સુવિચાર

* કુળને ખાતર એકને ત્યજવો,
ગામને ખાતર કુળને ત્યજવું,
દેશને ખાતર ગામને ત્યજવું,
પોતના આત્માને ખાતર પૃથ્વી ત્યજવી.
* વૃક્ષો ફળોના આવવાથી નીચા નમે છે,
વાદળા નવા પાણી ભરાવવાથી ખુબજ નીચ નમી જાય છે,
સત્પુરૂષો સમૃધ્ધિ વડે વિનમ્ર બને છે,
પરોપકારીઓનો આજ સ્વભાવ હોય છે.
* શક્યતાના સૌ પ્રકારો પર લખ્યું મેં નામ ત્હારું,
‘છે નથી’ ના સૌ વિચારો પર લખ્યું મેં નામ ત્હારું.
– નિર્મિશ ઠાકર…..
* હંમેશા બીજાને માફ કરી દેવાનું જ પુરતુ નથી.કયારેય કયારેય પોતાની જાતને પણ માફ કરી કરતાં શીખવું જોઇએ.
* જે વ્યક્તિ તમારા દુઃખમાં સાથ ન આપે તેને તમારા સુખમાં ભાગ લેવાનો કોઈ અધિકાર નથી..
* મિત્ર અને ઓષધીઓ બંને આપણી સહાયતા કરે છે,પરંતુ ઓષધીની એકસપાયરી ડેઇટ હોય છે જયારે મિત્રની એકસપાયરી ડેઇટ હોતી નથી.
* મનુષ્યનું જીવન વિચારોથી જ ચાલે છે જો સારા વિચારો હોય તો જીવન સારું બનશે.જો વિચાર ખરાબ તો જીવન ખરાબ બની જશે…* ઉન્નતિની પરખ કરવાની સાચી રીત છે તુલના. આ તુલના બીજાની સાથે ન કરવી, બલકે તમારા ગઈ કાલના દિવસ સાથે આજના દિવસની કરવી.
* જયારે તમે દુઃખી થાવ છો ત્યારે બીજાઓથી પ્રેમ ઇચ્છો છો.જયારે બીજા દુઃખી થાય છે ત્યારે શું તમે બીજાઓને તમારો પ્રેમ આપો છો?છે ને આશ્ચર્ય !….
* ભગવાને તમને જરુરી બધી વસ્તુઓ નથી આપી, પરંતું જરુરી વસ્તુઓ તો બધી જ આપી છે એટલા માટે ભગવાનનો આભાર જરુર માનજો.
* જયારે આપણે નાની- નાની ચીજો પર ધ્યાન આપીએ છીએ.ત્યારે મહાન ઉન્નતિ થાય છે,પરંતુ મહાન ઉન્નતિ કોઈ નાની ચીજ નથી.એટલા માટે ધ્યાન આપો..* જયારે કોઈ આપણા દિલમાં પ્રવેશ કરે છે,તો દિલ હળવું લાગે છે અને જયારે કોઈ આપણા દિલને છોડી દે ત્યારે ભારે લાગે છે…
* એક નાની યાત્રા પણ તમારા માટે કઠીન બનશે જયારે યાત્રામાં તમે એકલા હશો.એક લાંબી યાત્રા પણ તમારા માટે આસાન બનશે જયારે કોઈ સાથી તમારી સાથે હશે.
* તમારી સમસ્યા બાબતે બીજાઓને ફરિયાદ ન કરશો.મોટાભાગની સમસ્યા તમે જાતે જ ઉભી કરી હોય છે.આત્મ નિરીક્ષણથી તેને દુર કરો.
* \’\’આત્મવિચારનો આધાર લઈને, હું કોણ છું ? એ પ્રશ્નનો પ્રત્યુત્તર પ્રાપ્ત કરો….એટલે મન શાંત થઈ જશે. તમને તેનો પ્રત્યુત્તર (જવાબ) પોતાની મેળે જ મળશે કે-\’\’ તમે કોણ છો ?\’\’
– રમણ મહર્ષિ.
* \’\’ભક્તિ વગર સાચો વૈરાગ્ય હોઈ શકે નહિ, અને ત્યાગ વિના ભક્તિ પણ ન થઈ શકે…એક વિના બીજાની સચ્ચાઈ હોઈ ન શકે.\’\’
– \’નારદ ભક્તિ સૂત્ર\’
* \’\’જ્યાં સુધી માનવ અનિષ્ટનું પડ કાપી ન શકે ત્યાં સુધી-ઈષ્ટના પડ સુધી પહોંચી શકે નહિ…આત્મા સુધી પહોંચવા આ બન્ને પડને પાર કરવાં જોઈએ.\’\’
– સ્વામી વિવેકાનંદ.
* શાંતિથી ક્રોધને, નમ્રતાથી માનને, સરળતાથી માયાને તેમજ
સંતોષથી લોભને જીતવો જોઈએ.
-ભગવાન મહાવીર
*આત્મા કઈ કહે અને બુધ્ધિ સાવ બીજું જ કહે,
એવા સમયે તમે આત્માનું કહ્યું જ કરજો…
-સ્વામી વિવેકાનંદ
* આત્મા બધાનો સરખો છે, બધાના આત્માની શક્તિ એકસરખી છે.
માત્ર કેટલાકની શક્તિ પ્રગટ થઇ છે, બીજાની પ્રગટ થવાની બાકી છે.
-ગાંધીજી.
* જો તમે આજને નષ્ટ કરશો તો સમય એક દિવસ તમને
નષ્ટ કરી દેશે.
-શેક્સપિયર
* દુઃખીને મદદ કરવા લંબાયેલો એક હાથ, પ્રાથના કરવા
જોડાયેલા બે હાથ કરતા વધુ સાર્થક છે.
-સ્વામી વિવેકાનંદ
*બીજા પાસેથી જેવા વહેવારની અપેક્ષા રાખો તેવો જ
વહેવાર તમે બીજા સાથે રાખો.
-બાઈબલ
* દોસ્તી માં જીવજો દોસ્તી માં મરજો,હિંમત ના હોય તો દોસ્તી ના કરજો,જિંદગી નથી અમને દોસ્તો થી વ્હાલી,દોસ્તો માટે જ છે આ જિંદગી અમારી..
* કયારેય અને કયાંય વધુ પડતું બોલબોલ કરવું નહી,સામેવાળી વ્યક્તિ વિશે એકદમ અભિપ્રાય ન આપો.
અજ્ઞાત..
* આશા ધૈર્યનો નાશ કરે છે,કાળ સમ્રુધ્ધિનો નાશ કરે છે ક્રોધ લક્ષ્મીનો નાશ કરે છે કોપાયમાન થયેલી કોઈ સજ્જન વ્યક્તિ દેશનો નાશ કરે છે.
વિદુરનીતિ.
* જેની વાતથી તમારું મન અશાંત થઈ જાય તેવી વ્યક્તિ પાસે ન બેસો કે તેવી વ્યક્તિને તમારી પાસે મ બેસાડો.
સ્વામી વિવેકાનંદ
* જીવનમાં દુઃખ આવી પડે ત્યારે રડવું નહી,તેનાથી માર્ગ નીકળતો નથી,પરંતુ હસીને મનને સ્થિર કરી માર્ગ કાઢવો જોઈએ.
અજ્ઞાત..
* સત્યથી ધર્મનું,અભ્યાસથી વિદ્યાનું,સદવર્તનથી કુળનું અને અપારદર્શક વસ્ત્રો પહેરવાથી સ્ત્રીઓનું રક્ષણ થાય છે.
વિદુરનીતિ.

* જેમ બિલાડી દુધને જુએ છે પણ માથે ઉગામાયેલી લાકડીને જોતી નથી તેમ લોભિયો માણસ ધનને જુએ છે પરંતુ આપત્તીને જોતો નથી.
અજ્ઞાત
*જેવી જ તમે પોતાના વિચારધારાની પકડ ગુમાવી,કે ત્યારે જ તમારુ મહત્વ ખતમ થયું.
જવાહરલાલ નહેરુ
*\’તમે અને તમારું\’ એનું નામ જ્ઞાન તથા \’હું અને મારું\’ એનુ નામ અજ્ઞાન
અજ્ઞાત
* કોઈપણ વ્યક્તિ ભલે ગમે તેવી મહાન હોય તિ પણ તેન વખાણ પહેલેથી કરવા નહીં.તે વ્યક્તિને પહેલા સમજો અને પછી જ તેના વિશે બોલો….
અજ્ઞાત..

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors