સરદાર વલ્લમભભાઇ પટેલનાં- જીવન અને કાર્યનાં અગત્ય નાં બનાવો

૧૮૭પ જન્મ : તા. ૩૧ ઓકટો. નાં રોજ ખેડા જીલ્લાનાં નડિયાદ ગામે.
વતન : કરમસદ. પિતા ઝવેરભાઇ અને માતા લાડબાઇનાં ચોથા પુત્ર.
અભ્યાસ : પ્રાથમિક તેમજ અંગ્રેજી ત્રીજા ધોરણ સુધીનું શિક્ષણ કરમસદમાં. અંગ્રેજી ચોથા ધોરણ સુધી પેટલાદમાં.
૧૮૯૩ લગ્ન : કરમસદ પાસે ગાના ગામે ૧૮માં વર્ષે ઝવેરબા સાથે લગ્ન.
૧૮૯૭

નડિયાદની સરકારી અંગ્રેજી શાળામાં રર વર્ષની વયે મેટ્રીકની પરીક્ષા પાસ.
૧૯૦૦ વકીલીની પરીક્ષા : નડિયાદની વકીલની પરીક્ષામાં ઊતીર્ણ થયા અને પંચમહાલનાં ગોધરામાં વકીલાતનો શુભારંભ.
૧૯૦ર ગોધરા છોડી બોરસદમાં ફોજદારી વકીલ, જવલંત સફળતા અને ખ્યાપતિ પ્રાપ્તો કરી.
૧૯૦૪/પ સંતાન પ્રાપ્તિ : ૧૯૦૪ એપ્રિલમાં પુત્રી મણિબહેન અને ૧૯૦પની ર૮ નવેમ્બપરનાં રોજ ડાહયાભાઇનો જન્મ.
૧૯૦૯ પત્નીનું અવસાન : ૧૧મી જાન્યુઆરીનાં રોજ પત્ની ઝવેરબાનું ઓપ્રેશન દરમ્યાન મુંબઇમાં અવસાન થયાના સમાચાર બોરસદમાં કોર્ટમાં ખૂન કેસની અગત્યની દલીલો સમયે મલ્યા.
૧૯૧૦ બેરિસ્ટર : બારએટલોની પરીક્ષા માટે ઈંગ્લેન્ડ ગયા, મિડલ ટેમ્પમલ નામની સુપ્રસિધ્ધ્ કોલેજમાં કાનૂની અભ્યા‍સ માટે પ્રવેશ મેળવ્યોં.
૧૯૧૨ બેરિસ્ટરની અંતિમ પરીક્ષામાં પ્રથમ વર્ગમાં પહેલા વર્ગમાં પહેલા નંબરે ઊતીર્ણ. પચાસ પાઉન્ડનું ઈનામ મેળવ્યું.વતન પાછા ફર્યા.
૧૯૧૩ કારકીર્દિ આરંભ : સરદારનાં મોટાભાઈ શ્રી વિઠ્ઠલભાઈ પટેલ બોમ્બે કાઉન્સિલમાં મેમ્બર તરીકે ચૂંટાયા. ફેબ્રુ. માં સરદારે બેરિસ્ટર તરીકે અમદાવાદમાં કારકીર્દિનો પ્રારંભ કર્યો.
૧૯૧૪ પિતાનો સ્વર્ગવાસ : માર્ચમાં પિતા ઝવેરભાઈનું ૮૫ વર્ષની વયે કરમસદ ખાતે અવસાન.
૧૯૧૫ જાહેર જીવન : અમદાવાદની ગુજરાત સભાનું સભ્યપદ અને જાહેર જીવનમાં પદાર્પણ.
૧૯૧૭ પૂજ્ય મહાત્મા ગાંધીજી સાથે પ્રથમ પ્રભાવક સંપર્ક : સ્વાતંત્ર્ય માટેની દેશદાઝ દ્રઢીભૂત થઈ, ગુજરાત સભાનાં પ્રતિનિધિ તરીકે લખનૌનાં કોંગ્રેસ અધિવેશનમાં હાજરી, અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં પ્રથમવાર સભ્ય,, આરોગ્યિ સમિતિનાં અધ્યક્ષપદે વરણી, ગોધરા ખાતે પ્રથમ ગુજરાત પ્રાંતિક સભાની કારોબારી સમિતિનાં મંત્રીપદે વરણી, વેઠપ્રથા સામે આંદોલનનાં પુરસ્કર્તા.
૧૯૧૮ અમદાવાદમાં ઈન્ફલુએન્ઝાનાં રોગચાળાનાં પ્રતિકાર માટે કામચલાઉ હોસ્પિ‍ટલની સ્થાપના, અછતગ્રસ્ત ખેડા જિલ્લાનાં ખેડૂતો પાસેથી સરકાર દ્વારા વસૂલ કરાતાં જમીન મહેસૂલની વિરૂધ્ધમાં ‘‘નાકર‘‘ લડતનું સફળ સંચાલન કર્યુ.
૧૯૧૯ અમદાવાદમાં મ્યુ.નાં મેનેજિંગ કમિટીનાં અધ્યક્ષ, સ્વા્તંત્ર્ય આંદોલનને કચડી નાંખવા સરકારે લાદેલા રોલેટ બિલ સામે ૭મી એપ્રિલે વિશાળ સરઘસ સાથે સત્યાગ્રહ શરૂ કર્યો. સરદારે ગાંધીજીના બે પુસ્તાકો ‘‘ હિન્દ સ્વારાજ્ય ‘‘ અને ‘‘ સર્વોદય ‘‘નાં મુકેલા પ્રતિબંધનો ભંગ કરી, બંને પુસ્તકોનું જાહેરમાં વેંચાણ કર્યુ, બીજુ પગલું ‘‘સત્યા ગ્રહ‘‘ પત્રિકા સરકારની પૂર્વમંજુરી વિના પ્રસિધ્ધ કરી કાયદાનો ભંગ કર્યો, આ ગેરકાયદે પત્રિકાનાં તંત્રી અને મુદ્રક તરીકે સરદાર પટેલનું નામ હોવા છતાં અંગ્રેજ અધિકારીએ તેમની ધરપકડ કરવાની હિંમત કરી નહીં.
૧૯૨૦ અમદાવાદ મ્યુ.ની ચૂંટણીમાં ધૂરંધર શ્રી રમણભાઈ નિલકંઠને પરાજિત કરી, સરદારે કોંગ્રેસનાં તમામ ઉમેદવારોને વિજયી બનાવ્યા, અંગ્રેજી ઢબનાં પોષાકનો ત્યાગ કરી ખાદીનાં વસ્ત્રો અપનાવ્યા‍, સવિનય કાનૂન ભંગ આંદોલનને ટેકો આપતો ઠરાવ, નાગપુર કોંગ્રેસ અધિવેશનમાંથી તિલક સ્વંરાજ ફંડ માટેની હાકલનાં જવાબમાં ગુજરાતમાંથી દસ લાખનો ફાળો એકત્ર કર્યો. કોંગ્રેસ પક્ષનાં ૩ લાખ સભ્યો બનાવી ગુજરાતનું ગૌરવ વધાર્યુ.
૧૯૨૧ ગુજરાત પ્રાંતિક કોંગ્રેસ સમિતિનાં પ્રથમ અધ્યક્ષ બન્યા, ડિસે.માં અમદાવાદમાં મળેલા ૩૬માં કોંગ્રેસ અધિવેશનની સ્વાગત સમિતિનાં અધ્યક્ષ બની સફળતાપૂર્વક સંચાલન કર્યુ.
૧૯૨૩ અંગ્રેજ સરકાર સામે નાગપુરમાં સફળ ઝંડા સત્યાયગ્રહ, અમદાવાદ શાળાઓનાં પ્રશ્ને મ્યુ.માં થી સસ્પેન્ડ થતાં જાહેર ફાળાથી ‘‘પીપલ્સ એજ્યુકેશન બોર્ડ‘‘ દ્વારા શાળાઓનું સંચાલન, બોરસદ તાલુકાનાં લોકો પર ડિસે.માં સરકારે નાખેલા અન્યાયી ‘‘હૈડિયાવેરા‘‘ વિરુધ્ધ સત્યાગ્રહના કારણે વેરો રદ કરવા સરકારને ફરજ પાડી, વલ્લભભાઈને ‘‘બોરસદનાં સરદાર‘‘નું માનવંતુ બિરુદ મળ્યું.
૧૯૨૪ પુન: જીત્યા અમદાવાદ મ્યું. માં પ્રમુખ ચૂંટાયા.
૧૯૨૭ ગુજરાતમાં અભૂતપૂર્વ રેલસંકટ રાહત કાર્યોથી ગર્વનર જનરલ લોર્ડ વેવલને પ્રભાવિત કર્યા અને સરકાર પાસેથી એક કરોડની સહાય મેળવી.
૧૯૨૮ અમદાવાદ મ્યુ.માંથી રાજીનામુ, ખેડૂતો પરનાં મહેસૂલ વધારા સામે બારડોલી સત્યા‍ગ્રહનો પ્રારંભ, ખેડૂતોનાં નેતા તરીકે ‘‘સરદાર‘‘ નું ગૌરવંતુ બિરુદ મેળવ્યું, કલકત્તાનાં કોંગ્રેસ અધિવેશનમાં સ્વાતંત્ર્ય લડતનાં ‘‘સરદાર‘‘ તરીકે બહુમાન કરાયું.
૧૯૨૯ પુનામાં મળેલ મહારાષ્ટ્ર રાજકીય પરિષદના પ્રમુખ તથા મોરબી ખાતે કાઠિયાવાડ રાજકીય પરિષદનાં પ્રમુખ તરીકે વરણી.
૧૯૩૦ દાંડીના મીઠા સત્યાગ્રહમાં ૭મી માર્ચે રાસ ગામે જાહેરસભામાં ધરપકડ અને કેદ, ૩૦મી જૂને કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ, ૧લી ઓગષ્ટે પુઃન ધરપડ અને યરવડા જેલમાં કારાવાસ.
૧૯૩૧ ઓગષ્ટમાં સીમલા ખાતે ગાંધી-ઇરવીન કરાર થતાં માર્ચમાં મુક્તિ, કરાંચીમાં કોંગ્રેસનાં ૪૬માં અધિવેશનમાં પ્રમુખ ચૂંટાયા.
૧૯૩૨ સરકાર વિરોધી આંદોલનમાં નેતૃત્વં લેવા બદલ જાન્યું.માં યરવડા જેલમાં ગાંધીજી સાથે ૧૬ માસ સુધી નજરકેદ, નવે.માં માતા લાડબાઇનું કરમસદમાં અવસાન.
૧૯૩૩ ૧લી ઓગષ્ટે નાસિક જેલમાં બદલી, મોટાભાઇ વિઠ્ઠલભાઇ પટેલનું ૨૨મી ઓક્ટો.માં સ્વિત્ઝર્લેન્ડમાં અવસાન.
૧૯૩૮ કેન્દ્રીય કોંગ્રેસ પક્ષનાં શિસ્તનું પાલન કરવાની નેતાગીરી તથા કડક પગલા ભરવાની નીતિને કારણે હિંદના ‘‘તાનાશાહ‘‘નું બિરુદ, કાઠિયાવાડ રાજકીય પરીષદનાં અધ્ય્ક્ષસ્થાશને, બારડોલીનાં હરીપુરા ગામે કોંગ્રેસનું પહેલું ગ્રામ અધિવેશન સુભાષચંદ્ર બોઝનાં અધ્યાક્ષસ્થાસને યોજ્યું.
૧૯૩૯ ૧૯૩૯માં ભાવનગર પ્રજા પરીષદનાં યજમાન પદે કાઠિયાવડ રાજકીય પરીષદમાં સરદારનાં સ્વાગત સરઘસ પર ખૂની હુમલામાં બચી ગયા, પણ નાનાભાઇ ભટ્ટને ઇજા થઇ અને શ્રી બચુભાઇ પટેલ નામના ખેડૂત સામનો કરતાં શહીદ થયા.
૧૯૪૦ ગાંધીજીના સ્વાતંત્ર્ય સંગ્રામમાં સરદારે, અગ્રભાગ ભજવ્યો. જાહેરસભાઓ, વ્યાનખ્યાનો, સ્વરાજ્ય માટે જાગૃતિ, સ્વતંત્રતાની ચોક્કસ બાંહેધરી પ્રજાને આપી, નવે.૧૮નાં સાબરમતી જેલમાં, ત્યારબાદ પુનાની યરવડા જેલમાં ખસેડાયા.
૧૯૪૧ ર૮ ફેબ્રુ.માં કમલા નહેરુ હોસ્પીટલ માટે રુ.પાંચ લાખનો ફાળો ઉઘરાવી પ્રારંભ કરાવ્યો, ર૦ ઓગષ્ટનાં નાદુરસ્ત તબિયતથી જેલમુક્ત.
૧૯૪૨ ઓગષ્ટ ૮નાં મુંબઇમાં અખિલ હિન્દ કોંગ્રેસ કારોબારીની બેઠકમાં અંગ્રેજોને ‘હિન્દ છોડો‘‘નાં ઠરાવને અનુમોદન, તા. ૯મીએ ધરપકડ, ૧૯૪૪ સુધી અહમદનગરની જેલમાં કેદ. ૧૯૪પ માં યરવડા જેલમાં, ૧પમી જૂને મુક્ત થયા.
૧૯૪૬ ડિસે.૯નાં ભારતીય બંધારણ સભામાં પ્રથમવાર ભાગ, કેબીનેટ મિશન સાથે પમી મે એ ત્રણ અંગ્રેજ સભ્યો સાથે સીમલામાં વાટઘાટ.
૧૯૪૭

એપ્રિલ ૪નાં વલ્લભવિદ્યાનગરમાં વિઠ્ઠલભાઇ પટેલ મહાવિદ્યાલયનું ઉદઘાટન, જૂલાઇ પનાં સરદારશ્રીનાં અધ્યક્ષસ્થાને દેશી રાજ્યોની સમસ્યાઓનાં ઉકેલ અર્થે કેન્દ્રામાં નવા ‍‘‘રિયાસતી‘‘ ખાતાની રચના, ૧પમી ઓગષ્ટે સ્વતંત્ર સ્વાયત સંસ્થા હિંદી સંઘના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી.

૯મી નવે.ના સરદારનાં માર્ગદર્શન અને સહાયથી ભારત સરકારે જુનાગઢનું શાસન સંભાળ્યું અને તેનો વહીવટ ‘‘આરઝી હકૂમત‘‘ નાં સરસેનાપતિ અને ‘‘વંદે માતરમ‘‘ પત્રનાં તંત્રીશ્રી શામળદાસ ગાંધીને સોંપ્યો. ૧૩મી એ વિશ્વ વિખ્યાત સોમનાથનાં મંદિરનાં નવનિર્માણ માટે સમુદ્રજળ હથેળીમાં લઇને પ્રતિજ્ઞા લીધી હતી.

કાશ્મીરમાં ડિસે.માં પાક લશ્કરની સહાયથી મુઝાઇદીને હુમલો કર્યો. મહારાજા હરિસિંહજીએ ભારતની મદદ માંગી. લોર્ડ માઉન્ટ બેટનનાં અધ્ય ક્ષપદે વડાપ્રધાન નહેરુ, સરદાર પટેલ, સરદાર બલદેવસિંહ, જનરલ બૂચર, જનરલ રસેલ, આર્મી કમાન્ડબર બક્ષી ગુલામ મહમદ વગેરે કાશ્મીરને કઇ રીતે મદદ કરી શકાય તે અંગે ચર્ચા કરી. પંડિતજીએ અત્યંત ચિંતાભર્યુ ખૂબ જ અસહાય વલણ અખત્યાર કર્યુ. આ પ્રસંગે કાશ્મીરનાં દિવાન મહેરચંદ ખન્નાએ ઉગ્ર સ્વરે કહ્યું કે જો તમે કાશ્મીરને મદદ કરવાના ન હો, તો અમે ઝીણા સાથે પાકિસ્તા્નમાં જોડાઇ જઇશું. આથી નહેરુએ ક્રોધિત સ્‍વરે ખન્નાને ચાલ્યા જવાનું કહ્યું. જનરલ બૂચરે પણ સાધન સામગ્રીનાં અભાવે કાશ્મીરને લશ્કરી સહાય શક્ય નથી તેમ જણાવ્યું. ગવર્નર માઉન્ટર બેટન તટસ્થસ રહ્યા.

સરદાર પટેલે ગુસ્સાયભર્યા અવાજે નિર્ણયાત્મ‍ક શબ્દોસમાં ખન્નાને કહ્યું, ‘‘તમારે પાકિસ્તાન જવાનું નથી. તમે કાશ્મીર પહોંચી જાવ. તમને બધી મદદ સવાર સુધીમાં મળી જશે.‘‘ અને સરદારે લશ્કરનાં સેનાપતિઓને સંબોધતા દ્રઢ સ્વરે કહ્યું, ‘‘તમારે ગમે તે ભોગે કાશ્મીર બચાવવાનું છે. તમારી પાસે સાધન સામગ્રી હોય કે ન હોય તમારે આ કાર્ય પાર પાડવાનું છે. ગમે તે કરો, પણ કરો જ. કાલે સવારથી આ ‘‘ઓપરેશન એર લિફટ‘‘ શરુ કરી દો. કોઇપણ સંજોગોમાં કાશ્મીર બચવું જોઇએ.‘‘ અને રાતોરાત વી.પી.મેનને વિમાનમાં મહારાજાની ભારતીય સંઘમાં જોડાવાની સહી લઈ આવ્યા ત્યારે વહેલી સવારે સરદાર વિમાનગૃહે હાજર હતા. તા. ર૭ ઓકટો. નાં રોજ લશ્કર શ્રીનગરમાં ઉતારી દીધું. સરદાર જાતે પ્લેનમાં લશ્કરને માર્ગદર્શન આપવા કાશ્મીર ગયા હતાં. સરદારની કુનેહથી કાશ્મીંર બચી ગયું.
૧૮૪૮ ફેબ્રુ.૧પનાં જામનગરના લાલ બંગલામાં રાજ પ્રમુખશ્રી જામસાહેબ અને મુખ્યમંત્રીશ્રી નવલરાય ઢેબરની ઉપસ્થિતિમાં સરદાર પટેલે સંયુક્ત સૌરાષ્ટ્ર રાજ્ય સંઘની રચના કરી.
૧૯૪૯ ર૦મી જાન્યુ. જૂનાગઢનું રાજ્ય સૌરાષ્ટ્ર રાજ્યમાં વિલિન થયું, ૨૬મી ફેબ્રુ.ઉસ્મા‘નિયા યુનિવર્સિટી૧૮૭પ જન્મ : તા. ૩૧ ઓકટો. નાં રોજ ખેડા જીલ્લાનાં નડિયાદ ગામે.
વતન : કરમસદ. પિતા ઝવેરભાઇ અને માતા લાડબાઇનાં ચોથા પુત્ર.
અભ્યાસ : પ્રાથમિક તેમજ અંગ્રેજી ત્રીજા ધોરણ સુધીનું શિક્ષણ કરમસદમાં. અંગ્રેજી ચોથા ધોરણ સુધી પેટલાદમાં.
૧૮૯૩ લગ્ન : કરમસદ પાસે ગાના ગામે ૧૮માં વર્ષે ઝવેરબા સાથે લગ્ન.
૧૮૯૭

નડિયાદની સરકારી અંગ્રેજી શાળામાં રર વર્ષની વયે મેટ્રીકની પરીક્ષા પાસ.
૧૯૦૦ વકીલીની પરીક્ષા : નડિયાદની વકીલની પરીક્ષામાં ઊતીર્ણ થયા અને પંચમહાલનાં ગોધરામાં વકીલાતનો શુભારંભ.
૧૯૦ર ગોધરા છોડી બોરસદમાં ફોજદારી વકીલ, જવલંત સફળતા અને ખ્યાપતિ પ્રાપ્તો કરી.
૧૯૦૪/પ સંતાન પ્રાપ્તિ : ૧૯૦૪ એપ્રિલમાં પુત્રી મણિબહેન અને ૧૯૦પની ર૮ નવેમ્બપરનાં રોજ ડાહયાભાઇનો જન્મ.
૧૯૦૯ પત્નીનું અવસાન : ૧૧મી જાન્યુઆરીનાં રોજ પત્ની ઝવેરબાનું ઓપ્રેશન દરમ્યાન મુંબઇમાં અવસાન થયાના સમાચાર બોરસદમાં કોર્ટમાં ખૂન કેસની અગત્યની દલીલો સમયે મલ્યા.
૧૯૧૦ બેરિસ્ટર : બારએટલોની પરીક્ષા માટે ઈંગ્લેન્ડ ગયા, મિડલ ટેમ્પમલ નામની સુપ્રસિધ્ધ્ કોલેજમાં કાનૂની અભ્યા‍સ માટે પ્રવેશ મેળવ્યોં.
૧૯૧૨ બેરિસ્ટરની અંતિમ પરીક્ષામાં પ્રથમ વર્ગમાં પહેલા વર્ગમાં પહેલા નંબરે ઊતીર્ણ. પચાસ પાઉન્ડનું ઈનામ મેળવ્યું.વતન પાછા ફર્યા.
૧૯૧૩ કારકીર્દિ આરંભ : સરદારનાં મોટાભાઈ શ્રી વિઠ્ઠલભાઈ પટેલ બોમ્બે કાઉન્સિલમાં મેમ્બર તરીકે ચૂંટાયા. ફેબ્રુ. માં સરદારે બેરિસ્ટર તરીકે અમદાવાદમાં કારકીર્દિનો પ્રારંભ કર્યો.
૧૯૧૪ પિતાનો સ્વર્ગવાસ : માર્ચમાં પિતા ઝવેરભાઈનું ૮૫ વર્ષની વયે કરમસદ ખાતે અવસાન.
૧૯૧૫ જાહેર જીવન : અમદાવાદની ગુજરાત સભાનું સભ્યપદ અને જાહેર જીવનમાં પદાર્પણ.
૧૯૧૭ પૂજ્ય મહાત્મા ગાંધીજી સાથે પ્રથમ પ્રભાવક સંપર્ક : સ્વાતંત્ર્ય માટેની દેશદાઝ દ્રઢીભૂત થઈ, ગુજરાત સભાનાં પ્રતિનિધિ તરીકે લખનૌનાં કોંગ્રેસ અધિવેશનમાં હાજરી, અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં પ્રથમવાર સભ્ય,, આરોગ્યિ સમિતિનાં અધ્યક્ષપદે વરણી, ગોધરા ખાતે પ્રથમ ગુજરાત પ્રાંતિક સભાની કારોબારી સમિતિનાં મંત્રીપદે વરણી, વેઠપ્રથા સામે આંદોલનનાં પુરસ્કર્તા.
૧૯૧૮ અમદાવાદમાં ઈન્ફલુએન્ઝાનાં રોગચાળાનાં પ્રતિકાર માટે કામચલાઉ હોસ્પિ‍ટલની સ્થાપના, અછતગ્રસ્ત ખેડા જિલ્લાનાં ખેડૂતો પાસેથી સરકાર દ્વારા વસૂલ કરાતાં જમીન મહેસૂલની વિરૂધ્ધમાં ‘‘નાકર‘‘ લડતનું સફળ સંચાલન કર્યુ.
૧૯૧૯ અમદાવાદમાં મ્યુ.નાં મેનેજિંગ કમિટીનાં અધ્યક્ષ, સ્વા્તંત્ર્ય આંદોલનને કચડી નાંખવા સરકારે લાદેલા રોલેટ બિલ સામે ૭મી એપ્રિલે વિશાળ સરઘસ સાથે સત્યાગ્રહ શરૂ કર્યો. સરદારે ગાંધીજીના બે પુસ્તાકો ‘‘ હિન્દ સ્વારાજ્ય ‘‘ અને ‘‘ સર્વોદય ‘‘નાં મુકેલા પ્રતિબંધનો ભંગ કરી, બંને પુસ્તકોનું જાહેરમાં વેંચાણ કર્યુ, બીજુ પગલું ‘‘સત્યા ગ્રહ‘‘ પત્રિકા સરકારની પૂર્વમંજુરી વિના પ્રસિધ્ધ કરી કાયદાનો ભંગ કર્યો, આ ગેરકાયદે પત્રિકાનાં તંત્રી અને મુદ્રક તરીકે સરદાર પટેલનું નામ હોવા છતાં અંગ્રેજ અધિકારીએ તેમની ધરપકડ કરવાની હિંમત કરી નહીં.
૧૯૨૦ અમદાવાદ મ્યુ.ની ચૂંટણીમાં ધૂરંધર શ્રી રમણભાઈ નિલકંઠને પરાજિત કરી, સરદારે કોંગ્રેસનાં તમામ ઉમેદવારોને વિજયી બનાવ્યા, અંગ્રેજી ઢબનાં પોષાકનો ત્યાગ કરી ખાદીનાં વસ્ત્રો અપનાવ્યા‍, સવિનય કાનૂન ભંગ આંદોલનને ટેકો આપતો ઠરાવ, નાગપુર કોંગ્રેસ અધિવેશનમાંથી તિલક સ્વંરાજ ફંડ માટેની હાકલનાં જવાબમાં ગુજરાતમાંથી દસ લાખનો ફાળો એકત્ર કર્યો. કોંગ્રેસ પક્ષનાં ૩ લાખ સભ્યો બનાવી ગુજરાતનું ગૌરવ વધાર્યુ.
૧૯૨૧ ગુજરાત પ્રાંતિક કોંગ્રેસ સમિતિનાં પ્રથમ અધ્યક્ષ બન્યા, ડિસે.માં અમદાવાદમાં મળેલા ૩૬માં કોંગ્રેસ અધિવેશનની સ્વાગત સમિતિનાં અધ્યક્ષ બની સફળતાપૂર્વક સંચાલન કર્યુ.
૧૯૨૩ અંગ્રેજ સરકાર સામે નાગપુરમાં સફળ ઝંડા સત્યાયગ્રહ, અમદાવાદ શાળાઓનાં પ્રશ્ને મ્યુ.માં થી સસ્પેન્ડ થતાં જાહેર ફાળાથી ‘‘પીપલ્સ એજ્યુકેશન બોર્ડ‘‘ દ્વારા શાળાઓનું સંચાલન, બોરસદ તાલુકાનાં લોકો પર ડિસે.માં સરકારે નાખેલા અન્યાયી ‘‘હૈડિયાવેરા‘‘ વિરુધ્ધ સત્યાગ્રહના કારણે વેરો રદ કરવા સરકારને ફરજ પાડી, વલ્લભભાઈને ‘‘બોરસદનાં સરદાર‘‘નું માનવંતુ બિરુદ મળ્યું.
૧૯૨૪ પુન: જીત્યા અમદાવાદ મ્યું. માં પ્રમુખ ચૂંટાયા.
૧૯૨૭ ગુજરાતમાં અભૂતપૂર્વ રેલસંકટ રાહત કાર્યોથી ગર્વનર જનરલ લોર્ડ વેવલને પ્રભાવિત કર્યા અને સરકાર પાસેથી એક કરોડની સહાય મેળવી.
૧૯૨૮ અમદાવાદ મ્યુ.માંથી રાજીનામુ, ખેડૂતો પરનાં મહેસૂલ વધારા સામે બારડોલી સત્યા‍ગ્રહનો પ્રારંભ, ખેડૂતોનાં નેતા તરીકે ‘‘સરદાર‘‘ નું ગૌરવંતુ બિરુદ મેળવ્યું, કલકત્તાનાં કોંગ્રેસ અધિવેશનમાં સ્વાતંત્ર્ય લડતનાં ‘‘સરદાર‘‘ તરીકે બહુમાન કરાયું.
૧૯૨૯ પુનામાં મળેલ મહારાષ્ટ્ર રાજકીય પરિષદના પ્રમુખ તથા મોરબી ખાતે કાઠિયાવાડ રાજકીય પરિષદનાં પ્રમુખ તરીકે વરણી.
૧૯૩૦ દાંડીના મીઠા સત્યાગ્રહમાં ૭મી માર્ચે રાસ ગામે જાહેરસભામાં ધરપકડ અને કેદ, ૩૦મી જૂને કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ, ૧લી ઓગષ્ટે પુઃન ધરપડ અને યરવડા જેલમાં કારાવાસ.
૧૯૩૧ ઓગષ્ટમાં સીમલા ખાતે ગાંધી-ઇરવીન કરાર થતાં માર્ચમાં મુક્તિ, કરાંચીમાં કોંગ્રેસનાં ૪૬માં અધિવેશનમાં પ્રમુખ ચૂંટાયા.
૧૯૩૨ સરકાર વિરોધી આંદોલનમાં નેતૃત્વં લેવા બદલ જાન્યું.માં યરવડા જેલમાં ગાંધીજી સાથે ૧૬ માસ સુધી નજરકેદ, નવે.માં માતા લાડબાઇનું કરમસદમાં અવસાન.
૧૯૩૩ ૧લી ઓગષ્ટે નાસિક જેલમાં બદલી, મોટાભાઇ વિઠ્ઠલભાઇ પટેલનું ૨૨મી ઓક્ટો.માં સ્વિત્ઝર્લેન્ડમાં અવસાન.
૧૯૩૮ કેન્દ્રીય કોંગ્રેસ પક્ષનાં શિસ્તનું પાલન કરવાની નેતાગીરી તથા કડક પગલા ભરવાની નીતિને કારણે હિંદના ‘‘તાનાશાહ‘‘નું બિરુદ, કાઠિયાવાડ રાજકીય પરીષદનાં અધ્ય્ક્ષસ્થાશને, બારડોલીનાં હરીપુરા ગામે કોંગ્રેસનું પહેલું ગ્રામ અધિવેશન સુભાષચંદ્ર બોઝનાં અધ્યાક્ષસ્થાસને યોજ્યું.
૧૯૩૯ ૧૯૩૯માં ભાવનગર પ્રજા પરીષદનાં યજમાન પદે કાઠિયાવડ રાજકીય પરીષદમાં સરદારનાં સ્વાગત સરઘસ પર ખૂની હુમલામાં બચી ગયા, પણ નાનાભાઇ ભટ્ટને ઇજા થઇ અને શ્રી બચુભાઇ પટેલ નામના ખેડૂત સામનો કરતાં શહીદ થયા.
૧૯૪૦ ગાંધીજીના સ્વાતંત્ર્ય સંગ્રામમાં સરદારે, અગ્રભાગ ભજવ્યો. જાહેરસભાઓ, વ્યાનખ્યાનો, સ્વરાજ્ય માટે જાગૃતિ, સ્વતંત્રતાની ચોક્કસ બાંહેધરી પ્રજાને આપી, નવે.૧૮નાં સાબરમતી જેલમાં, ત્યારબાદ પુનાની યરવડા જેલમાં ખસેડાયા.
૧૯૪૧ ર૮ ફેબ્રુ.માં કમલા નહેરુ હોસ્પીટલ માટે રુ.પાંચ લાખનો ફાળો ઉઘરાવી પ્રારંભ કરાવ્યો, ર૦ ઓગષ્ટનાં નાદુરસ્ત તબિયતથી જેલમુક્ત.
૧૯૪૨ ઓગષ્ટ ૮નાં મુંબઇમાં અખિલ હિન્દ કોંગ્રેસ કારોબારીની બેઠકમાં અંગ્રેજોને ‘હિન્દ છોડો‘‘નાં ઠરાવને અનુમોદન, તા. ૯મીએ ધરપકડ, ૧૯૪૪ સુધી અહમદનગરની જેલમાં કેદ. ૧૯૪પ માં યરવડા જેલમાં, ૧પમી જૂને મુક્ત થયા.
૧૯૪૬ ડિસે.૯નાં ભારતીય બંધારણ સભામાં પ્રથમવાર ભાગ, કેબીનેટ મિશન સાથે પમી મે એ ત્રણ અંગ્રેજ સભ્યો સાથે સીમલામાં વાટઘાટ.
૧૯૪૭

એપ્રિલ ૪નાં વલ્લભવિદ્યાનગરમાં વિઠ્ઠલભાઇ પટેલ મહાવિદ્યાલયનું ઉદઘાટન, જૂલાઇ પનાં સરદારશ્રીનાં અધ્યક્ષસ્થાને દેશી રાજ્યોની સમસ્યાઓનાં ઉકેલ અર્થે કેન્દ્રામાં નવા ‍‘‘રિયાસતી‘‘ ખાતાની રચના, ૧પમી ઓગષ્ટે સ્વતંત્ર સ્વાયત સંસ્થા હિંદી સંઘના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી.

૯મી નવે.ના સરદારનાં માર્ગદર્શન અને સહાયથી ભારત સરકારે જુનાગઢનું શાસન સંભાળ્યું અને તેનો વહીવટ ‘‘આરઝી હકૂમત‘‘ નાં સરસેનાપતિ અને ‘‘વંદે માતરમ‘‘ પત્રનાં તંત્રીશ્રી શામળદાસ ગાંધીને સોંપ્યો. ૧૩મી એ વિશ્વ વિખ્યાત સોમનાથનાં મંદિરનાં નવનિર્માણ માટે સમુદ્રજળ હથેળીમાં લઇને પ્રતિજ્ઞા લીધી હતી.

કાશ્મીરમાં ડિસે.માં પાક લશ્કરની સહાયથી મુઝાઇદીને હુમલો કર્યો. મહારાજા હરિસિંહજીએ ભારતની મદદ માંગી. લોર્ડ માઉન્ટ બેટનનાં અધ્ય ક્ષપદે વડાપ્રધાન નહેરુ, સરદાર પટેલ, સરદાર બલદેવસિંહ, જનરલ બૂચર, જનરલ રસેલ, આર્મી કમાન્ડબર બક્ષી ગુલામ મહમદ વગેરે કાશ્મીરને કઇ રીતે મદદ કરી શકાય તે અંગે ચર્ચા કરી. પંડિતજીએ અત્યંત ચિંતાભર્યુ ખૂબ જ અસહાય વલણ અખત્યાર કર્યુ. આ પ્રસંગે કાશ્મીરનાં દિવાન મહેરચંદ ખન્નાએ ઉગ્ર સ્વરે કહ્યું કે જો તમે કાશ્મીરને મદદ કરવાના ન હો, તો અમે ઝીણા સાથે પાકિસ્તા્નમાં જોડાઇ જઇશું. આથી નહેરુએ ક્રોધિત સ્‍વરે ખન્નાને ચાલ્યા જવાનું કહ્યું. જનરલ બૂચરે પણ સાધન સામગ્રીનાં અભાવે કાશ્મીરને લશ્કરી સહાય શક્ય નથી તેમ જણાવ્યું. ગવર્નર માઉન્ટર બેટન તટસ્થસ રહ્યા.

સરદાર પટેલે ગુસ્સાયભર્યા અવાજે નિર્ણયાત્મ‍ક શબ્દોસમાં ખન્નાને કહ્યું, ‘‘તમારે પાકિસ્તાન જવાનું નથી. તમે કાશ્મીર પહોંચી જાવ. તમને બધી મદદ સવાર સુધીમાં મળી જશે.‘‘ અને સરદારે લશ્કરનાં સેનાપતિઓને સંબોધતા દ્રઢ સ્વરે કહ્યું, ‘‘તમારે ગમે તે ભોગે કાશ્મીર બચાવવાનું છે. તમારી પાસે સાધન સામગ્રી હોય કે ન હોય તમારે આ કાર્ય પાર પાડવાનું છે. ગમે તે કરો, પણ કરો જ. કાલે સવારથી આ ‘‘ઓપરેશન એર લિફટ‘‘ શરુ કરી દો. કોઇપણ સંજોગોમાં કાશ્મીર બચવું જોઇએ.‘‘ અને રાતોરાત વી.પી.મેનને વિમાનમાં મહારાજાની ભારતીય સંઘમાં જોડાવાની સહી લઈ આવ્યા ત્યારે વહેલી સવારે સરદાર વિમાનગૃહે હાજર હતા. તા. ર૭ ઓકટો. નાં રોજ લશ્કર શ્રીનગરમાં ઉતારી દીધું. સરદાર જાતે પ્લેનમાં લશ્કરને માર્ગદર્શન આપવા કાશ્મીર ગયા હતાં. સરદારની કુનેહથી કાશ્મીંર બચી ગયું.
૧૮૪૮ ફેબ્રુ.૧પનાં જામનગરના લાલ બંગલામાં રાજ પ્રમુખશ્રી જામસાહેબ અને મુખ્યમંત્રીશ્રી નવલરાય ઢેબરની ઉપસ્થિતિમાં સરદાર પટેલે સંયુક્ત સૌરાષ્ટ્ર રાજ્ય સંઘની રચના કરી.
૧૯૪૯ ર૦મી જાન્યુ. જૂનાગઢનું રાજ્ય સૌરાષ્ટ્ર રાજ્યમાં વિલિન થયું, ૨૬મી ફેબ્રુ.ઉસ્મા‘નિયા યુનિવર્સિટીએ ‘‘ડોકટર ઓફ લોઝ‘‘ની માનદ પદવીથી સરદારનું બહુમાન કર્યુ.
એપ્રિલ ૭ – જોધપુર, જયપુર, બિકાનેર, જેસલમેર, ઉદેપુર, ભરતપુર રાજ્યોએ તેમના રાજ્યોનાં બનેલ ‘‘રાજસ્થાન સંઘનું ઉદઘાટન કર્યું , એપ્રિલ ૨૨ – ગ્વાલિયર, ઈંન્દોર, મધ્યાભારતનાં ર૩ દેશી રાજ્યોએ તેમના રાજ્યોનો સંઘ બનાવવા સંધીપત્ર સહીઓ કરી.
૧૭મી સપ્ટેમ્બરે હૈદરાબાદમાં લશ્ક‍રે ‘‘પોલો જંગ‘‘માં વિજયી બની ૧૮મીએ મેજર જનરલ ચૌધરીએ સરદારનાં માર્ગદર્શન તળે હૈદરાબાદનાં ગર્વનર જનરલનો હોદો સંભાળ્યો.
નવે. – ૩નાં નાગપુર યુનિવર્સિટી, તા. રપમી એ બનારસ હિંદુ યુનિવર્સિટી અને તા. ૨૭મીએ અલ્હાબાદ યુનિવર્સિટીએ સરદાર પટેલની સિધ્ધિઓને ‘‘ ડોકટર ઓફ લોઝ‘‘ની માનાદ ઉપાધિઓ એનાયત કરી.
ઓકટો. – ૭થી નવે.૧૫ સુધી, વડાપ્રધાન નહેરુ અમેરિકા, બ્રિટન, કેનેડા જતાં કાર્યવાહક વડાપ્રધાન તરીકે સરદાર પટેલે સંચાલન કરી તેમની સૂઝબૂઝથી સફળ સંચાલન કર્યુ.
૧૯૫૦

૨૮ એપ્રિલે અમદાવાદમાં વતનપ્રેમીઓએ રૂ.૧૫ લાખની થેલી સાથે સરદારનું સન્માન કર્યુ. સરદારે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીનું ખાતમુહૂર્ત કર્યુ.
તા.૨૦ થી ૨૨ સપ્ટે.નાં રોજ નાસિક કોંગ્રેસ અધિવેશનમાં હાજરી. સાતમી નવેમ્બરે સરદારે વડાપ્રધાન નહેરુને તિબેટ અંગે ચીનની દાનત સાફ નથી તે અંગેના ઐતિહાસિક પત્ર સરદારની દૂરંદેશી, મુત્સદગીરી અને વિશ્વનાં રાજકારણનાં આટાપાટા અંગેની કોઠાસૂઝનો યાદગાર દસ્તાવેજ સાબિત થયો.
૯ નવેમ્બરે ચીની આક્રમણ અંગે રામલીલા મેદાનની સભામાં ચેતવણી ઉચ્ચારી.

૧૫ ડિસેમ્બસર મુંબઈમાં આ મહામાનવનો સ્વર્ગવાસ થયો.
પુત્રશ્રી ડાહ્યાભાઈના હાથે દેશનેતાઓની હાજરીમાં અગ્નિદાહ અપાયો.
આ દુઃખદ પ્રસંગે તત્કાલિન વડાપ્રધાન પંડિત નહેરુએ તેમને શ્રધ્ધાંજલિ આપતાં કહ્યું, ‘‘સ્વાતતંત્ર્ય સંગ્રામનાં કપ્તાન અને મુશ્કેલીઓમાં માર્ગ બતાવનાર રાહબર હતાં.‘‘
આ પ્રસંગે બ્રિટનનાં વિશ્વપ્રસિધ્ધ અખબારે તેમને અંજલિ આપતાં લખ્યું હતું. ‘‘પોતાના દેશની બહાર ઓછા જાણીતા સરદારે આંતરરાષ્ટ્રીય પ્રસિધ્ધિની ખેવના રાખી નહોતી. તેમણે ગાંધીજી અને નહેરુ જેવી વિશ્વખ્યાતિ મેળવી નહોતી પણ તે બંનેની સાથે તેઓ એવી ત્રિમૂ‍ર્તિનાં ભાગ હતાં કે જેણે આજનાં ભારતનો આકાર રચી આપ્યો છે. સરદારના કાર્યનું મહત્વ , ગાંધી અને નહેરુનાં કાર્ય કરતાં જરા જેટલું ય ઓછું મહત્વનું ન હતું.‘‘
૧૯૯૧ આઝાદીનાં એકતાલીશ વર્ષ પછી તેમને મરણોત્તર ‘‘ભારતરત્ન‘‘ ખિતાબ આપવામાં આવ્યો.
એ ‘‘ડોકટર ઓફ લોઝ‘‘ની માનદ પદવીથી સરદારનું બહુમાન કર્યુ.

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
itinerary plus
Price 799 Rs.
 
itinerary plus
Price 599 Rs.
 
travel gujarati
Price 399 Rs.
 
 
 
market decides
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors