મહાત્મા ગાંધીની આત્મકથા ‘સત્યના પ્રયોગો’ સારાંશ-મહાપ્રદર્શન

મહાપ્રદર્શન
મેં પારીસમાં અન્નાહારનું એક મકાન હતુ એ વિશે વાંચ્યું હતું. ત્યાં એક કોટડી રોકી. ગરીબાઇથી મુસાફરી કરી પારીસ ગયો. સાત દિવસ રહ્યો ઘણુંખરું બધું જોવાનું પગપાળા જ કર્યું. સાથે પારીસની, તે પ્રદર્શનની ગાઇડ ને તેનો નકશો રાખ્યાં હતા. તેને આધારે રસ્તાઓ શોધીને મુખ્યી વસ્તુઓ જોઇ.
પ્રદર્શનની વિશાળતા અને વિવિધતા સિવાય બીજું મને કંઇ યાદ નથી. એફિલ ટાવર ઉપર તો બેત્રણ વેળા ચડેલો, એટલે તેનું સ્મરણ ઠીક છે. પહેલે મજલે ખાવાની સગવડ પણ હતી. એટલે ઊંચે ભોજન કર્યાનું કહી શકવા ખાતર ત્યાં ખાણું ખાધું ને સાડા સાત શિંલિગમાં દીવાસળી મેલી.
પારીસમાં પ્રાચીન દેવળો યાદ રહી ગયાં છે. તેમની ભવ્યતા, તેમની અંદર મળતી શાંતી ન ભુલાય તેવાં છે. નોત્રદામની કારીગરી ને અંદરનું ચિત્રકામ યાદ રહી ગયાં છે. જેમણે લાખો રૂપિ‍યા આવા સ્વર્ગીય દેવળોમાં નાખ્યા હશે તેમાનામાં ઊંડે ઊંડે ઇશ્ર્વરપ્રેમ તો હશે જ એમ લાગેલું.
પારીસની ફૅશનનું, પારીસના સ્વે‍ચ્છા ચારનું, તેના ભોગનું ઠીક વાંચ્યું હતું. તે તો શેરીએ શેરીએ જોવામાં આવતું જ હતું. પણ આ દેવળો તે ભોગોથી નોખાં તરી આવતા હતાં. દેવળમાં પેસતાં જ બહારની અશાંતિ ભુલાઇ જાય. લોકોની વર્તણૂક બદલાઇ જાય. લોકો અદબથી વર્તે. ત્‍યાં ઘોંઘાટ હોય નહીં. કુમારિકા મરિયમની મૂર્તિ આગળ કોઇ ને કોઇ પ્રાર્થના તો કરતું જ હોય. આ બધો વહેમ નથી પણ હ્રદયની ભાવના છે, એ અસર ત્યારે થઇ ને તે વૃદ્ધિ પામતી ગઇ છે. કુમારિકાની મૂર્તિની સમક્ષ ઘૂંટણે પડીને પ્રાર્થના કરનારા ઉપાસકો આરસના પથ્થરને નહોતા પૂજતા, પણ તેમાં રહેલી તેમની કલ્પનાની શકિતને પૂજતા હતા. તેથી તેઓ ઇશ્ર્વરનો મહિમા ઓછો નહોતા કરતા પણ વધારતા હતા, એવી અસર મારા મન ઉપર થવાનું ઝાંખું સ્મરણ મને આજ પણ છે.
ઍફિલ ટાવર વિશે બે બોલ આવશ્યક છે. ઍફિલ ટાવર હાલ શો અર્થ સારે છે એ હું નથી જાણતો. પ્રદર્શનમાં ગયા પછી પ્રદર્શન વિશે વર્ણનો તો વાંચવામાં આવે જ. તેમાં તેની સ્તુતિ પણ સાંભળી ને નિંદા પણ સાંભળી. નિંદા કરનારામાં અગ્રેસર ટૉલ્સટૉય હતા એવું મને યાદ છે. તેમણે લખેલું કે એફિલ ટાવર મનુષ્યની મૂર્ખાઇનું ચિહન છે, તેના જ્ઞાનનું પરિણામ નથી. તેમના લેખમાં તેમણે જણાવ્‍યું કે, દુનિયાના ચાલતા ઘણા નશાઓમાં તમાકુનું વ્યસન એક રીતે સહુથી વધારે ખરાબ છે. જે કુકર્મ કરવાની હિંમત દારૂ પીવાથી ન આવે તે બીડી પીવાથી આવે છે. દારૂ પીનાર ગાંડો બને છે, જયારે બીડી પીનારની અક્કલને ધૂમસ ચડે છે ને તેથી તે હવાઇ કિલ્લા બાંધવા મંડી જાય છે. એફિલ ટાવર આવા વ્યસનનું પરિણામ છે એવો ટૉલ્સતટૉયે પોતાનો અભિપ્રાય જાહેર કર્યો હતો.
એફિલ ટાવરમાં કશું સૌદર્ય તો નથી જ. પ્રદર્શનને તેણે કશી શોભા આપી એમ ન કહી શકાય. એક નવી વસ્તુ છે, મોટી વસ્તુ છે, તે જોવાને હજારોમાણસો ચડયા. એ ટાવર પ્રદર્શનનું એક રમકડું હતું. ને જયાં સુધી આપણે મોહને વશ છીએ ત્યાં સુધી આપણે પણ બાળક છીએ, એ વસ્તુ આ ટાવર સારી રીતે સિદ્ધ કરે છે એ તેની ઉપયોગીતા ભલે મનાઓ.

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
itinerary plus
Price 799 Rs.
 
itinerary plus
Price 599 Rs.
 
travel gujarati
Price 399 Rs.
 
 
 
market decides
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors