પ્રસિદ્ધ કૃષ્ણમંદિર – ડાકોર

આ મંદિર ગુજરાતમાં વડોદરાથી ૪૫ કિલોમીટર દૂર આવેલું છે. આ મંદિર પાછળ પણ એક વાર્તા છે. ડાકોર જે પહેલા ડંકપુરના નામે ઓળખાતું હતું, ત્યાં એક કૃષ્ણ ભક્ત ભોળાનાથ રહેતો હતો જે દર પુનમે ડાકોરથી દ્વારકા રસ્તેથી ચાલીને ભગવાનના દર્શનાર્થે જતો હતો. પોતાના ભક્તની આ તકલીફ કૃષ્ણ ભગવાનથી જોઈ ના શકાઇ. આથી તેમણે ભક્તને સપનામાં આવીને કહ્યું કે હું દ્વારકાથી ડાકોર આવીશ. ભોળાનાથે બધાને વાત કરી.દ્વારકાના પૂજારીઓને આ એકદમ આવનારા પરિવર્તનથી ખૂબ તકલીફ થઈ.તેમણે એક યુક્તિ આજમાવી કે જો ડાકોરમાં મૂર્તિ લઈ જવી હોય તો, મૂર્તિના વજન જેટલું સોનું મૂકવું. તેઓ જાણતાં હતાં કે ભોળાનાથ ખૂબ ગરીબ માણસ છે, એટલે સોનું આપી નહી શકે અને કૃષ્ણ ભગવાનની મૂર્તિ દ્વારકામાં જ રહેશે.
ભોળાનાથ પાસે સોનાના નામે તેની પત્નીએ પહેરેલી ફક્ત નાકની વાળી હતી. જ્યારે મૂર્તિની સામે ત્રાજવામાં તેને મૂકવામાં આવી ત્યારે તેનું અને મૂર્તિનુ વજન બરાબર થયું.આવી રીતે કૃષ્ણ ભગવાનનું સ્થળાંતર દ્વારકાથી ડાકોરમા થયું આજે ડાકોરમાં તે જ અસલ મૂર્તિ છે જે પહેલા દ્વારકામાં હતી.
મોટાંભાગે કૃષ્ણના નામે ઓળખાંતા ઈશ્વર, દ્વારકા અને ડાકોરમાં રણછોડરાયનાં નામે ઓળખાય છે.તેમને મળેલ નામ પાછળ પણ એક કથા છે.જરાસંધના મિત્ર કાલયવે જ્યારે કૃષ્ણ ભગવાન પર આક્રમણ કર્યુ ત્યારે તેઓ રણ છોડીને ભાગી ગયા.આથી જ તેમને દ્વારકા અને ડાકોરમાં રણછોડરાયના નામે ઓળખવામાં આવે છે.
કહેવાય છે કે હિન્દુસ્તાનમાં ૩૩ કરોડ દેવીદેવતાઓ છે દરેક ધર્મના જુદા જુદા ભગવાનો. પરંતુ કૃષ્ણ કાનુડો આ એવું નામ છે કે કોઈ પણ ધર્મનો વ્યક્તિ હોય પરંતુ કૃષ્ણથી આકર્ષાયો ન હોય. કારણ કે કૃષ્ણ તો કૃષ્ણ જ છે.અને એટલા માટે તે તેની ત્રણે અવસ્થામાં તેની કાંઈને કાંઈ વિશેષતા રહેલી છે અને સંસારને કોઈને કોઈ શીખામણ તેણે આપી છે.તેમાં પણ ખાસ કરીને તેમની બાળલીલાઓને કારણે લોકોમાં ખૂબ જ જાણીતા બનેલા છે.
માટે તો ભારતભરમાં અને ખાસ કરીને હરદ્વાર બાદ ગુજરાતમાં સૌને વ્હાલા કોઈ ભગવાન હોય તો એ છે તેમનો કાનુડો. ભારતમાં તેના જે જે મંદિરો છે તે જગપ્રસિદ્ધ છે તેમાનું એક છે ડાકોર.
આ પ્રસિધ્ધ મંદિર ડાકોરમાં દર પુનમે મેળો ભરાય છે. ધણાં લોકો આ દિવસે આવીને શ્રધ્ધાથી ઈશ્વરની પૂજા કરે છે. કેટલાંક લોકો તો ખુશીથી અથવા તો પોતાની માનતા પૂરી કરવા રસ્તે ચાલીને દૂર દૂરથી આવે છે, અને ઈશ્વરના દર્શન કરે છે.
અહીંના મંદિરમાં લોકો પ્રસાદના રુપે ભગવાનને માખણ, મિશરી, મગજ(બેસનની મીઠાઈ) ચઢાવે છે. કૃષ્ણ ભગવાનને ગાયો ખૂબ વહાલી હતી એટલે અહીં લોકો ગાયને પણ ચારો ખવડાવી પુણ્ય કમાવે છે.
અહીં નાસ્તામાં ડાકોરના ગોટાં ખૂબ પ્રસિધ્ધ છે. અહીં આવનાર દરેક યાત્રી ડાકોરના પ્રસિધ્ધ ગોટાનો ટેસ્ટ જરુર કરે છે.અહીં આવેલ ધર્મશાળામાં માત્ર પાંચ રુપિયામાં ભરપેટ ભોજન મળી જાય છે. હવે તો ડાકોરમાં લોકોને આકર્ષિત કરવા માટે અન્ય નાના-મોટા મંદિર પણ બનાવવામાં આવ્યાં છે.

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors