ધરગથ્થુ ઉપચારઃ તાવ માટે

ધરગથ્થુ ઉપચારઃ તાવ માટે

* આદું,લીબુ અને તુલસીના રસ સાથે મધ ઉમેરીને ઉપયોગ કરવાથી ઉધરસ,શરદી કે તાવ તેમજ શમગ્ર શરીરમાં થતું કળતર મટે છે.

* તુલસી અને સુરજમુખીના પાન વાટીને તેનો રસ પીવાથી બધી જાતના તાવ મટે છે.

* કોઈપણ જાતનો તાવ આવ્યો હોય તો અડધી ચમચી મીઠું ગરમ પાણિમાં દિવસમાં ત્રણવાર લેવાથી તાવ ઉતરી જાય છે અને તાવ ઉતર્યા પછી સવાર-સાંજ પા ચમચી મિંઠુ બે દિવસ લેવાથી તાવ પાછો આવતો નથી

* કોઈપણ જાતનો તાવ આવ્યો હોય તો ફુદીનાનો અને આદુનો ઉકાળો પીવાથી તાવ ઉતરી જાય છે.

* સખત તાવમાં માથા ઉપર ઠંડા પોતા મુકવાથી તાવ ઉતરે છે અને તાવની ગરમી મગજમાં ચડતી નથી.

* કોફી બનાવતી વખતે તેમાં તુલસી અને ફુદીનાના પાન નાખી ઉકાળી,નીચે ઉતારી,૧૦ મિનિટ ઢાંકી રાખી પછી મધ નાખીને પીવાથી કોઈપણ જાતનો તાવ મટૅ છે.

* લસણની કળી પાંચથ દસ ગ્રામ કાપીને તલના તેલ કે ધીમાં સાંતળીને સિંધવ ભભરાવી ખાવાથી દરેક પ્રકારના તાવ મટે છે.

* તુલસીના પાન, અજમો અને સુઢનું ચુર્ણ સરખે ભાગે લઈ તેમાં મધ લેવાથી ફલુનો તાવ મટે છે.

* પાંચ ગ્રામ તજ,ચાર ગ્રામ સુંઢ,એક ગ્રામ લવિંગનું ચુર્ણ બનાવી તમાંથી બે ગ્રામ જેટલું ચુર્ણ,એક કપ ઉકળતા પાણીમાં નાખી ૧૫-૨૦ મિનિટ પછી તેમાં મધ ઉમેરી પીવાથી ફલુનો તાવ બેચેની મટે છે.

* ૧૦ ગ્રામ ધાણાઅ અને ત્રણ ગ્રામ સુઢ લઈ તેનો ઉકાળો બનાવી તેમાં મધ નાખી પીવાથી ફલુનો તાવ મટે છે.

* એક ચમચી ગંઠોડાનું ચુર્ણ મધમાં ચાટી ઉપર ગરમ દુધ પીવાથી ટાઢિયો તાવ મટે છે.

* ફુદીનાનો અને આદુનો રસ કે ઉકાળો પીવાથી રોજ આવતો તાવ મટે છે.

* ગરમ કરેલા દુધમાં હળદર અને મરી મેળવીને પીવાથી  ટાઢિયો તાવ મટે છે.

* મરીનું ચુર્ણ તુલસીના રસ અને મધમાં પીવાથી  ટાઢિયો તાવ મટે છે.

* જિરુ વાટીને ચારગણા પાણીમાં રાત્રે પલાળીને સવારે નરણે કોઠે પીવાથી ટાઢિયો તાવ મટે છે.

* ફુદીનાનો તાજો રસ મધ સાથે મેળવીને દર બે કલાકે પીવાથી ન્યુમોનિયાનો તાવ મટે છે.

* તુલસી,કાળાં મરી અને ગોળનો ઉકાળો કરી તેમાં લીબુંનો રસ નાખીને ગરમાગરમ પીવાથી મલેરિયાનો તાવ મટૅ છે.

* ઠંડી લાગીને આવતા તાવમાં અઢી ગ્રામ જેટલો અજમો ગળી જવાથી ઠંડીનું જોર નરમ પડે છે અને પરસેવો વળી તાવ ઉતરે છે.

* મલેરિયાના તાવમાં વારંવાર ઉલડીઓ થાય ત્યારે અધકચરા ખાંડેલા ધાણા અને દ્રાક્ષ પાણીમાં પલાળી,મસળી,ગાળી થોડીથોડી વારે પીવાથી ઉલટી મટે છે.

* ફુદીનાનો અને તુલસીનો ઉકાળો પીવાથી રોજ આવતો તાવ મટે છે.

* મઠ કે મઠની દાળનો સુપ બનાવી પીવાથી રોજ આવતો તાવ મટે છે.

* એલચી નંગ ૩ તથા મરી નંગ ૪ રાતે પાણીંમાં ભીજવી રાખી સવારે તે બરાબર ચાળીને પાણિ ગાળીને દિવસમાં ચાર વાર પીવાથી જીર્ણ તાવ મટે છે.

* વરિયાળી અને ધાણાનો ઉકાળૉ કરી સાકર નાખી પીવાથી પિતનો તાવ મટૅ

છે.

* શરદીને લીધે આવતાં તાવમાં તુલસીનાં પાનનો રસ મધ સાથે લેવાથી તાવ મટે છે.

* સંનિપાતના તાવમાં શરીર ઠંડુ પડી જાય ત્યારે ગરમી લાવવા માટે રાઈના તેલની માલિસ કરવાથી આરામ થાય છે.

* હિંગ અને કપુરની સરખે ભાગે ગોળીઓ બનાવી લઈ(કપુરહિંગવટીની ગોળી જે દવાખાનામાં પણ મળે છે)ીકથી બે ગોળિ લઈ આદુનો રસ પીવાથી સનેપાત (લવરી)નો તાવ મટે છે અને દર્દી ભાનમાં આવે છે.

* ફલુના તાવમાં ત્રણ તોલા પાણી સાથે એક લીંબુનો રસ દિવસમાં ચાર-પાંચવાર પીવથી ફલુનો તાવ ઉતરે છે.

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors