વિજયનગર

ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સાબરકાંઠા જિલ્લાનો મહત્વનો તાલુકો છે.
વિજયનગર ગામેગામની મઘ્યમાં દિગમ્બર જૈનમંદિર આવેલ છે. ટેકરીઓ ઉપર અગાઉના રાજયકર્તાનો મહેલ છે.સાબરકાંઠા જિલ્લાના રોડા ગામમાં મૈત્રક કાલનાં (૧૦મીથી ૧૫મી સદીના) સાત મંદિરોનો સમૂહ આવેલો છે. અત્યારે આ મંદિર-સમૂહોના જે કાંઈ અવશેષો બચ્યા છે તે જોતાં એ સમયે આ સ્થાપત્યો કેવી ઉચ્ચ કોટિનાં હશે તેનો અંદાજ મળી શકે છે અને અહેસાસ થાય છે. આ મંદિરો પૈકી મંદિર નં. ૭ સિવાયનાં બધાં મંદિર કદમાં નાનાં છે.
મંદિર નં.૧ પૂર્વાભિમુખ છે, જંઘાના ગવાક્ષોમાં આવેલાં શૈવ શિલ્પો પરથી આ મંદિર શિવાલય હોવાનું સૂચિત થાય છે. કુંડ પાસે આવેલું મંદિર નં.૫ એનાં ‍દીવાલોમાંનાં શિલ્પો પરથી વિષ્ણુનમંદિર હોવાનું જણાય છે. મંદિર નં.૬ સૂર્યમંદિર હોવાનું એમાંનાં શિલ્પો પરથી સ્પષ્ટવ થાય છે. મંદિર નં.૭ પણ પૂર્વાભિમુખ છે. એ સ્પષ્ટસતઃ શિવમંદિર છે. આમાંનાં કોઈ મંદિરોમાં અભિલેખ નથી, પરંતુ તેમના સ્થાપત્ય-સ્વરૂપ પરથી આ મંદિરોનું નિર્માણ આઠમી સદીના પૂર્વાર્ધમાં થયું લાગે છે. લાડચી માતાના કુંડ તરીકે ઓળખાતા કુંડના ચાર ખૂણે આવેલાં ચાર નાનાં મંદિર સ્થાપત્ય-સ્વરૂપમાં મંદિર નં.૩ અને ૫ સાથે સામ્ય ધરાવે છે. આ મંદિર-સમૂહની શ્રૃંગારચોકીઓ પરનાં ફાંસના પ્રકારનું છાવણ ખાસ નોંધપાત્ર છે. આ છાવણોની આગળ આવેલી રથિકાઓમાંનાં શૂરસેન મૂર્તિ શિલ્પોથી અલંકૃત છે. આ મંદિરોનાં શિખરો પરની જાલક-ભાત સૂત્રાપાડા, પાછતર અને ધ્રાલણવેલનાં મંદિરોનાં શિખરોની જાલક-ભાત કરતાં વધુ વિકસિત છે. આ તમામ મંદિરોની દીવાલો એના પર આવેલા સુશોભિત ગવાક્ષો સિવાય સાદી છે. આ મંદિરોનાં ગર્ભગૃહોની દ્વારશાખાઓનાં વૈવિધ્ય અને કોતરકામની ઉત્કૃષ્ટ.તા પ્રશંસાપાત્ર છે. એમાં મંદિર નં. ૩ની દ્વારશાખા અતિરમણીય છે. પંચશાખ પ્રકારની  આ દ્વારશાખામાં શિવ, ઉમા-મહેશ્વર, અર્ધનારીશ્વર, વિષ્ણુણ અને લક્ષ્મીચ-નારાયણનાં શિલ્પ દર્શનીય છે. ઉત્તરાંગની ગવાક્ષ-પંક્તિમાં બ્રહ્મા, કુબેર, વિષ્ણુ, શિવ અને ગણેશનાં શિલ્પ નોંધપાત્ર છે. પ્રાયઃ આ મંદિર હરિ-હરનું છે.

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors