રહસ્યમયી શક્તિ અને ઉર્જાનું સ્થળ છે જ્યાં માતાનાં સર્વરૂપોનું પૂજન અને તપ કરવાનું મહત્વ રહેલું છે, પરંતુ તાંત્રિક તેમજ વૈદિક વિધિઓ માટે શક્તિ પીઠોનું સ્થાન અધિકાત્મક રીતે મહત્વપૂર્ણ માનવામાં આવ્યાં છે. […]

સર્જનનો આરંભ કયારે થયો હશે? * ઇચ્છાશક્તિએ ક્રિયાશક્તિનો સહયોગ કર્યો હશે ત્યારે.

ખરી કેળવણી કઈ ? * ભરણપોષણ માટે પરાવલંબી ના બનાવે. * બાહ્ય અને આંતરજ્ઞાન મેળવવાની માણસની મુળભુત શક્તિને બેઠી કરે. * અંતરશુધ્ધિ અને દેહશુધ્ધિની શક્તિ આપે.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors