સુવિચાર

* પંખીઓ એમના પગથી જાળમાં સપડાય છે જયારે માણસો વિચારોથી સપડાય છે.
* જે આનંદ આપણે મેળવીએ છીએ તેનો થાક લાગે છે ,પરંતુ જે આનંદ આપણે બીજાને આપીએ છીએ તેનો થાક લાગતો નથી.
* વ્યક્તિની પોતાની હિંમતના પ્રમાણમાં જ તેનો વિકાસ થાય છે.
* કાટ ખાઈને મરવું તેના કરતાં ઘસાઈને મરવું સારૂ.
* આપણા આત્માની પ્રગતિ એ આપણી પ્રગતિનો આત્મા છે.
* જેણે મન જીત્યું છે તેણે જગતને જીત્યું છે .
* જયારે આપણે કોઈ કામ કરવાની ઈચ્છા રાખીએ છીએ ત્યારે શક્તિ એની મેળે જ આવી જાય છે.
* પોતાનામાં એટલે કે પોતાની શક્તિમાં શ્રદ્ધા એનું નામ જ ટેલેન્ટ
* સફળતાની કોઈપણ ચાવી તમે પોતે એ કાર્ય ન કરો ત્યાં સુધી હાથમાં આવતી નથી.
* બે ધર્મો વચ્ચે ક્યારેય ઝગડો થતો નથી , જે ઝગડો થાય છે તે બે અધર્મો વચ્ચે થાય છે.
* ટેન્સન એજ માં ટેન્સન કઈ દિશામાં આપવું જોઈએ તે જે જાણી લે તેને જ સફળતા મળે.
* મોતી જો પામવા હોય તો દરીયામાં ડૂબકી જ મારવાની હોય, પછી તરવાનું નહી.
* સ્વાર્થ હોય ત્યારે માણસો પોતાનું સ્વમાન નેવે મૂકી દે છે.
* જિંદગીપણ એ ગમે ત્યારે પૂરું થઇ જનારું ભ્રામક સપનું માત્ર છે , એનું ભાન આપણને કયારે થશે ?
* મૌન પારસમણી છે ,જેને એનો સ્પર્શ થાય છે તે ખરેખર સુવર્ણ બની જાય છે.

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors